SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધિ માટે જ્ઞાનાચાર આદિના આચાર તે શાખા પર્ણ વગેરે તુલ્ય છે. વળી ગીતાર્થ ગુરુજનોનો સમાગમ, બોધ શ્રવણ, અભ્યાસ વગેરે ધર્મવૃક્ષનાં પુષ્પો છે. [२८] भावधर्ममस्य सम्पत्ति र्या च सद्देशनादिना । फलं तदत्र विज्ञेयं, नियमान्मोक्षसाधकम् ॥ २४ ॥ મૂલાર્થ : તથા સન્દેશનાદિકે કરીને જે ભાવધર્મની પ્રાપ્તિ થાય તે જ અહીં નિશ્ચયને સાધનારું ફળ જાણવું. ભાવાર્થ : ધર્મવૃક્ષને ગુરુજનોના બોધાદિ પુષ્પો ખીલ્યા પછી, જે પુરુષ તેમાં ઉન્નતિ કરે છે તેને વિશેષ દેશનાદિકે કહીને શુદ્ધભાવ રૂપ ધર્મની પ્રાપ્તિ થાય છે, તે જ ધર્મનું ફળ છે. શુદ્ધ ધર્મની સંપત્તિ તે ફળ છે. [૨૬] સહનો માવધર્મો હિ, શુદ્ધશ્ચન્દ્રનાન્યવત્ । મમૃતં સભ્યઃક્ષતે ॥ ૨ ॥ एतद्गर्भमनुष्ठान મૂલાર્થ : ચંદનના ગંધની જેમ સહજ અને શુદ્ધ એવો ભાવધર્મ છે, તે ભાવધર્મથી મિશ્રિત એવું જે અનુષ્ઠાન તે અમૃત અનુષ્ઠાન કહેવાય છે. - ભાવાર્થ : ચંદનની ગંધ તેના પૂરા સ્થાનમાં અભિન્ન છે, તેનો કોઈ અંશ તેની સુગંધ વગરનો નથી. અર્થાત્ તે તેનું સ્વાભાવિક અને શુદ્ધ લક્ષણ છે. તેમ આત્માનો જ્ઞાનસ્વરૂપ શુદ્ધ ઉપયોગ આત્મપ્રદેશથી અભિન્ન અર્થાત્ એકરૂપ છે. એવા શુદ્ધ ઉપયોગરૂપ જે અનુષ્ઠાન છે તે અમૃતાનુષ્ઠાન છે. [૨૨૦] નૈનીમાનાં પુષ્ય, પ્રવૃતં ચિત્તશુદ્ધિતઃ । सम्वेगगर्भमत्यन्त - મમૃતં તકિલો વિદ્યુઃ ॥ ૨૬ ॥ મૂલાર્થ : જિનેશ્વરની આજ્ઞાને આગળ કરીને ચિત્તની શુદ્ધિથી જે કાર્ય અત્યંત સંવેગ સહિત પ્રવર્યું હોય તેને તેના જાણનારા તીર્થંકરાદિક અમૃતાનુષ્ઠાન કહે છે. છે. ભાવાર્થ : અમૃતાનુષ્ઠાન સર્વોત્કૃષ્ટ છે. અનંતર મોક્ષનું નિમિત્ત જિનેશ્વર પ્રણિત સિદ્ધાંતને દૃઢપણે માનતો, માત્ર મોક્ષનો સદનુષ્ઠાન : ૧૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy