SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેણિરૂપ શાંતરસ પ્રતિપાદક સ્વરોમાં, તેના આલાપને ધારણ કરતા હોવાથી તેમને સ્ત્રીઓના પંચમ સ્વરનો મધુર નાદ પણ ચલિત કરતો નથી. [१८८] सततं क्षयिशुक्रशोणित - प्रभवंरुपमपि प्रियं नहि। अविनाशिनिसर्गनिर्मल - प्रथमानस्वकरुपदर्शिनः ॥६॥ ચક્ષુરિન્દ્રિય વિષય મૂલાર્થઃ અવિનાશી સ્વભાવથી જ નિર્મળ અને વિસ્તીર્ણ એવું આત્માનું સ્વરૂપ જોનારા યોગીઓને નિરંતર ક્ષય પામતું તથા વીર્ય અને રેતસથી ઉત્પન્ન થયેલું શરીરનું સૌંદર્ય પણ પ્રિય લાગતું નથી. ભાવાર્થ માનવદેહ (સ્ત્રી-પુરુષ)નું શરીર કેવા સપ્તધાતુનું બનેલું છે? વીર્ય અને શોણિતથી બનેલું વિનાશી શરીર ભલે તે ચર્મચક્ષુએ સૌંદર્યયુક્ત હોય તોપણ અવિનાશી અને સ્વભાવથી શુદ્ધ એવા આત્મસ્વરૂપમાં રમનારા યોગીઓને તે પ્રિય લાગતું નથી. સપ્તધાતુના અશુચિમય દેહમાં યોગીજનોને પ્રીતિ થતી નથી. તેને કેવળ ધર્મનું બાહ્ય સાધન માની તેના પર મોહ ન રાખતાં, દેહમાં રહેલા શુદ્ધ આત્માનો પક્ષ કરી યોગીજનો તેમાં રમણ કરે છે. [१८९] परदृश्यमपायसङ्कुलं विषयो यत्खलु चर्मचक्षुषः । न हि रुपमिदं मुदे यथा निरपायानुभवैकगोचरः ॥ ७ ॥ મૂલાર્થ જે પ્રકારે અપાયરહિત અને અનુભવને જ એક ગોચર એવું આત્મસ્વરૂપ યોગીઓને હર્ષ માટે થાય છે. તે પ્રકારે અન્ય જનોએ જોવાતું અને અપાયોથી (પાપોથી) વ્યાપ્ત તથા જે ચર્મચક્ષુના વિષયરૂપ એવું આ શરીરનું રૂપ પ્રીતિને માટે થતું નથી. ભાવાર્થ : અપાય - પાપ કષ્ટાદિક રહિત એવું સ્વાભાવિક આત્મસ્વરૂપ છે. વળી અનુભવ ગોચર નિરાવરણ પૂર્ણ જ્ઞાનયુક્ત હોવાની એ આત્મસ્વરૂપ યોગીઓને આનંદ આપે છે. પરંતુ સંસારવૃત્તિને વિષે આસક્ત એવું પાપ કષ્ટાદિકવાળું જે ચર્મચક્ષુ ગોચર શરીરનું સૌંદર્ય યોગીઓને નિર્દોષ આનંદ માટે થતું નથી. વૈરાગ્ય વિષય : ૧૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy