SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરાજશેખરસૂરિષ્કૃત (૩) શ્રીજીવદેવસૂરિના પ્રબન્ધ * " ૫ ' ' ‘ ગૂર્જર' ભૂમિમાં વાયુ દેવતાએ સ્થાપન કરેલું એવું ‘ વાયટ નામનું મહાસ્થાન હતું. ત્યાં ધર્મદેવ નામને નિક શ્રેષ્ઠી ( વસતા ) હતા. તેની શીલવતી નામની પત્ની દેહધારી ગૃહલક્ષ્મી જેવી હતી. તે ( દ ંપતી )ને મહીધર અને મહીપાલ (નામના ) એ પુત્રા હતા. મહીપાલ ( બહુ ) રમતિયાળ હોઇ કળાના અભ્યાસ કરતા નહિ, તેથી તેના પિતાએ તેને હાંકી કાઢયા. આથી ગુસ્સે થઇ તે અન્ય દેશમાં ગયા. ધર્મદેવ શ્રેષ્ઠી પરલાક પામ્યા અને મહીધરે ‘ વાયટ ' ગચ્છના શ્રીજિનદત્તસૂરિના ચરણે દીક્ષા લીધી. તેઓ શિપ્લસૂરિ નામના આચાયૅન્દ્ર બન્યા. મહીપાલ પણ પૂર્વ દિશામાં આવેલા ‘ રાજગૃહ ’ નગરમાં દિગંબર આચાર્ય કને દીક્ષા લઇ આચાર્ય-પછી પામ્યા. તેમનું સુવર્ણકીર્તિ એવું નામ પ્રખ્યાત થયું. તેમના ગુરુ શ્રુતકીર્તિએ તેમને એ વિદ્યા આપીઃ (૧) ચક્રેશ્વરી–વિદ્યા અને (૨) ૧પરકાયપ્રવેશ—વિદ્યા. ૧૫ ધર્મદેવનું મરણ થતાં શીલવતી (ધણી ) દુ:ખી થઇ ગઇ; કેમકે જેવી મેઘ વિનાની નદી(ની), ચંદ્ર વિના રાત્રિ(ની) અને સૂર્ય વિના કમલિની(ની) દશા ) થાય છે તેવી પતિ વિના કુલવધુ(ની દશા) થાય છે. રાજગૃહ 'માંથી આવેલા પરિચિત મનુષ્યને મેઢે પોતાનો પુત્ર સુવર્ણકીર્તિ ત્યાં રહેલા છે એમ જાણીને તેને મળવા તે પોતે ત્યાં ગઇ. પોતાના પુત્ર સુવર્ણકી તેમને મળ્યા. માતા અને પુત્ર વચ્ચેના પ્રેમ ઉજ્યેા. એક દિવસે તેણે સુવર્ણકીર્તિને કહ્યું કે તારા પિતા સ્વર્ગે ગયા અને તું અહીં આચાય છે. મહીધર પણ રાશિલ્લસરિના નામથી શ્વેતાંબર આચાર્યના પદે છે અને તે · વાયટ ' દેશમાં વિચરે છે. તમે બંને એકમત થઇ એક ધર્મ પાળા. ( એમ કહી ) તે તેમને વાયટ લાવી. બંને બંધુએ એકઠા મળ્યા. માતાએ સુવર્ણકીને કહ્યું કે હે વત્સ ! તું શ્વેતાંબર થા. સુવર્ણકીત કહેવા લાગ્યા કે રાશિલ્લસૂરિ મારી માફક દિગંબર આચાર્ય થાએ. એમ ચાલતું હતું તેવામાં માએ એ જાતની રસાઇ કરાવીઃ (૧) એક વિશિષ્ટ ( સારી ) અને ખીજી કુટુંબ માટે મધ્યમ (સાધારણ ). દિગંબરને પહેલા ખાલાવ્યા. તે સ્વેચ્છાએ વિશિષ્ટ રસાઇ જમવા લાગ્યા; ઉતરતી રસાઇ તે તે જોતા પણ ન હતા. રાશિપ્લસરિના એ શિષ્યા આવ્યા. નિજૅરાના અભિલાષી તે ૧ એના સ્વરૂપ માટે જીએ યોગશાસ્ત્ર (પ્ર. ૫)ના અંતિમ ભાગ. k " * ૧૨ ૧૦ ૨૦ ૨૫ 30 Jain Education International [રૂ શ્રીનીવવૈષતિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004892
Book TitleChaturvinshati Prabandh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherFarbas Gujarati Sabha
Publication Year1944
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy