SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્વિશતિપ્રબન્ધ કહ્યું કે આ ગોવાળો સભ્ય છે. વૃદ્ધવાદીએ કહ્યું કે ત્યારે તું બેલ વાદ શરૂ કર. ત્યાર બાદ સિદ્ધસેને ત્યાં તે નગર સમીપ ઘણું વખત સુધી સંસ્કૃત (ભાષા) દ્વારા અતિશય જલ્પ કર્યો. અને પછી તે થંભ્યા. ગોવાળોએ કહ્યું કે આ કંઈ જાણતો નથી; કેવળ મેટા સ્વરે પિકાર પોકાર કરીને અમારા કાનને પીડા ઉપજાવે છે–અમારા કાન ફેડે છે, માટે એને) ધિક્કાર હો, ધિક્કાર છે. વૃદ્ધ તમે (હવે ) કંઈ કહે. ત્યાર પછી સમયના જાણકાર વૃદ્ધવાદીએ કાછડે મજબૂત બાંધી (વાળી ) તે ધિન્દિણિ છંદમાં (બોલવા અને ) ખેલવા માંડયું: કેઈને મારીએ નહિ, ચોરી કરીએ નહિ, પરસ્ત્રીગમન કરવું નહિ, ડું થોડું આપીએ અને એમ ઝટ સ્વર્ગે જવું. વળી તેણે કહ્યું કે ૧૦ તલ અને ચોખાને ગાળ સહિત ચાલે છે, વેઢા વડે વેણુ વગાડે છે, પહેરવા અને ઓઢવા માટે કામળી (રામે) છે એમ ગપાળ હર્ષ પૂરે છે. સાથે સાથે નાચવા પણ માંડયું, (અને તેમ કરતાં તેઓ બોલતા ગયા કે) કાળો કામળો, ટુંકે માર્ગ અને છાશથી ખીચોખીચ ભરેલી દોણી (), બકરીનો સમૂહ સાન્દ્ર વૃક્ષ ઉપર પડ્યો છે. શું સ્વર્ગનું શીંગડું લલાટમાં છે? ૧૫ ગેવાળીઆઓએ રાજી થઈને કહ્યું કે વૃદ્ધવાદી સર્વજ્ઞ છે. અહા ! કેવું કાનને સુખ ઉપજે તેવું અને ઉપયોગી એ બેલે છે. સિદ્ધસેન તે અસાર લે છે--નકામો લવારો કરે છે. આ પ્રમાણે એની તેમણે નિન્દા કરી. ત્યાર સિદ્ધસેને કહ્યું કે હે ભગવન્! મને દીક્ષા આપી; વાદમાં સભ્યની સંમતિ અનુસાર હું છતાયેલો હોવાથી હું તમારો શિષ્ય છું (ત્યારે) ૨૦ વૃદ્ધવાદીએ (ઉત્તર આપતાં) કહ્યું કે “ ભૂગુ 'પુરમાં રાજસભામાં આપણો વાદ હે; ગોવાળોની સભામાં શો વાદ સિદ્ધસેને કહ્યું કે હું સમયનો જાણકાર નથી–મેં સમય વલ્ય નહિ; તમે તે સમયના જાણકાર છે; અને જે સમય છે તે સર્વજ્ઞ છે, (વાસ્તે) તમે મને જીત્યો છે. એ પ્રમાણે વદનારા તેને ત્યાં જ તેમણે દીક્ષા આપી. ૨૫ - ત્યાર પછી “ભૂગપુરના રાજાને તે વૃત્તાન્તની ખબર પડતાં તેણે “તાલારસ” નામનું મોટું ગામ સ્થાપ્યું. (તેમાં) નાભિના પુત્ર (શ્રીગષભદેવ)નું ચૈત્ય કરાવ્યું (અને તેમાં ) વૃદ્ધવાદી પાસે શ્રી ઋષભદેવની (મૂર્તિની ) પ્રતિષ્ઠા કરાવી. (આખો) સંઘ ગાજી ઊઠો. સિદ્ધસેનને દીક્ષા સમયે કુમુદચન્દ્ર નામ (પાડવામાં આવ્યું) ૩૦. હતું. (પરંતુ ) આચાર્ય-પદવી વખતે સિદ્ધસેન દિવાકર એવું નામ પ્રસિદ્ધ થયું. “સ્વામી' શબ્દ અને “વાચક” શબ્દની પેઠે તે વખતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004892
Book TitleChaturvinshati Prabandh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherFarbas Gujarati Sabha
Publication Year1944
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy