SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયા ] ચતુર્વિશતિપ્રમન્ય ૧૫ પ્રસિદ્ધ કરાયું. આપ્ત મનુષ્યા દ્વારા રાજ્યનાં સર્વ અંગેાની રક્ષા કરાવી. તે વીસલને લઇ ઉત્તમ ઘેાડાના ૧ખુરપુટ વડે ક્ષુણ્ણ બનેલ ભૂમિપીઠ ઉપરથી ઉછળતી રજના સમૂહ વડે આકાશને ભ્યાસ કરતા અને રાજયના ક્રૂર તરવાર, શલ્ક અને ભાલાનાં કરણાથી સૂર્યનાં કિરણાને અમણાં પ્રકાશિત કરતા તે વીરમની સામે ગયા. ભીષણ યુદ્ધ થયું. પેાતાના બળને માટે અવકાશ નથી એમ માની વીરમ નાસીને પોતાના સસરા રાજા ઉદયસિંહુ વરે અધિષ્ઠિત જાવલપુર' ભણી ગયેા. ચતુરાથી તેને આશય જાણીને મંત્રીએ સેળ યાજન જાય તેવા પુરુષાને ઉદયસિંહ પાસે મેાકલ્યા અને કહેવડાવ્યું કે રાજા સાથે દુશ્મનાવટ રાખનારા આને જો તમે જમાઇના સંબંધથી તમારે ત્યાં આશ્રય આપશે તે તમારૂં રાજ્ય નહિ રહે તેમજ તમે જીવતા પણ નહિ રહેશે; (વાસ્તે) એને મારી જ નંખાવશે. ત્યાર બાદ વીરમ ‘ાવાલિપુર’ના ઉદ્યાનમાં પહોંચ્યા ત્યારે થાક લેતા, અંગરક્ષિકાને ઉતારતા અને આળસ મરડતા (?) એવા તેના શરીરને ઉદ્ભયસિંહે નીમેલા બાણાવલિઓએ સેંકડા બાણા વડે ચાલણી જેવું કરી નાંખ્યું. (અને એથી) એ ત્યાં મરણ પામ્યા. ઉદયસિંહે તેનું મસ્તક વીસલદેવને મેાકલી આપ્યું. તેથી વીસલદેવનું રાજ્ય નિષ્કંટક બન્યું. જેટલું (રાજ્ય) વીરધવલે કબજે કર્યું હતું તેનાથી (વીસલદેવનું) જરા પણ ન્યૂન ન હતું, કિન્તુ પ્રસાર વધવાથી વીસલે શ્રીવસ્તુપાલને લધુ રૂપે જોયા. જેમ જેમ પુરુષ સંપત્તિઓના અગ્ર ભાગે ચઢતા જાય છે તેમ તેમ તે મેાટાઓને પણ નાના તરીકે જુએ છે. રાજાએ નાગડ નામના બ્રાહ્મણને પ્રધાન બનાવ્યેા. (પેલા) એ મંત્રીએને કેવળ લધુ શ્રીકરણ આપ્યું. રાજાને એક સમરાક નામે પ્રતીહાર હતા. તે સ્વભાવે નીચ હતા. પહેલાં અન્યાય કરતા એવા તેને મંત્રી શ્રીવસ્તુપાલે પીડા કરી હતી. અવકાશ મળતાં તેણે રાજાને કહ્યું કે આ એની પાસે અનંત ધન છે તે તમે માગા. રાજાએ પણ તેમને ખેલાવી કહ્યું કે ધન આપે!. તેમણે કહ્યું કે ‘શત્રુંજય' વગેરે (સ્થળેા)માં દ્રવ્ય ખર્ચી નાંખ્યું હાવાથી અમારી પાસે દ્રષ્ય નથી. રાજાએ કહ્યું કે તે દિવ્ય આપે (કરા ?). મંત્રીઓએ કહ્યું કે આપને જે દિવ્ય ગમે તેની આજ્ઞા આપે. રાજાએ ઘટસર્પ આગળ ધર્યાં. લવણપ્રસાદ તેવારે જીવતા હતેા. તેણે એ અકૃત્યના નિષેધ કર્યાં, પરંતુ નવીન ગર્વને લીધે રાજાએ તેનું વચન કાને ધર્યું નહિ. તેવારે ૧ ખરી. Jain Education International For Private & Personal Use Only ૨૧૫ ૧૦ ૨૦ ૨૫ ૩. www.jainelibrary.org
SR No.004892
Book TitleChaturvinshati Prabandh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherFarbas Gujarati Sabha
Publication Year1944
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy