SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યરસમંજરી [ પ્રથમ - " चुल्लग १ पासग २ धन्ने ३ जूए ४ रयणे ५ अ सुविण ६ चके ७ अ । વM ૮ નુ ૧ પરમાણૂ ૨૦ ફિદ્દેતા જુગમા ૨૨૦ –આર્યા અર્થાત્ (૧) ભજન, (૨) પાશ, (૩) અનાજ, (૪) જુગાર, (૫) રત્ન, (૬) સ્વપ્ન, (૭) ચક્ર, (૮) ચર્મ, (૯) ધંસરી અને (૧૦) પરમાણુએ મનુષ્ય-પ્રાપ્તિ સંબંધી દશ ઉદાહરણ છે. જોકે આ ગ્રન્થમાં ફક્ત ધુંસરીના જ દૃષ્ટાન્તને નિર્દેશ છે, છતાં ઉપલક્ષણથી બીજાં સમજી લઈ આ સંબંધમાં થેડો ઊહાપોહ ઉત્તરાધ્યયનની બૂવૃત્તિ (પત્રાંક ૧૪૫–૧૫૦) અનુસાર કરવામાં આવે છે – (૧) ભોજનનું દેટાન્ત કેઈ બ્રાહ્મણના ઉપર બ્રહ્મદત્ત રાજા પ્રસન્ન થયા એટલે તેણે તેને ઈચ્છામાં આવે તે માંગવા કહ્યું. બ્રાહ્મણે તેને વિચાર કરીને ઘેરે ઘેરથી, વારા દીઠ ભજન અને દક્ષિણ મળે એવી અભિલાષા દર્શાવી. આથી આ ચકવર્તી ચકિત થયે, પરંતુ તેને એવી ફુરણ થઈ કે પુષ્પરાવર્ત જે મેઘ ધરણી ઉપર વસે, તે પણ પત્થર ઉપર તે તેના પ્રમાણમાં જ પાણી રહે જેવું જેના ભાગ્યમાં હોય તેવું તેને મળે. બ્રાહ્મણની માગણે રાજાધિરાજે કબૂલ રાખી અને સૌથી પ્રથા પોતાને ઘેર ભાજન કરાવી એક સોનામહોર દક્ષિણ તરીકે આપી વિદાય કર્યો. ચકવર્તીના ૯૬ કરેડ ગામેામાં ચૂલા દીઠ ભેજન કરતાં કરતાં ચકવર્તીને ત્યાં ભજન કરવાને ફરી વારે આવે મુશ્કેલ છે. એનાથી પણ અધિક દુર્લભ તે મનુષ્યજન્મની પ્રાપ્તિ છે. (૨) પાકનું દૃષ્ટાન્ત ખજાને તર કરવા માટે ચાણકયે એક દેવનું આરાધન કરી દિવ્ય પાસાઓ મેળવ્યા. આ પાસા વડે જે કઈ બાજી રમે, તેની કદી હાર થાય નહિ. દિવ્ય પાસા તેમજ સોનામહોરોથી ભરેલો થાળ આપીને ચાણકયે છુત-કીડામાં પ્રવીણ પુરુષને મેટા રસ્તા ઉપર જુગાર ખેલવા મેકલ્યા. એણે લેકેને ભેગા કરી કહ્યું કે જે મને તે તેને હું આ થાળ આપું અને જે હું જીતું તે ફક્ત એક સેનામહોર લઉં. ઘણે જણા એની સાથે રમે, પરંતુ કે તેને હરાવવા ભાગ્યે જ સમર્થ થાય તેમ મનુષ્ય-ભવ મળવો દુર્લભ છે. (૩) ધાન્યનું દૃષ્ટાન્ત– ભરતક્ષેત્રમાં જેટલી જાતનાં ધાન્ય મળતાં હોય તે બધાં એકઠાં કરી એમાં ૧ છાયા–भोजनं पाशको धान्यं धूत रत्नं च स्वप्नः चक्रं च । चर्म युगं परमाणुः दश दृष्टान्ता मनुजलाभे ॥ ૨ ધાન્યના જવ, ઘઉં ઇત્યાદિ ચોવીસ પ્રકારનો ઉલ્લેખ દશવકાલિક સૂત્રની યાકિની મહત્તરાસુત શ્રીહરિભદ્રસૂરિકૃત વૃત્તિ (પત્રાંક ૧૮૩)માં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy