SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાજશેખરસૂરિકૃત [જીવતુપાલાગીને ક્ષમા યાચી તે ચાલ્યો ગયો). કેશને અંતે એક ગામ આવ્યું. ત્યાં તેણે સ્નાન ભોજન અને વિલેપન કર્યું. ત્યાર બાદ તેણે પોતાના નોકરરૂપ એક પ્રધાનને બોલાવી હુકમ કર્યો કે દશ હજાર સુવર્ણબદરકથી યુક્ત આ પાલખી સુરિને મઠમાં આપી દેવી. મંત્રીને સેવક ત્યાં ગયો. તેણે સૂરિને કહ્યું કે આ મંત્રીએ આપ્યું છે તે લે. આચાર્ય જોયું. ઘડે ચઢી સેંકડે સુભટોએ ઉલ્લાલિત તરવારના જળ વડે અવાજોને ડૂબાડી દેતા તેઓ જ્યાં વસ્તુપાલ હતા ત્યાં ગયા અને તેમણે તેને કહ્યું કે હે પ્રધાન! શું હું ઉચિત બેલનાર છું કે ચારણ કે બંદી કે સર્વ સિદ્ધાંતને વિષે પારંગત યથાર્થ જૈન સૂરિ છું? માનસિક હર્ષભેર-ઉલ્લાસથી ૧૦. મેં જે તમારું કીર્તન કર્યું તેના મૂલ્યરૂપ આ તમારી બક્ષીસ હું કેવી રીતે લઉં? મેં કંઈ પૈસા (મેળવવા) માટે આ કહ્યું ન હતું, પરંતુ અદ્યાપિ જિનેશ્વરને સિદ્ધાંત જયવતે વર્તે છે એમ મનમાં વિચારી કહ્યું હતું. મંત્રીએ કહ્યું કે આપ ઈચ્છા રહિત હોઈ એ લેતા નથી અમે પણ એ આપેલું હોવાથી પાછું લઈ શકતા નથી. તે આ સુવર્ણનું ૧૫ શું કરવું તેની શિક્ષા આપ આપે. ત્યારે સૂરિએ જગતને વિષે અદ્વિતીય દાતાર એવા મંત્રીને કહ્યું કે હાલ તમે તમારે ઘેર જાઓ છો કે કઈક તી? મંત્રીએ કહ્યું કે હે પ્રભુ! અમે શ્રી(મુનિ)સુવ્રત તીર્થને વંદન કરવા ભગુપુર' જઈએ છીએ. આચાર્ય કહ્યું કે આ સુવર્ણ ખરચવાને ઉપાય મળી આવ્યા છે. ત્યાં લેપ્યમય પ્રતિમા છે. ત્યાં શ્રાવકેનો સ્નાત્રસુખાસિકાનો મનોરથ પૂર્ણ થતો નથી. તેથી આ (દ્રવ્ય) વડે સોનાની સ્નાત્રપ્રતિમાં તમે કરાવો. મંત્રીનું મન માન્યું. તેણે તે તેમ જ કર્યું. ત્યાર બાદ “ગૂર્જર” મંત્રી પિતાને ઘેર આવ્યા. એક દિવસ સવારે આરસીમાં (પિતાનું) મુખ જોતાં મંત્રીએ એક ધોળે વાળ જોયે. (તે ઉપરથી) તે બોલ્યો: કોઈ કળાને ૨૫ અભ્યાસ ન કર્યો, કઈ તપશ્ચર્યા ન કરી તેમજ પાત્રને કંઈ આપ્યું નહિ. એમ મધુર ઉમર ચાલી ગઈ. આયુષ્ય, યૌવન અને ધન જ્યારે (કેવળ) સ્મરણ(માત્ર) રહે છે ત્યારે જેવી બુદ્ધિ થાય છે તેવી જો પૂર્વે થતી હોય તે ઉત્તમ પદ (મોક્ષ) દૂર નથી. અંદરથી મસ્તકે ચઢતું ઘડપણ ઉન્નતિનો વિસ્તાર કરે છે, પરંતુ મસ્તકથી અંદર ઉતરતું ઘડપણ નીચતા દેખાડે છે. લેક મને પૂછે છે કે તારે શરીરે કુશળ છે ? (પરંતુ) દરરોજ આયુષ્ય (ક્ષીણ થતું) જાય છે તે પછી અમને ક્યાંથી કુશલ હેાય? તેથી તેણે જિનધર્મમાં વિશેષ રમણતા કરવા માંડી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004892
Book TitleChaturvinshati Prabandh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherFarbas Gujarati Sabha
Publication Year1944
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy