SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરાજશેખરસુરિત [૬ શ્રી વૃજલારિરિ તેજતેમજ જે કાઈ એમ બબડતે હેય કે શું અત્ર મુસળાને ફૂલ આવશે તે તેનું નિરાકરણ કરી મુસળાને ફૂલ આવે છે એમ હું (પક્ષ) સ્થાપું છું. વળી મારી ગાયનું શીંગડું ઈન્દ્રની યષ્ટિ જેવડું છે, અગ્નિ શીતળ છે, પવન નિષ્કપ છે, (આ પૈકી) જેને જે ન ગમે તેમ હોય તે વૃદ્ધવાદી કહે છે પ કાણુ શું કહે(વા માંગે) છે? (તે મારી સામે આવીને બેલે) એ અદ્વિતીય વાદી બન્યા. ઋદિલસૂરિએ તેમને પિતાને પદે સ્થાપ્યા.વૃદ્ધવાદી એવું તેમનું નામ પ્રસિદ્ધિમાં આવ્યું સ્કેન્દિલસૂરિ સમાધિ-મરણરૂપ રથ દ્વારા સ્વર્ગે સંચર્યા. એક દિવસ વૃદ્ધવાદી “ભૃગુપુર જતા હતા. આ તરફ અવતી'માં વિક્રમાદિત્ય રાજા હતો કે જેનાં દાનની ખ્યાતિ એવી હતી કે હાટક આઠ કરોડ, મોતી ૯૩ તુલા, મદગંધના લેભી ભ્રમરના (ગુંજારવના ત્રાસથી) ક્રોધથી ઉદ્ભર બનેલા એવા ૫૦ હાથીઓ, લાવણ્યના સંચયથી જેમનાં નેત્રો પ્રપચિત બન્યાં છે એવી ૧૦૦ વેશ્યાઓ એટલું કપાય” રાજાએ દંડ તરીકે ભેંટણું કર્યું છે તે આ વૈતાલિકને આપવું, ઇત્યાદિ. ૧૫ એના રાજ્યને વિષે (એન) માન્ય, કાત્યાયન’ ગેત્રને વિષે ભૂષણ રૂપ દેવર્ષિ નામે બ્રાહ્મણ (વસતો) હતો. તેને દેવસિકા (દેવરસિક?) નામની પત્ની હતી. એ દંપતીને સિદ્ધસેન નામે પુત્ર હતો. તે (પિતાની) બુદ્ધિના બળને લીધે (સમગ્ર) જગતને પણ તૃણવત ગણત હતો, (કેમકે ) બુદ્ધિની કિંઈ) સીમા નથી. એથી જગમાં કહેવાય २० છે કે પૃથ્વી સમુદ્રથી પરિમિત છે વીંટળાયેલી છે અને એ સમુદ્ર પણ (બહુમાં બહુ) સો જન જેવડે છે. સર્વદા ભમતો સૂર્ય આકાશનું માપ કાઢી શકે છે આકાશને છેડે કાઢી લાવે છે. આ પ્રમાણે મોટે ભાગે (સર્વ) પદાર્થો સ્કુરાયમાણ સીમારૂપ મુદ્રાથી અંકિત છે; પરંતુ સજજનેની પ્રજ્ઞાન વિકાસ નિઃસીમ હાઈ ૨૫ વિજયી વર્તે છે. જેનાથી હું વાદમાં છતાઉં તેને હું શિષ્ય થાઉં એવી તેની પ્રતિજ્ઞા હતી. ક્રમે કરીને વૃદ્ધવાદીની કીર્તિ સાંભળીને તે તેની સમુખ દોડતે આવ્યા. સુખાસનમાં આરૂઢ થઈને એ “ભૂગુપુર ગયે. તે વારે “ભૃગુકચ્છ થી નીકળેલા વૃદ્ધવાદી માર્ગમાં (જ સામા ) મળ્યા. પરસ્પર વાતચિત થઈ. સિદ્ધસેને કહ્યું કે (મારી) સાથે વાદ ૩૦ કરો. સૂરિએ કહ્યું કે કરીએ છીએ, પરંતુ અત્ર સભાસદે વિના વાદમાં છત્યા હાર્યાનું કેણ (નિર્ણાત્મક) કથન કરશે? સિદ્ધસેને ૧ આ બરાબર ધ્યાનમાં આવતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004892
Book TitleChaturvinshati Prabandh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherFarbas Gujarati Sabha
Publication Year1944
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy