SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ શ્રી રાજશેખરસૂરિત [ [પારઘેર જવા રજા આપી. ત્યાં મંગલ કરવા માટે લોક આવવા લાગ્યા. કિમે કૂલ મળતાં. એ પ્રમાણે ફૂલની માળાને લેકે ખર્ચ કર્યો. આ તરફ “નાગપુર માં સાધુ દેહાને પુત્ર સાધુ પૂનડ કે જેને શ્રીમેજદીન સુરત્રાણની પત્ની બીબીએ પિતાને ભાઇ કરી મા ૫ હતો તે અશ્વપતિ, ગજપતિ અને નરપતિને માન્ય બની વિજયવતે વર્તતો હતો. તેણે સૌથી પ્રથમ “બખેરપુરથી વિક્રમ સંવત ૧૨૭૩ વર્ષે “ શત્રુંજય માં યાત્રા કરી અને સુરત્રાણુની આજ્ઞાથી ૧૨૮૬ મે વર્ષે “નાગપુર થી બીજી (યાત્રા) કરવા તે નીકળ્યો. તે સંધમાં ૧૮૦૦ ગાડાંઓ અને પુષ્કળ મહાધરો હતાં. કુમાર તે સાથે જેવો “માંડલ્યપુર” આવ્યો તે તેજ:પાલ સંઘ સંમુખ આવી તેને “ધોળકે લઈ ગયે. શ્રીવાસ્તુપાલ સંમુખ આવ્યો. સંઘની રજ પવનની અનુકુળતાથી જે જે દિશામાં ઉડતી ત્યાં ત્યાં તે જતો. પાસે ઉભેલા માણસેએ કહ્યું કે હે. મંત્રીશ્વર ! આ તરફ રજ છે. આ તરફ પધારો, ત્યારે મંત્રીએ કહ્યું કે આ રજને સ્પર્શ કરવાનું પુણ્ય વડે પ્રાપ્ત થાય છે. આ રજ વડે ૧૫ સ્પર્શતાં પાપરૂપ રજ દૂરથી (જ) નાશ પામે છે, કેમકે તીર્થોમાં ભમતાં જેઓ શ્રીનાથના માર્ગની રજથી (પાપરૂ૫) રજ વિનાના બને છે તેઓ સંસારમાં ભમતા નથી. (યાત્રા જવામાં) દ્રવ્ય ખરચવાથી આ લેકમાં તેઓ સ્થિર સંપત્તિવાળા બને છે અને જગતના નાથની પૂજા કરતાં તેઓ પૂજ્ય બને છે. ત્યાર બાદ સંઘપતિ પૂનડ અને મંત્રીનું પરસ્પર ગાઢ આલિંગન થયું તેમજ તે બે વચ્ચે પ્રિય વાર્તાલાપ થયો. સંધ સરોવરને તીરે રહ્યો. પૂનડે કુલગુરુ માલધારી ” શ્રીનરચન્દ્રસૂરિનાં ચરણને પ્રણેમ કર્યો. રાત્રે શ્રીવાસ્તુપાલે પુણ્યાત્મા પૂનડને કહેવડાવ્યું કે સવારે સકળ સંઘે તેમજ તમારે અમારી રસોઈના અતિથિ થવુંઅમારે ત્યાં ભોજન કરવું, ધૂમાડે નહિ કરો. પૂનડે તે પ્રમાણે કબૂલ કર્યું રાત્રે બે ધારવાળો મંડપ તેમજ (સવારે) રાઈનો પ્રકાર (તૈયાર) થયા. બધું તૈયાર થયું. સવારે નાગપુરવાળા આવ્યા. બધાંનાં પગ દેવા અને તિલક કરવું એ કામ શ્રીવાસ્તુપાલ પિતાને હાથે કરતે. એમ બે પ્રહર લાગ્યા. મંત્રી તે તે જ નિર્વિરણ હતું. તે વખતે તેજપાલે વિજ્ઞપ્તિ કરી કે હે દેવ ! અમે બીજા પાસે પણ સંઘના પગ ધોવા વગેરે કામ કરાવીશું; તમે ભોજન કરે. (પછી) તાપ થશે. મંત્રીએ કહ્યું કે એમ ન બેસે. પુથી આ અવસર મળે છે. ગુરુએ પણ કહેવડાવ્યું કે જે કુળમાં જે મુખ્ય પુરુષ હોય તેનું જ યત્ન વડે રક્ષણ થવું જોઈએ. ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004892
Book TitleChaturvinshati Prabandh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherFarbas Gujarati Sabha
Publication Year1944
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy