________________
મૂલાર્થ : મુનિના વેશ માત્રને ધારણ કરતા છતાં પણ તેઓ દુઃખગર્ભિત વૈરાગ્યવંત મનુષ્યો ગૃહીજનોથી અધિક નથી. કેમ કે તેઓ પૂર્વોત્થાયી (પ્રથમ ઉદ્યમવંત) નથી તેમજ પશ્ચાતનિપાતી નથી.
ભાવાર્થ : બાહ્યવેશ ધારણ કરનારા સાધુ સમક્તિવંત ગૃહસ્થ કરતા ચઢિયાતા નથી. કારણ કે તેઓ ગૃહસ્થજીવનના મોહથી ઉપર ઊઠ્યા નથી. અને સાધુધર્મમાં તો તેઓએ પ્રવેશ કર્યો નથી. દુઃખગર્ભિત વૈરાગ્યનો આ પ્રકારે છે, જેના વડે કોઈ આત્મહિત થતું નથી.
[૧૪] ગૃહેડરમાત્રવર્ણમ્યું, તત્તે મોજા વ્રતે । वैराग्यस्यायमर्थो हि, दुःखगर्भस्य लक्षणम् ॥ ७ ॥
મૂલાર્થ : ગૃહવાસને વિષે કેવળ અન્નની પણ દુર્લભતા છે અને વ્રતમાં તો મોદક પ્રાપ્ત થાય છે. આ પ્રકારનું જે પ્રયોજન તે દુ:ખગર્ભિત વૈરાગ્ય છે.
ભાવાર્થ : અશુભકર્મના યોગે જેને ગૃહવાસમાં પૂરતું ભોજન પણ મળતું નથી. અને બીજો કોઈ ઉપાય ન મળતા તે પ્રાણીને થાય કે સંયમ લેવાથી સારા પદાર્થો તો ખાવા મળશે, અને તે પ્રાણી દીક્ષા લે તો તે દુઃખગર્ભિત વૈરાગ્ય છે. તેને ચલિત થવાની શક્યતા છે.
[૧૪] ઝુશાસ્ત્રાભ્યાસસભૂત-મવનૈષ્પિવર્શનાત્।
मोहगर्भं तु वैरायं, मतं बालतपस्विनाम् ॥ ८ ॥ મૂલાર્થ : કુશાસ્ત્રના અભ્યાસથી ઉત્પન્ન થયેલો અને ભવની નિર્ગુણતા જાણવાથી ઉત્પન્ન થયેલો એવો અજ્ઞાન તપસ્વીએ માનેલો વૈરાગ્ય તે મોહગર્ભિત વૈરાગ્ય છે.
ભાવાર્થ : સત્ અને અસત્તા વિવેકરહિત, સર્વજ્ઞ કથિત ઉપદેશને બદલે કુશ્રુતના અભ્યાસથી, કે ભણવાથી કોઈ જીવને એ રીતે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે કે આ ગૃહવાસ તો જન્મમરણના દુઃખવાળો છે. સંસાર તો સારવર્જિત છે. અને સંયમ પામવાથી પરલોકમાં સુખ મળશે. આવા અપરમાર્થના ભાવવાળા બાળ તપસ્વીનો વૈરાગ્ય મોહગર્ભિત છે.
Jain Education International
૮૪ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org