SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરાજશેખરસુરિકૃત [૮ શ્રીમતિચકિ' ઇત્યાદિ (પાઠ) દુષ્કર હોવાથી તેમણે આવશ્યકની નિવૃત્તિ રચી. કલિકાલસર્વજ્ઞ એ બિરુદ (તેમણે મળ્યું છે. તેમણે દેવતા તરફથી રહસ્યગ્રન્થ પ્રાપ્ત કર્યો. તેમણે તે (ગ્રન્થ)ને વિવિધ ઔષધથી નિર્મિત તથા જળ અને અગ્નિને અસાધ્ય એવા તેમજ દિગંબર આચાર્યો ૫ છતાતાં છિન્ન થયેલા ૮૪ મઠના ચોર્યાસી નામના પ્રાસાદના થાંભલામાં આદરપૂર્વક મૂક્યા. એક દિવસ પ્રભુ (હરિભદ્રસૂરિ) પિતાના ભાણેજ હંસ અને પરમહંસને શીખવતા હતા. તેઓ નિષ્પન્ન થયા, પરંતુ બૌદ્ધ તકે તેમના (બૌદ્ધના) મુખેથી પાઠ કરવા તેઓ ઈચ્છતા હતા. જ્ઞાની ૧૦ ગુરુએ વાર્યા છતાં તેઓ તેની પાસે ગયા. વૃદ્ધાના ઘરમાં ઉતારે (લીધે). બૌદ્ધ આચાર્યની પાસે તેને વેષ ધારણ કરી તેઓ ભણવા લાગ્યા. કલિકામાં તેઓ રહસ્ય લખતા હતા. પ્રતિલેખના વગેરે સંસ્કાર ઉપરથી દયાળુ જેવા જાણી ગુરુએ વિચાર્યું કે આ ખચ્ચિત તાંબર (જૈન) છે. બીજે દિવસે સીડીના પગથિયા ઉપર ખડી વડે તેણે જિન-પ્રતિમા ૧૫ આલેખાવી. તેની પાસે આવેલા તેમણે (એટલે હંસે અને પરમહંસે) તેના ઉપર પગ ન મૂક્યો. કિન્ત) તે (પ્રતિમા)નો કંઠ ત્રણ રેખા વડે અંકિત કર્યો. (એટલે) આ બુદ્ધ થયો તેથી કરીને તેના) ઉપર પગ મૂક્યો. (અને) તેઓ ( સીડી) ઉપર ચડયા. ગુરુએ તેમને (તેમ કરતાં) જોયા. ગુરુની સમક્ષ તેઓ બેઠા. ગુરુના મુખની છાયામાં ફેરફાર જોઈને -તેમના ચહેરાનો રંગ બદલાયેલે જોઈને પેલું કે તેમણે જ કર્યું છે એમ માની પેટમાં પીડા થતી હોવા)નું બહાનું કાઢી ત્યાંથી તેઓ નીકળી ગયા. કપલિકા લઈને ગયેલા તેઓ ઘણે વખત થવા છતાં (પાછા) ન આવ્યા. જેવડાવ્યા (અર્થાત તપાસ કરાવી) તે હતા નહિ. (એથી બૌદ્ધ આચાર્ય) રાજા આગળ કહાવ્યું કે મહાકપટી બે “વેતાંબર તત્વ લઈને જતા રહ્યા છે. કપલિકા (પાછી) અણાવી આપે. (એથી કરીને) (તેમની) પાછળ (રાજાના હુકમથી) ડુંક સિન્ય ગયું. નજરે નજર મળી. તે બે પણ સહસ્રોધ હતા. તેમણે રાજાની સેનાને નાશ કર્યો. બચીને નાસી ગયેલા સૈનિકોએ રાજા પાસે જઈને તેમના તેજ વિષે કથન કર્યું. (એથી) ફરીથી મોટું સૈન્ય તેણે મોકલ્યું. દષ્ટિને મેળાપ થ. ૩૦ એક યુદ્ધ કરવા લાગ્યા. બીજે હાથમાં કપલિકા લઈને નાઠે. હંસનું માથું છેદીને તે (સૈનિકાએ) રાજાને બતાવ્યું. તેણે તે ગુરુને આપ્યું. ૨૦ ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004892
Book TitleChaturvinshati Prabandh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherFarbas Gujarati Sabha
Publication Year1944
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy