________________
[૨૩૦] અન્નામમતે સ્વત્વસ્વીયત્વપ્રમòતુઃ ।
મેવજ્ઞાનાત્મનાયેતે, રન્નુજ્ઞાનારિવાદિમીઃ ॥ ૨૨ ॥
મૂલાર્થ : જેમ રજ્જુના જ્ઞાનથી સર્પથી ભીતિ નષ્ટ થાય છે, તેમ ભેદજ્ઞાનથી સ્વત્વ અને સ્વકીયત્વરૂપ ભ્રાંતિના હેતુરૂપ અહંતા અને મમતા નષ્ટ થાય છે.
ભાવાર્થ : અંધકારમાં દોરડીમાં સર્પની ભ્રાંતિ થાય છે ત્યારે ભય પેદા થાય છે. પરંતુ પ્રકાશમાં જોતાં તે ભ્રાંતિ ટળે છે ત્યારે ભય પણ ટળી જાય છે. તેમ જીવ અને જડના ભેદને જ્ઞાન વડે જાણવાથી આત્મસ્વરૂપ ભાવના દેઢ થાય છે. જડથી અર્થાત્ ધનાદિકમાં જે મારાપણાની બુદ્ધિ હતી તે નષ્ટ થાય છે. દેહમાં જે આત્મભાવની ભ્રાંતિ પેદા થઈ હતી કે દેહથી મને સુખ છે, દેહ મારો છે, તે અહંતા અને મમતા આત્મા અને દેહના ભેદજ્ઞાનથી ટળી જાય છે, ત્યારે દેહરૂપ સ્વત્વ અને આત્મા સ્વકીયત્વરૂપ છે તે સમજાય છે.
[૨૧] વિખેતવિતિ નિજ્ઞાસા, તત્ત્વાન્તર્રાનસન્મુવી ।
व्यासङ्गमेव नोत्थातुं दत्ते क्क ममतास्थितिः ॥ २३ ॥ મૂલાર્થ : જગતનું કેવું ભેદાભેદ સ્વરૂપ છે ? એ પ્રકારે તત્ત્વજ્ઞાનમાં સન્મુખ થયેલી જિજ્ઞાસા વ્યાસંગને જ ઉત્પન્ન થવા દેતી નથી તો પછી મમતાની સ્થિતિ ક્યાંથી પેદા થાય ?
ભાવાર્થ : સારવર્જિત સંસારમાં કંચન-કામિનીના પદાર્થો વિષે જે આસક્ત નથી. તેવા યોગીજનોને આત્મા અને સ્રીપુત્રાદિકના સ્વરૂપ તથા વિરૂપનું જ્ઞાન છે. આત્માદિકનું સ્વરૂપ શું છે ? મારે તેનો પરમાર્થ જાણવો છે એવી તેમની તત્ત્વજિજ્ઞાસા, તેમને અંતર્મુખ થવામાં સહાય કરનારી છે. એ જિજ્ઞાસાની તીવ્રતામાં પરમાર્થ હેતુ હોવાથી સ્ત્રી આદિક શરીર વગેરેનું કદાચ સ્મરણ થાય તોપણ તે યોગીમાં કોઈ પદાર્થ પ્રત્યે મમતા જાગતી નથી. એક વાર આત્મજાગૃતિ થઈ જાય પછી મમતાનિત દશા ટકતી નથી. જ્ઞાનનું
વૈરાગ્ય વિષય : ૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org