SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરાજશેખરસૂરિકૃત [ શ્રીયસ્તુપાહ ' પુણ્યશાળીઓની પત્ની આપતી નથી ? હું રાજ્યની સ્વામિની ! પ્રાસાદ જલદી કેવી રીતે તૈયાર થાય તેના ઉપાય તું કહે. દેવીએ કહ્યું કે હે નાથ ! રાતના સૂત્રધારા જુદા અને દિવસના જુદા રાખવા જોઇએ. એક કડાઇ ચડાવા. અમૃતનું ભાજન કરાવા. સૂત્રધારાને આરામને ૫ લાભ (મળવા)થી રાગ નહિ થાય. એ પ્રમાણે ચૈત્ય જલદી તૈયાર થશે. આયુષ્ય (તા નિત્ય ધટતું) જ જાય છે. લક્ષ્મી (પણ) અસ્થિર જ છે; કેમકે (કહ્યું પણુ છે કે) મૃત્યુએ દેશ વડે જાણે પકડવા હાય તેમ બુદ્ધિશાળાએ ધર્મ આચરવા અને કદાપિ ઘડપણુ કે મરણુ આવનાર જ નથી એમ સમજી વિદ્યા અને અર્થનું ચિન્તન કરવું. સરસ્વતીની ૧૦ વીણાના અવાજના જેવી કામળ વાણીથી આ પ્રમાણે કહીને તે સુલક્ષણા (સુંદરી) નિવૃત્ત થઇ-શાંત ઊભી રહી. મંત્રીએ સર્વે દેશના કમઁસ્થાયાને વિષે એ જ રીતિ શરૂ કરી. બધું થાડા જ દિવસમાં તૈયાર થઇ ગયું. મંત્રી ધેાળકે ' ગયેા. કેટલેક દિવસે વધામણી ખાનાર મનુષ્ય આવ્યે ( અને ખેલ્યા કે ) હે દેવ ! ‘ આખુ ’ગિરિ ઉપર નેમિનું ચૈત્ય તૈયાર થજી ગયું છે. અંતે ભાઇએ ખુશ થયા. ફરીથી ત્યાં તેઓ સંધ સહિત પ્રાસાદની પ્રતિષ્ઠા માટે ગયા. ત્યાં ‘જાવાલિપુર'થી શ્રીયશાવીર નામે ભંડારી કે જે સરસ્વતીકંઠાભરણરૂપે પ્રખ્યાત હતા તેને ખાલાવ્યા એટલે તે આવ્યા. સાક્ષાત્ ન્યાય, વિક્રમ અને વિનય જાણે એકત્ર મળ્યા હાય તેમ વસ્તુપાલ, તેજ:પાલ અને યાવીર ભેગા મળ્યા. ૮૪ રાણા, ૧૨ મંડલીક, ૪ મહીધર અને ૮૪ મહાજને એમ સભા થઇ. તેવારે વસ્તુપાલે યાવીરને કહ્યું કે હે ભંડારી ! વત્સરાજના યોગ ધરાયણની જેમ તમે રાજા ઉદ્દયસિંહના મંત્રી છે. સ્વસ્થાનમાં રહી અમે તમારી સ્તુતિ સાંભળી છે જેમકે મધ્યમાં શુન્ય એવાં બિન્દુએ નકામાં છે, પરંતુ તમે એક આગળ થતાં તે સંખ્યાવાળાં અને છે. હું યશાવીર ! વિધાતા તમારી કીર્તિને ચંદ્ર ઉપર લખવા જાય છે તા પહેલા બે અક્ષરા પણુ ત્રિભુવનમાં સમાતા નથી. એ જ કારણથી અમારૂં અંતઃકરણ સર્વદા આપના દર્શન માટે ઉત્કંઠિત રહેતું હતું. હાલ આપની સંગતિ રૂડી રીતે પ્રાપ્ત થઇ. તે પણ વિશેષે કરીને નૈમિની દૃષ્ટિ આગળ. ત્યાર બાદ યોાવીરે કહ્યું કે શ્રીથી યુક્ત કર્ણ—પરંપરાથી આવેલ આપના કલ્યાણની કીર્તિ સાંભળીને પ્રીતિ પામેલ એવું અમારૂં મન આપના દર્શન માટે આતુર હતું. સાંભળીને સદા ખાતરી ૨૫ ૧ વધામણીએ. ૧૨ ૧૫ ૨૦ ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004892
Book TitleChaturvinshati Prabandh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherFarbas Gujarati Sabha
Publication Year1944
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy