SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ gયા ] ચતુર્વિશતિપ્રબન્ધ બંને જણે ઉતરતી રસોઈ લીધી. ભોજન બાદ માતાએ દિગંબરને કહ્યું કે હે વત્સ ! આ તાંબરે શુદ્ધ છે; તું આધાકર્મની ચિન્તા કરતો નથી. એઓ તે કહે છે કે જે લેભી આધાકર્મ ભજન કરે છે અને યથાર્થ રીતે પ્રતિક્રમણ કરતું નથી તે સર્વ તીર્થકરોની આજ્ઞાથી વિમુખને આરાધના (સંભવતી ) નથી. વળી તેઓ આ પ્રમાણે આચરણ પણ કરે છે, ૫ વાતે જે તને મોક્ષની ઈચ્છા હોય તે તેને મળ. (આ પ્રમાણેના ) માતાના વચનથી પ્રતિબંધ પામી સુવર્ણકીતિએ શ્વેતાંબર દીક્ષા ગ્રહણ કરી. તેમનું જીવદવસૂરિ એવું નામ દશે દિશામાં વિસ્તાર પામ્યુંપ્રસિદ્ધ થયું. પાંચસે મુનિઓ સાથે વિહાર કરતાં તેઓ ભવ્ય (છો)ના મિથ્યાદિ રોગનું સુંદર દેશનારૂપ અમૃત વડે નિરાકરણ કરતા હતા. ૧ એક દહાડે આચાર્યશ્રીની દેશના(સમયે) કોઈ યોગી આવ્યો. તે લોક્યજયિની” વિદ્યા સાધવા માટે બત્રીસ લક્ષણોથી વિભૂષિત પુરુષને શોધતે હતે. તે કાળમાં તેના ત્રણ જ હતા–એક વિકમદિય, બીજા જીવેદેવરિ અને ત્રીજે તે લેગી જ બીજું કઈ નહિ. રાજાને તે વધ કરાય નહિ. મનુષ્યની ખોપરીમાં એકપુટી ભિક્ષા ૧૫ છ મહિના સુધીમાં મગાય અને ખવાય તે તે (વિદ્યા) સિદ્ધ થાય, તેથી સૂરિને છળવાને તે આવ્યું. “સૂરિ મન્ત્રના પ્રભાવથી સૂરિનાં વસ્ત્રો જ નીલવર્ણી બન્યાં, નહિ કે તેને દેહ. ત્યાર પછી ગુરુ પાસે બેઠેલા ઉપાધ્યાયની જીભ તેણે બંધ કરી દીધી. શ્રીજીવદેવસૂરિની નજર પડતાં પિતાની જીભે ગાયુપર્યસ્તિકા તેણે બાંધી. (આથી) સભ્ય જનો બીવા લાગ્યા. આચાર્યો તેનું કીલન કર્યું. ત્યારે તેણે ખડી વતી ભૂમિ ઉપર લખ્યું કે ઉપકારીના ઉપર ઉપકાર તે સર્ચ લેક કરે છે; પરંતુ અવગુણ કરતો હોય એવા અવગુણી ઉપર પણ જે ઉપકાર કરે છે તેવાને માતા ભાગ્યે જ જન્મ આપે છે. હું તમને છળવા માટે આવ્યો હતો તે તમે જાણ્યું, અને મારું સ્તંભન કર્યું. હવે ૧૫ પ્રસન્ન થાઓ, મને છોડે, કૃપા કરો ઇત્યાદિ (તેણે કહ્યું). એથી મહેરબાનીની રૂએ પ્રભુએ તેને છોડી મૂક્યો એટલે તે “વાયટ' નગરની બહાર મઠમાં જઈને રહ્યા. પ્રભુએ પિતાના ગચ્છને બોલાવી કહ્યું કે અમુક દિશામાં (પેલો) દુષ્ટ યોગી (ગામની) બહાર મઠમાં (રહે) છે, (વાસ્તે) તે દિશામાં ૧ આથી તાંત્રિક વિધિ અનુસાર બંધન સંભવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004892
Book TitleChaturvinshati Prabandh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherFarbas Gujarati Sabha
Publication Year1944
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy