SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ૫ ૧. ૧૫ ૨૦ ૨૫ ૩૦ શ્રીરાજશેખરસૂરિષ્કૃત [૧ શ્રી-૫મદિવ્રુત્તિ બહુ વર્ષ તપશ્ચર્યા કરી હતી. ( તપસ્વી ) મરીને તું ( અહીં આમ તરીકે ) ઉત્પન્ન થયા છે. એની અતિશય લાંખી જટાઓ ત્યાં જ લતામાં અંતિરત થયેલી–વીંટાળાયેલી હજી પણ વિદ્યમાન છે. તે સાંભળીને રાજાએ આપ્ત જનેને ત્યાં મેાકલ્યા. તેઓ જટા લઇ આવ્યા. સૂરિના વચનની સત્યતા જણાઈ. રાજા સૂરિને પગે લાગ્યા અને પરમ શ્રાવક બન્યા. એક વેળા મહેલના ઉપર( ના ભાગમાં ) રહેલા આમે કાઇક ઘરમાં ભિક્ષા માટે દાખલ થયેલા મુનિને જોયા. ત્યાં એક કામાતુર કામિનીએ ઘેર આવેલા અને પરબ્રહ્મને વિષે એકચિત્તવાળા મુનિ સાથે ક્રીડા કરવાની ઇચ્છાથી બારણાં બંધ કર્યા ( પરંતુ ) મુનિ તેને ઇચ્છતા ન હતા; એથી તેણે મુનિને લાત મારી. તેમાં તેનું નૂપુર ‘કાકતાલીય' ન્યાયથી કે ‘અંધવર્તિકા’ ન્યાયથી મુનિવરના પગમાં પેસી ગયું. રાજાએ તે જોઈને સૂરિને સમસ્યા આપી કે કમાડ બંધ કરીને યૌવન વડે ગર્વિત વારાંગનાએ અભ્યર્થના કરી. સૂરિએ ઉત્તર આપ્યા કે તે જિતેન્દ્રિયે તેનું કહ્યું માન્યું નહિ. એ પ્રજિતના પગમાં નૂપુર છે. એક દહાડા ભિક્ષાને અર્ધી કાઇ ભિક્ષુક કાઇ પ્રેષિતભર્તૃકાના ઘરમાં દાખલ થયા. મહેલના અગ્ર ભાગે રહેલા રાજાએ તેને જોચે. તે (સ્ત્રી) ભિક્ષુકને પારણું કરાવવા ) માટે અન્ન લાવી. (પરંતુ ) ઉપરથી કાગડાએ તે ખાઇ ગયા, (કેમકે ) મુનિની નજર તેની નાભિ ઉપર હતી અને તેની નજર તા એના વદનકમળ ઉપર હતી. ( આ ઉપરથી ) આમે સૂરિને સમસ્યા આપી કે ભિક્ષાચર નાભિમંડળ જુએ છે અને તે પણ તેનું મુખકમલ જુએ છે. સૂરિએ કહ્યું કે બંનેના કપાળને તેમજ કડછીને કાગડાઓ બગાડે છે (?). આ સાંભળીને આમને અચંખા થયા. અહે। આ સર્વજ્ઞપુત્ર (જ) છે. એક વેળા કાઇક ચિત્રકાર રાજાનું રૂપ આલેખીને રાજા પાસે ગયા. અપ્પભટ્ટએ તેની કળાની પ્રશંસા કરી ( તેથી ) રાજા પાસેથી તેને લાખ ટંક મળ્યા. ( એની પાસે ) લેખમય ચાર ર્ખિા કરાવાયાં; એક મથુરા ’માં, એક માઢેર ' વહિયામાં, એક · અણુહિલપુર ’માં, એક 6 ' ' ‘ ગાપિરિ ’માં અને એક ‘ સતારકાક્ષપુર ’માં (રખાયાં). તે તે સ્થાનમાં પ્રતિષ્ઠા અને પ્રભાવના પણ કરાવવામાં આવી. ખીજાં પણ ઘણું કરાયું. વખત જતાં આમને ધેર સુલક્ષણુ પુત્રના જન્મ થયા. ઉત્સવપૂર્વક તેનું દુન્દુક એવું નામ સ્થાપ્યું. તે પણ જુવાનીમાં તે તે ગુણ વડે પિતાની પેઠે પ્રસિદ્ધિમાં આવ્યા. એક હ્રાડા સમુદ્રસેન રાજા વડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004892
Book TitleChaturvinshati Prabandh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherFarbas Gujarati Sabha
Publication Year1944
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy