SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવ] ચતુર્વિશતિપ્રબન્ધ મુખ સૌમ્ય છે, (ઍને) આચાર પ્રશમની ખાણ છે, પરિકર શાંત છે અને દેહ પ્રસન્ન છે તેથી હું એમ માનું છું કે ઘડપણ, જન્મ અને મરણનો નાશ કરનારા એવા દેવાધિદેવ જિન (જ) છે; કેમકે અન્ય દેવેનું આવું સ્વરૂપ વિશ્વમાં જોવામાં આવતું નથી. આ પ્રમાણે તેમણે ઘણું કહ્યું. વાલ્પતિએ કહ્યું કે એ જિન ક્યાં છે? સૂરિએ કહ્યું કે ૫ સ્વરૂપથી મેક્ષમાં અને મૂર્તિથી જિનમંદિરમાં. વાક્ષતિએ કહ્યું કે હે પ્રભુ ! તે બતાવો. પ્રભુ પણ તેને આમ રાજાએ કરાવેલા જિનાલયમાં લઈ ગયા અને તેમણે પોતે જ પ્રતિષ્ઠા કરેલા શ્રી પાર્શ્વનાથનું દર્શન કરાવ્યું. શાંત, કાંત અને નિરંજન રૂપ જોઈ બોધ પામેલે એ બોલ્યો કે આ દેવ નિરંજન છે એમ એના આકાર (માત્ર)થી જ જણાય છે. તે વેળા ૧૦ બપભટિસરિએ દેવ, ગુરુ અને ધર્મ (એ ત્રણ) તર કહ્યાં–સમજાવ્યાં. (એથી) એ રાજી થયે. મિથ્યાત્વરૂપ વેષને છોડીને તેઓ તાંબર જૈન મુનિ થયા. તેમણે જિનને વંદન કર્યું અને ઉચ્ચાર્યું કે કસ્તૂરી વડે સુવાસિત એવા આ લલાટ વડે સેવકનું ફળ છે. તે છે જિનવર! પ્રણામને કલુષિત કરવા હું કેમ ઈચ્છા રાખું? બંને ગૃહસ્થ ૧૫ થડહડ જાય છે. કારણ કેને ખરેખર વિપત્તિ કહે? આરંભી આરંભીને પૂજે છે, (પણ) શું કાદવ કાદવથી શુદ્ધ થાય છે? આયુષ્યને અંત) અત્યંત પાસે આવ્યો એટલે “મથુરા'ના ચાતુર્વણ્ય (શ્રીસંઘ) તેમજ આમ રાજાના મંત્રિજનની પણ સમક્ષ સુરિએ એમને ૧૮ પાપસ્થાનક ત્યજાવ્યાં અને પંચપરમેષ્ઠીરૂપ નમસ્કાર સંભળાવ્યું. જેને વિષે સામણા ૨૦ કરાવેલા વાકપતિ સુખેથી દેહ છોડી સ્વર્ગે ગયા. એ સર્વ (હકીકત)થી પ્રધાનએ તેમજ બીજાઓએ રાજાને પ્રથમથી જાણીતે કર્યો હતે. પછી બપભટિ “ગોપગિરિ ગયા (ત્યારે તેમણે પણ તે કહી). રાજાએ સંતુષ્ટ થઈ સૂરીન્દ્રની સ્તુતિ કરી કે સૂર્ય વગેરે અનેક પ્રકાશવાળા છે, પરંતુ પથરા પીગળાવવાના કાર્યમાં કુશળ એવો તે ચન્દ્ર જ છે. ૨૫ એક દહાડો રાજાએ સૂરિને પૂછયું કે (એવું) શું કારણ છે કે જૈન તત્વ જાણતા હોવા છતાં મને વચ્ચે વચ્ચે તાપસ ધર્મ ઉપર પ્રીતિ બંધાય છે ? સૂરિએ કહ્યું કે સવારે કહીશ. સવારે આવી તેમણે કહ્યું કે હે રાજન! ભારતીના વચનથી અમે તારે પૂર્વ ભવ જાણ્યો છે. “કાલિંજર' ગિરિને તીરે શાલ નામને તું તપસ્વી હતે. વળી ૩૦ શાલ’ના ઝાડ નીચે બે ઉપવાસને અંતરે ભોજન કરતા એવા તે ૧૦ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004892
Book TitleChaturvinshati Prabandh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherFarbas Gujarati Sabha
Publication Year1944
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy