SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાજશેખરસૂરિકૃત [૧છra vમદિર અને જૈન જ્ઞાની હોય એમાં શું આશ્ચર્ય છે? બે દિવસ ગયા ત્યારે સૂરિ શ્રીઆમની આગળ પ્રસંગવશાત શ્રી નેમિનાથને આશીર્વાદ બોલ્યા. જેમકે, લાવણ્યરૂપ સુધાના સારની સારણિ સમાન એવી તે સ્નેહવતી ભોજની પુત્રી (રાજીમતી), તે લક્ષ્મી, તે નૂતન ઉદયવાળું યૌવન, તે “દ્વારિકા , તે જળ તેમજ તે ગેવિન્દ, શિવ, સમુદ્રવિજય પ્રમુખ પ્રિય જને જેના પ્રેરક (પણ) હતા તે નેમિએ જીવને વિષે કૃપાનિધિ હોઈ લગન કર્યું તે (તમારા) કલ્યાણને માટે (હો). વળી મિથ્યા કાર્યમાં જર્જરિત બનેલા અને કુટુંબરૂપ કાદવમાં ડૂબેલા એવા જેમણે “ઉજજયંત'માં નેમિને નમન કર્યું નથી તેઓ જીવતા ગણાય તે મુએલા કોણ છે? તેવી ૧૦ રીતે “રૈવતક” તીર્થના મહિમાનું સૂરિએ વિવેચન કરી તેને એ પલ્લવિત કર્યો કે ભૂમિ ઠેકી કમર કસીને રાજાએ એકદમ ઊભા થઈ પ્રતિજ્ઞા લીધી કે “રેવતકેનેમિને વંદન કર્યા વિના મારે ભોજન ન કરવું. લોકોએ નિષેધ કર્યો કે હે રાજન્ ! (પ્રતિજ્ઞા) ન (લે) ન (લે); (કેમકે) "રૈવતક” પર્વત (બહુ ) દૂર છે અને તમે નરમ ૧૫ (પ્રકૃતિવાળા) છે. રાજાએ કહ્યું કે મેં લીધેલી પ્રતિજ્ઞા કરે નહિ. ત્યાર પછી સરિને સાથે (લઈને) આમ એક લાખ ભાર વહન કરનારા બળદ, ૨૦૦૦૦ ઊંટો, ૭૦૦ હાથીઓ, એક લાખ ઘોડાઓ, ત્રણ લાખ પાયદળ અને ૨૦૦૦૦ જેન કુટુંબ એમ ઉત્તમ સત્ય સાથે ૩૨ ઉપવાસ પૂર્વક રૈવતક” તરફ ચાલ્યો. સ્તંભન” તીર્થ સુધી ગમે ત્યાં સુધાના પરિતાપથી વ્યાકુળ થવા છતાં અને પ્રાણ સંદેહમાં પડ્યા પણ તેણે અન્ન લીધું નહિ. ( આથી ) લોક ભયભીત બન્યું. ખિન્ન થએલા સૂરિએ મન્નશક્તિ વડે કૂષ્માંડા દેવીને સાક્ષાત બેલાવી અને તેમની આગળ કહ્યું કે એવું કરે કે જેથી રાજા જમે અને જીવે. તે વચન ઉપરથી એક મોટા બિંબને માથા ઉપર ધારણ કરી કૂમાંડી આકાશમાર્ગે આમ પાસે ગઈ અને બોલી કે હે વત્સ! તે હું અંબિકા છું. તારા સવથી તુષ્ટ થઈ છું. ગગનથી આવતી અને તે સાક્ષાત જોઈ છે. રેવત 'ના એક ભાગરૂપ “અવકના ' શિખરથી હું આ નેમિનાથનું બિબ લાવી છું. આને તું વંદન કર. આને વંદન કરતાં મૂળ નેમિને વંદન થયું જ ગણાય; વાતે તું પારણું કર. સૂરિએ પણ એ (વાત)નું સમર્થન કર્યું. લેકે પણ તેની સ્થાપના કરી. તે બિંબને વંદન કરીને રાજાએ અન્ન લીધું. આજે પણ તે બિબ “સ્તંભ” તીર્થમાં પૂજાય છે. એ તીર્થ “ઉજજયન્ત ' એ નામથી પ્રસિદ્ધિમાં આવ્યું. (ત્યાર બાદ ) ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004892
Book TitleChaturvinshati Prabandh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherFarbas Gujarati Sabha
Publication Year1944
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy