SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૧૦ શ્રીરાજશેખરસૂરિકૃત [૧છી agrદરિવિદેશમાં ભમીને “પાટલીપુર માં ભેજ સમીપ આવ્યો. તેણે કહ્યું કે હે દેવ ! તમે મારા સ્વામીને કુળના દીપક છે. વિદેશમાં (ફરતાં ફરતાં) સદ્દગુરુને મુખે મેં એક “માતુલિંગી' નામની વિદ્યા પ્રાપ્ત કરી છે કે જે દ્વારા અભિમંત્રણ (કરાયેલા) માતુલિંગ વડે હણતાં, હાથી અને સિંહ જેવા પરાક્રમીઓ પણ મરી જાય તે માનવની (તે) વાત (જ) શી? હે દેવ ! એ (વિદ્યા) તમે ગ્રહણ કરે. ભેજે તે તેની પાસેથી લીધી અને પ્રમાણ કરી જેમાં તે સાચી (ઠરી). ભેજે માળીને દાન અને માન વડે રાજી કર્યો. જે વિદ્યાશક્તિને પ્રકાશ કરી બધા મામાઓને સંતોષ પમાડ્યો. તેમણે કહ્યું કે જે આ (પ્રમાણેની) તારી શક્તિ છે તે ભેટ/રૂપે માતુલિંગે લઇને અમારી સાથે તું (તારા) પિતા સમીપ ચાલ. પિતાને મારીને તું રાજ્ય ગ્રહણ કર. ભેજને તે (વાત) પસંદ પડી. પુષ્કળ માતલિંગ વડે શોભતો એ તે ચાલી (નીકળ્ય) અને પિતાના દ્વાર પાસે ગયો. તેણે કહેવડાવ્યું કે હે તાત! તમે પૂજ્ય છે, હું બાળક છું; તમારાથી મને મરણ મળે કે રાજ્ય મળો એ બધું મને મનહર છે. રાજા સંતોષ પામ્યો કે અહો પુત્ર વિનયવાળો છે. ભલે આવે એમ વિચારી તેણે ભેજને બોલાવ્યો. રોધિત થઈ તે મધ્યમાં આવ્યા. એક આસન ઉપર બેઠેલા કટિકા અને રાજાને પૃથ પૃથમાતુલિંગથી તેણે હણ્યાં. યથાર્થ વિદ્યા અન્યથા થતી નથી. દુન્દુકના રાજ્ય ઉપર ભેજને બેસાડાયો. (એથી) તેના મામાઓને અસાધારણ સંતોષ થયો. માતા પદ્મા (૫ણુ) પ્રસન્ન થઈ. દુદુકે ધનના હરણ, ગ્રાસના ઉદ્દાલન ઇત્યાદિ દ્વારા દુભાવેલા રાજાઓ પિતાને ફરી જન્મ થયો એમ માનવા લાગ્યા. મહાજન જીવ્યું. સર્વે વણે ખુશી થયા. સંસારરૂપ સરોવરને વિષે કમળ (સમાન) ભેજને કમલા (સ્વત) વરી. બાહુબળથી તેમજ પરિચ્છેદના બળથી તેણે જગતને છર્યું. ત્યાર બાદ કૃતજ્ઞતાને લીધે તેણે “ઢેરપુરમાં નન્નસૂરિની પાસે વિનતિ આપીને ઉત્તમ નરેને મોકલ્યા. તેઓ ત્યાં ગયા. ત્યાં તેમણે વિનતિ બતાવી. નન્નસૂરિએ અને ગેવિન્દસૂરિએ તે વાંચી. જેમકે સ્વસ્તિ શ્રી મોઢેરે' પરમ ગુરુ શ્રીનનસુરિ અને શ્રીગેવિન્દસૂરિપદને તેમજ ગઓને “ગપગિરિ' દુર્ગથી પરમ જૈન શ્રીભેજ વિનતિ કરે છે કે અત્ર પ્રણારૂપ “ગંગા'ના (પ્રાદુર્ભાવ માટે) “હિમાલય', સમાચારીરૂપ નારીના સૌભાગ્યની વૃદ્ધિ (કરવા)માં મકરધ્વજ, રાજસભારૂપ કુમુદિનીને (વિકસિત કરનાર) ચન્દ્ર અને ભારતીના ધર્મપુત્ર શ્રીબાપ ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004892
Book TitleChaturvinshati Prabandh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherFarbas Gujarati Sabha
Publication Year1944
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy