SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ [ ચતુર્થ ૧૫૪ વૈરાગ્યરસમંજરી પરોપકારથી જીવનની સાર્થકતા--- –“પરોપકારમાં જ પોતાનો ઉપકાર રહેલો છે ( અર્થાત પરમાર્થમાં જ સ્વાર્થ સંધાય છે) એમ સુજ્ઞો માને છે. પરોપકાર વિનાના નીચનું જીવન શા કામનું છે?'–૧૧૮ पशवोऽपि वराश्चम-दुग्धायैरुपकारिणः । परोपकारशून्यस्य, नरस्य जीवितं च धिक् ॥ ११९ ॥ પરોપકાર વિહીન જીવનની નિસારતા –“ચામડું, દૂધ વગેરેથી પશુઓ પણ પરના ઉપર ઉપકાર કરે છે, (તે પછી ) પરોપકાર નહિ કરનારા માનવના જીવનને ફિટકાર છે.”—૧૧૯ ज्ञानदानं वरं प्रोक्त-मन्तज्योतिःप्रकाशकम् । जोवोऽतत्त्वानि तत्त्वानि, ज्ञात्वा स्यात् सुखभाजनम्॥१२०॥ જ્ઞાન-દાનની શ્રેષ્ઠતા-- –“( સર્વે દાનમાં ) અન્તઃકરણમાં જોતિ પ્રકટાવનારૂં જ્ઞાન-દાન *ઉત્તમ છે, કેમકે એના વડે અત તેમજ ત જાણીને જીવે સુખનું ભજન બને (છે). ”—૧ર૦ આહારાદિ દાનની તુલના સ્પષ્ટી–આહાર-દાન, ઔષધ-દાન, અભય-દાન અને જ્ઞાન–દાન એમ દાનના ચાર પ્રકાર પાડી શકાય છે. તેમાં આહાર-દાન એક દિવસની સુધા મટાડી શકે છે, ઔષધ-દાન અનેક દિનથી પીડાતા રોગીને રેગથી મુક્ત કરે છે અને અભયદાન એક જન્મને માટે જીવને નિર્ભય બનાવે છે, જ્યારે જ્ઞાન-દાન તે જીવને સદાને માટે અજર, અમર, સુધાદિથી મુક્ત અને નિર્ભય બનાવવા સમર્થ છે. આ પ્રમાણે ચાર પ્રકારના દાનની ઉત્તરેત્તર વિશેષતાને વિચાર કરતાં જ્ઞાન-દાનને શ્રેષ્ઠ માનવામાં કયે મનીષી આનાકાની કરે ? કેમકે પ્રથમનાં ત્રણ દાને તે એક ભવ સુધી અથવા તે તે જન્મમાં પણ અમુક વખત સુધી જ જીવને સહાયતા આપે છે, જ્યારે જ્ઞાન-દાન ભવભવ ઉપકારી છે. વળી આહારાદિ ત્રણ દાને તે શારીરિક બાધાઓને વિનાશ કરવા સમર્થ છે અર્થાત તે શરીરને સહાયક છે, જ્યારે જ્ઞાન-દાન તે આત્મિક વિકાસમાં આત્માના ૧ જુઓ પૃ. ૧૬૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy