SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ગુચ્છક ] સાનુવાદ સરસવને એક પ્રસ્થ (પાલી) નાંખી ઘરડી ડોશીને તે બધાં જુદાં કરવાને હુકમ કરવામાં આવે તે તે ડોશી દેવગે જ તેમ કરી શકે, કિન્તુ મનુષ્ય-ભવ મળવો તે એથી પણ દુર્લભ છે. (૪) ધૂતનું દષ્ટાન્ત– કેઈ એક રાજાને એકસે આઠ થાંભલાવાળી સભા હતી. દરેક થાંભલા ઉપર ૧૦૮ હાંસિયા (એસ) હતા. તેને પુત્ર રાજ્ય મેળવવાની વાંછાથી વિચારવા લાગ્યું કે રાજા ઘરડો થયો છે, તે એને મારીને હું રાજ્ય ગ્રહણ કર્યું. પ્રધાન તેને આશય જાણી ગયે એટલે તેણે રાજાને સમજાવ્યું કે તમારે પુત્રને બેલાવી કહેવું કે જે રાજ્ય જલદી લેવાને તારો વિચાર હોય, તે તું મારી સાથે ઘત રમ; પરંતુ સરત એ છે કે જ્યારે એ આઠ દાવ એક સામટા તારા પડે ત્યારે તું એક હાંસિય જીતે, કિન્ત વચ્ચે મારે દાવ પડે તો આખી બાજી ગટ ગણાય અને પાછા ફરીથી તારે પ્રયત્ન કરી રહ્યો. આવી સરત હોવા છતાં ૧૦૮ સ્તંભે. જીતવા જેટલે અંશે દુર્લભ છે, તેનાથી પણ મનુષ્ય-જન્મ મળ વધારે મુશ્કેલ છે. (૫) રત્નનું દષ્ટાન્ત– કેઈ એક વેપારી પાસે અનેક રત્નને ભંડાર હતું, પરંતુ કંઈ પણ દહાડે તે એકે રત્ન બહાર કાઢતું ન હતું. એક વેળા તે પરદેશ ગયે, તેવામાં તેના પુત્રએ વિચાર્યું કે પિતા લાભને લીધે રન્ને બહાર કાઢતા નથી; એથી આપણા ઘરમાં કરેડને માલ હોવા છતાં બીજા કોટિધ્વની માફક આપણે ઘર ઉપર ધ્વજા ચડાવી શકતા નથી. દેશાવરથી વેપારીઓ આવતાં તેમણે તે રને વેચી નાખ્યા અને પિતે કટિબ્રજ બન્યા. પિતા પરદેશથી પાછા પધાર્યા ત્યારે તેમણે જોયું તે રત્ન ન મળે; તે તે પરદેશીઓને વેચી નાખેલાં જણાયાં. આથી તેણે પુત્રને તે રને જલદી પાછાં લાવવા ફરમાવ્યું, પરંતુ તે રને પાછાં મળવાં દુર્લભ છે એના કરતાં પણ મનુષ્ય-ભવ અતિદુર્લભ છે.' (૬) સ્વમનું દૃષ્ટાન્ત--- એક વેળા એક કાર્પેટિક (કાપી) તેમજ એક બીજો પુરૂષ સૂતા હતા. તેવામાં બનેને એક સરખું ચન્દ્રનું પાન કર્યાનું સ્વપ્ન આવ્યું. કાપડીએ (ભિક્ષુકે) ગુરુ પાસે જઈને કહ્યું કે ગુન ! જે માગ રાત સંપૂર્ણ ચંદ્ર વ પાર વિધા. આ સાંભળી ગુરુએ સ્વપ્નના ફળને જવાબ આપતાં કહ્યું કે દશા ! સાર તે વાત ઘે ગુવારી fમા અને થયું પણ તેજ. પેલે બીજો આદમી વિધેસર સ્નાન કરી ફૂલ ફળ હાથમાં લઈ સ્વપ્ન ૧ કૃષ્ણર્ષીય શ્રી જયસિંહુસૂરિકૃત મારપાલચરિત્ર (લે. પ-૧૦૭)માં રત્નનું દૃષ્ટાન્ત છે, પરંતુ તે આનાથી જૂદું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy