SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાજશેખરદ્ધિકૃત [ cvમદિરદુશ્મન જ છે. તેના વચન ઉપરથી દુÇકે પુત્રને મારી નંખાવવાની ઈચ્છા કરી. તે મારી નખાવતા હતા તેવામાં ભેજની માતાએ પાડલીપુત્ર'માં (રહેલા) પિતાના શર, રાજ્ય-લક્ષ્મીના સ્વયંવર મંડપરૂપ, સ્નેહી અને ધર્મત ભાઈઓને ગુપ્ત લેખથી જણાવ્યું " કે આમ આમ આપને ભાણેજ નાશ પામશે. રાજા ક્રોધે ભરાયા છે. (વાસ્તે અહીં આવી) એને લઈ જાઓ (અને) જીવની પેઠે (એને) જાળવજે. આપ હેતે છતે હું પુત્ર વિનાની ન થાઉં. (આ ઉપરથી) તેઓ આવ્યા અને દુન્કને નમ્યા. ઉત્સવના મિષે (પિતાના) ભાણેજ ભોજને લઈને તેઓ “પાડલીપુત્ર” ગયા. ત્યાં તેણે તેને ભણાવ્યો, ૧૦ રમાડ્યો અને શાસ્ત્રને અભ્યાસ કરાવ્યો. તેઓ તેને જીવની જેમ માનતા. ત્યાં તેનાં શેડાંક દિન ઓછાં એવાં પાંચ વર્ષ વ્યતીત થયાં. કંટિકાએ દુદુક આગળ કહ્યું કે હે દેવ ! તમારે પુત્રરૂપ શત્રુ મોસાળમાં મેટે થાય છે. નખેથી છેદી શકાય તેમ હોય તેને કુહાડી વડે છેદાય તે ન બનાવો. અહીં લાવીને છાનામાના તેને યમધામ ૧૫ પહોંચાડો. રાજાએ કહ્યું કે (તારું ) આ (કહેવું) સાચું છે. ત્યાર બાદ દૂતને મુખે દુઃકે ભેજની તેના મામા પાસે માગણી કરી. તેમણે તેને આપે નહિ. ફરી ફરીને દુન્દકે પોતાના દૂતે મોકલ્યા. ભેજના મામાએ કહ્યું કે હે રાજા! અમે તે આશય જાણીએ છીએ. એને અમે નહિ જ આપીએ. એ ધર્મપાત્ર છે. બીજો પણ કઈ શરણે આવ્યો આવ્યો હોય તે ક્ષત્રિયોએ તેનું રક્ષણ કરવું જોઈએ. તે પછી આ ભાણેજનું તે કહેવું શું? જે તમે બળાત્કારની ઇચ્છા કરતા હોય તે યુદ્ધ માટે તયાર થઈ આવજે. અમે તમને) બનેવીને (અમારા ભુજબળને) ચમત્કાર દેખાડીશું. આ (વાત) દૂતોએ આવીને કહી. દુદુક ગુસ્સે થવા છતાં તેમને મારવા સમર્થ થયો નહિ. પિતાની ૨૫ દુષ્ટતાથી તેમના દ્વારા વાકેફગાર બનેલે ભોજ પણ બખ્તર પહેર્યા વિના પિતા પાસે જ નહિ. તેથી દુન્દુકે બપભદ્રિસૂરિને પ્રાર્થના કરી કે તમે જઇને ભોજને સમજાવી લઈ આવ. મને માન આપે (?). ઈરછી નહિ હોવા છતાં તેઓ સૈનિકે સાથે “પાડલીપુત્ર” તરફ ચાલ્યા. અર્થે માર્ગે પહોંચતાં ત્યાં રહીને તેમણે જ્ઞાનદષ્ટિથી વિચાર કર્યો કે ૩૦. ભોજ મારા કહેવાથી રાજા સમીપ આવશે નહિ. અને જે ગમે તેમ કરીને લાવીશ તે તે લવાતાં તેને પિતા તેને મારી નાંખશે. (રાજાના) વચનનું ઉલ્લંઘન કરતાં રાજા પણ ગુસ્સે થઈ મને મારી નાંખશે. તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004892
Book TitleChaturvinshati Prabandh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherFarbas Gujarati Sabha
Publication Year1944
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy