________________
વાસ્તવમાં એ ઉપયોગરૂપ પર્યાયો કેવળજ્ઞાનમાં પણ નિર્વિભાજય અંશો છે. છતાં જ્ઞાનાદિક વસ્તુના એ પર્યાયો થાય છે. ઉપયોગ અભેદ હોવાથી આ પર્યાયો સાધુના કહેવાય છે. [૬૬] નો માવસ્થાને આ તિતિ |
માળા પ્રતિયોગિતે વિષે ર હિ, પૃથયોઃ | ૨૬ છે. મૂલાર્થ જો એમ ન હોય તો અભાવના સંબંધનું અન્વેષણ (આશ્રય) કરવામાં શી ગતિ થાય ? માટે આધાર અને પ્રતિયોગી એ બંનેને વિષે સંબંધ રહે છે. પણ તે બંનેમાં પૃથક પૃથક રહેતો નથી.
ભાવાર્થ : પરપણાએ કરીને (નાસ્તિથી) બતાવેલા પર્યાયો કોઈ પણ આત્માના ન થાય તો અવિદ્યમાનપણાનો સંબંધ શોધવાનો
ક્યો આધાર મળે? જેમ ઘટ (ઘડો) ઘડાના ભાવનો આધાર છે. તેથી ઘટના અભાવનો સંબંધ ઘટમાં ન હોય. તેથી જો તે ઘટરહિત ભૂતલ ને વિષે પણ ન રહે તો ક્યાં રહે ? માટે અભાવનું સ્થાન પણ બતાવે છે. ભૂતલ આધાર અને ઘટ આધેય છે. (પ્રતિયોગી) બંને ભિન્ન છતાં સંબંધાત્મક પર્યાય બને છે. [१६७] स्वान्यपर्यायसंश्लेषात्, सूत्रेऽप्येवं निदर्शितम् ।
સર્વમેવ વિન્ચે, સર્વ નાર્નાતનું ૨૧ | મૂલાર્થ : સ્વપર્યાય અને પરપર્યાયના આશ્લેષ (સંબંધ) થકી સૂત્રને વિષે પણ એમ જ પ્રકારે ઉપદેશ કરેલો છે, કે એક દ્રવ્યને જાણનાર સર્વ દ્રવ્યને જાણે છે, તથા સર્વ દ્રવ્યને જાણે તે એક દ્રવ્યને જાણે છે. (આચારાંગ)
ભાવાર્થ : આચારાંગ અને ભગવતી જેવા ગ્રંથોમાં ઉપદેશ કર્યો છે કે એક દ્રવ્યને પરિપૂર્ણપણે અર્થાત સ્વ-પર તમામ પર્યાયોથી જાણતો આત્મા સર્વ દ્રવ્યના સર્વ પર્યાયોને જાણે. અને તે પ્રમાણે સર્વપદાર્થને – દ્રવ્યને જાણનાર એક જીવાદિકના દ્રવ્યને પરિપૂર્ણ જાણે. જેને પૂર્ણજ્ઞાન કહેવામાં આવે છે. [૧૬] નાસત્તિ દિવાખ્યાસ-સ્વામિરાજયનું !
पर्यायमेकमप्यर्थ, वेत्ति भावाद् बुधोऽखिलम् ॥ ३० ॥
વૈરાગ્યના ભેદ : ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org