________________
16
લીધી નહિ. અંતે સર્વદેવની પ્રાર્થનાથી સૂરિજીએ એક રસ્તો બતાવ્યો:- “ઉપકારનો બદલો આપવો જ હોય તો તારા બે પુત્રોમાંથી એક પુત્ર મને આપ, જેથી જગતમાં તારું પણ નામ થાય.” આ ઉત્તર સાંભળી સર્વદવ પુત્રપ્રેમને લીધે સંકોચાયો; પણ ઉપકારનો બદલો આપવાનો વિચાર તેને બેચેન બનાવતો હતો. પ્રભાવક ચરિત્રકાર લખે છે કે:- તે વિચારમાં તેનું આખું વર્ષ વીતી ગયું. અંતે તીર્થમાં જઈ મહેન્દ્રસૂરિના ઉપકારનો બદલો નહિ આપવા સંબંધી પોતાના પાપને ધોવાનો વિચાર કરી સર્વદવે પ્રસ્થાન કર્યું. પ્રસ્થાન સમયે ધનપાળે કારણ પૂછતાં ઉત્તરમાં સર્વદેવે જણાવ્યું કે:
મારૂં ઋણ ચુકાવવા બેમાંથી એક પુત્રની જૈનાચાર્ય માગણી કરે છે. આ ઋણ ચુકાવ્યા વગર હું મરી જઉ તો મારી સગતિ થાય નહિ; તેથી તે પાપ ધોવા તીર્થમાં જઉં .” ઉપકારનો બદલો.
પિતાની વાત સાંભળી ધનપાળ ચમક્યો અને ક્રોધથી સર્વદેવને કહેવા લાગ્યો કે - “તમે પોતાના પુત્રને જૈન દીક્ષા અપાવી આપણા કુળને કલંકિત કરવા માંગો છો ? આપણા કુળમાં શુદ્ધ યજ્ઞયાગાદિ વેદપાઠ કરનાર બ્રાહ્મણો થયા છે. બ્રાહ્મણો અને શ્રમાણમાં હંમેશાંથી વિરોધ ચાલતો આવે છે. આવી અવસ્થામાં જૈન સાધુને તમે પુત્ર કેમ આપી શકો ? જો તમે તેમ કરશો તો હું તમારો પણ સંબંધ છોડી દઈશ.” પુત્રનાં આવાં અનાદરવાળાં વચન સાંભળી સર્વદવનો ગભરાટ વધે છે, ત્યારે તે વખતે સર્વદેવનો નાનો પુત્ર “શોભન' પિતા પાસે જઈ કહે છે કે - “પિતાજી તમે કંઈ પણ ચિંતા કરશો નહિ. ઉપકાર વાળવાની તમારી પ્રતિજ્ઞા હું પૂરી કરીશ.” “શોભન' તેના પિતાનો એક સાચો ભક્ત પુત્ર હતો. રાજ્ઞી ગરીયસી' ના સિદ્ધાન્તમાં માનનારો હતો. સાથે સાથે જૈન સાધુનાં અહિંસા, તપ અને સંયમનું મહત્ત્વ પણ તે સમજતો હતો, તેથી તેણે પિતાની પ્રતિજ્ઞા પૂરી કરવાનું બીડું ઝડપ્યું. શોભન; બ્રાહ્મણ મટી શ્રમણ થયો.
પ્રતિજ્ઞાને પૂરી કરાવનારાં પુત્રનાં અમૃતમય વચનો સાંભળી સર્વદેવના હૃદયમાં આનંદની ઉર્મિઓ ઉછળવા માંડી. પુત્ર ઉપર પ્રસન્ન થઈ સવેદવે આશીર્વાદપૂર્વક પોતાનો પુત્ર સૂરિજીને સોંપ્યો. શોભન બ્રાહ્મણ” મટી ‘શ્રમણ’ થયો. મહેન્દ્રસૂરિ; આ નવા શિષ્ય સાથે અન્યત્ર વિહાર કરી ગયા. બહુ થોડા જ સમયમાં જૈનાગમાદિ વિવિધ પ્રકારની વિદ્યા ભણાવી સૂરિજીએ પોતાના આ નવા શિષ્યમાં અનુભવ અને પાંડિત્યનું નવું તેજ ઉમેર્યું. શોભનમુનિની પ્રગતિ.
ગુરુસેવા કરી શોભનમુનિએ એક બાજુ સમ્યગ્દર્શન સાથે સમ્યજ્ઞાન મેળવ્યું અને બીજી બાજુ ચારિત્રની સંપત્તિ મેળવી. પૂર્વની વિદ્વત્તામાં આ વસ્તુઓ ઉમેરાતાં તેઓ મહાન પ્રભાવશાળી બની ગયા. થોડા વર્ષોમાં પોતાના પ્રાંતમાં જ નહિ, પણ દૂર દૂરના અનેક પ્રાંતોમાં શોભનની કીર્તિ ફેલાણી. શિષ્યની વધતી જતી કીર્તિને જોઈ મહેન્દ્રસૂરિનું હૃદય આનંદથી ઉછળવા લાગ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org