SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ થતો નથી. કેમકે આત્માનો સ્વાભાવિક ઉલ્લાસ હોવાથી આ વિરક્ત યોગીઓ અન્ય કંઈ બીજું જાણતા નથી. ભાવાર્થ : અતિશય અર્થાત્ જનસમૂહના મનને આશ્ચર્ય ઉત્પન્ન કરનારો કે કોઈ ચમત્કારિક પ્રભાવ, કે પૂર્વ જણાવેલી કોઈ પણ પ્રકારની લબ્ધિઓ પંડિતોને ગર્વ કરનારી થતી નથી, કારણ કે તેમની પાસે એ લબ્ધિઓથી પણ વિશેષ એવો આત્માનો સ્વાભાવિક આનંદ છે. યોગીઓ સ્વરૂપરમણતા સિવાય કંઈ જાણતા નથી. [૨૭] હવે ન શિવેઽષિ સુધ્ધતા, સવનુાનમસકૂમકૃતિ । पुरुषस्य दशेयमिष्यते, सहजानन्दतरङ्गसङ्गता ॥ २५ ॥ મૂલાર્થ : તેમના મનને વિષે મોક્ષને વિષે પણ લુબ્ધતા હોતી નથી. કેમકે તેઓની સત્ ક્રિયા પણ અસંગપણાને પામે છે, સહજાનંદના તરંગથી પ્રાપ્ત થયેલી આ પુરુષની અવસ્થા ઇચ્છેલી છે. ભાવાર્થ : અરે ! આ યોગીની સુખ પ્રત્યેની નિઃસ્પૃહતા તો જુઓ ? સ્વરૂપરમણતાના આનંદમાં અનુરક્ત યોગીઓને સર્વ કર્મના ક્ષયરૂપ મોક્ષની અભિલાષા નથી. તો પછી દેવાદિકના સુખની અભિલાષા તો ક્યાંથી હોય ? છતાં તેઓ જે શુદ્ધ આચારરૂપી સક્રિયાનું પાલન કરે છે. તે પણ સંસારના સર્વ પદાર્થોથી અસંગપણાને પ્રાપ્ત થવા કરે છે. આત્માની આવી અનુપમ દશા, સ્વાભાવિક આનંદનું સાક્ષાત્ વેદન કેવળજ્ઞાનીઓએ જોયું છે. આત્માનું એ સુખ સાંયોગિક નથી પણ આત્મા સાથે એકત્વ પામેલું છે. [૨૦૬] કૃતિ-સ્ત્ર મહામતેર્મવ-વિજ્ઞ.વૈરાગ્યવિનાસમૃન્મનઃ । ૩૫ત્તિ રીતુનુચદ્ર-સ્તનુવારપ્રકૃતિ યજ્ઞ:શ્રિયઃ ॥ ૨૬ ॥ મૂલાર્થ : આ પ્રમાણે આ લોકમાં જે મહાબુદ્ધિવાળા યોગીનું વૈરાગ્યના વિલાસને ધારણ કરનારું મન હોય છે, તે ઉદાર પ્રકૃતિવાળાની સમીપે મોક્ષલક્ષ્મી ઉત્કંઠાપૂર્વક વરવા માટે સમીપ આવે છે. Jain Education International વૈરાગ્ય વિષય : ૧૧૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy