SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ વૈરાગ્યરસમ જરી [ચય સાંજના તે ગામ ભણી આવતા હતા તેવામાં તેની નજર વસ્ત્ર નહિ ઢેલાં હાવાથી ધ્રુજતા એવા એક કાયાત્સર્ગ–મુદ્રામાં રહેલા મુને ઉપર પડી. સખત ટાઢમાં પણ ધ્યાનમાં તેમને મસ્ત જોઇ તે તેમની પ્રશંસા કરતા ઘેર આવ્યે. બીજે દિવસે સૂર્યદય થયા તે પહેલાં ગાયે ચરાવવા તે ઘેરથી નીકળ્યે અને રસ્તે જતાં તે જ સ્થળમાં મુનિને તેમજ ઊભેલા જોયા. આથી તેને ઘણી અજાયખી થઇ અને તે તેમની પાસે જઇ બેઠા. એવામાં સૂર્ય ઉગતાં મુનિવર ૮ નમે દિંતાળ ’એમ બેલી આકાશ--માર્ગે ઊડી ગયા. સુભગ એમ સમન્ત્યા કે આ મંત્રથી આકાશમાં ઊડાય છે. પછી તે રાજ એનું ધ્યાન ધરવા લાગ્યા. એકદા તેને એમ કરતા બેઇ શેઠે તેને પૂર્ણ નવકાર (નમસ્કાર) મંત્ર શીખવ્યેા. ત્યારથી તે આખા મંત્રના જાપ જપવા લાગ્યેા. એટલામાં ચોમાસું આવ્યું. એક વખત તે ગાયે ચરાવવા વગડામાં ગયા હતા તેવામાં અતિવૃષ્ટિ થવાથી વચમાંની નદીમાં પૂર આવ્યું અને તે ઘર ભણી આવવા અસમર્થ અન્ય. એટલે તેણે ઉડવાના ઇરાદાથી પૂર્વક્તિ મંત્રનું સ્મરણ કર્યું. પરંતુ તે વચમાં એક ખીલા ઉપર જઇ પડયો અને મરણ પામી આ અહંન્દાસને ત્યાં પુત્રપણે અવતર્યાં. તેનું નામ સુદર્શન પાડવામાં આવ્યું. મોટા થતાં તેનું એક શ્રીમંતની મનેારમા નામની કન્યા સાથે લગ્ન થયું અને વખત જતાં તેને પુત્રા પણ થયા. આ ગામમાં એક કપિલ નામના પુરોહિત રહેતા હતા. તે સુદર્શનને દિલેજાન દાસ્ત હતા. એથી એક દિવસે પુરોહિતે પેાતાની પત્ની કપિલા આગળ તેની ઘણી તારીફ કરી. તેથી તે તેના ઉપર રાગી થઇ ગઈ. અધુરામાં પૂરૂં એક દિવસ તે સુદનને જોવાનો પણ તેને લાગ મળ્યા. આથી અવસર સાંધી એકદા કપિલા સુદર્શનને ઘેર ગઈ અને કહ્યું કે તમારા મિત્રના શરીરે આજે ઠીક નથી, વાસ્તે જલદી મારી સાથે પધારો. સુદર્શનને પ્રપંચની ખબર ન હતી એટલે એ તે! આની સાથે ચાલી નીકળ્યેા. પુરાહિતને ઘેર આવતાં દિવાનખાનામાં મિત્રને નહિ દેખતાં સુદને તેને વિષે પૂછ્યું એટલે કપિલાએ જવાબ આપ્યા કે તમારા મિત્ર અંદરના ખંડમાં છે. આ પ્રમાણે સુદનને ઘરના અંદરના ભાગમાં મેલી, બહારના દરવાજા બંધ કરી આ સ્ત્રી આની પાસે આવી નિર્લજ્જપણે વિષય-સેવન માટે વિનતિ કરવા લાગી. મુને તેને કહ્યું કે હું તે નપુંસક છું, એટલે મારાથી તારૂં કાંઇ વળી શકશે નિહ. આમ સમજાવી સુદર્શન પેાતાને ઘેર પાછા ફર્યાં. એક દિવસ આ ગામના રાજા કપિલ અને સુદર્શનને સાથે લઇ નગર બહાર ફરવા નીકળ્યા. તે વખતે દેવયાગે આ રાજાની અભયા રાણી કપિલાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy