SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ શ્રીરાજશેખરસૂરિકૃત 'ઘાયરસુખઆવ્યું. પિતાના સ્વામી, વીર અને પરિગ્રહકેને સંતોષ થશે. તે ઉપરથી કવીશ્વરએ સ્તુતિ (કરી કે, હે શ્રીવાસ્તુપાલ! પ્રતિપક્ષના કાળ ! તે ખરેખર પુરુષોત્તમપણું પ્રાપ્ત કર્યું; કેમકે સાગરને તીરે મસ્યનું રૂપ ધારણ કર્યા વિના શેખને તે છે. જ્યાં સુધી સમુદ્ર પામુદામાં સહચરના હાથમાં આવ્યો નથી ત્યાં સુધી (જ) તે લીલા (માત્ર)માં નદીઓને કળીઓ કરે છે, તેનાં મજા આકાશને અડકે છે, તીવ્ર ધ્વનિ વડે તે શબ્દાયમાન છે, તેની સીમા જણાતી નથી અને નાચતા કુદતા કમઠ, મગર વગેરેને તે તે બંધ છે. પછી ચક્ષવાટિ અને નૈવિસ્તકવાટિ તેણે જુદી કરી. મંત્રીએ “મહારાષ્ટ્ર પર્યત ભૂમિ સાધી. સમુદ્રતટે આવેલા નરેશ્વરો કે જેમના ઉપર બીજા રાજાએ આક્રમણ કરતા હતા તેમનું પ્રતિગ્રહ મોકલીને મંત્રીએ સાન્નિધ્ય કરી તેમને જયલક્ષ્મી આપી. એ કારણથી પ્રસન્ન થયેલા તેઓ ભેટ તરીકે ઉત્તમ વસ્તુઓથી ભરપૂર વહાણ મેકલતા. અંબિકા અને ક્ષદ રાત્રે આવી નિધાનભૂમિ કહેતાં–બતાવતાં. તે નિધિઓ મંત્રી ખોદી બેદીને ૧૫ લઈ લે. તેના ભાગ્યથી દુષ્કાળનું (તો) નામે ન હતું. વિશ્વ દૂરથી (જ) નાશ પામ્યા. “મુદગલ'નાં સૈન્ય વારંવાર આવતાં, પરંતુ એક વાર તેને નાશ કરાતાં તે ફરીથી આવતાં નહિ. ૫૯લીવનમાં તેણે દુકૂળે અને નાગોદરો બાંધ્યા, (પરંતુ) કે તે લેતું નહિ. તેણે ગામે ગામે સત્ર મંડાવ્યાં. સ સત્રે તેણે મિષ્ટાન્ન અને ઉપરથી વળી તાંબૂલ રખાવ્યાં. ત્યાં માંદા(ની સારવાર) માટે વિવિધ વેદો તેણે મોકલ્યો. મન્નીની વ્યવસ્થાથી દર્શનને અને વર્ણને દ્વેષ થયો નહિ. દરેક વર્ષે પિતાના દેશમાંનાં બધાં નગરોમાં ત્રણ ત્રણ વાર વેતાંબરને પ્રતિલાભના અને બાકીનાં દર્શનની પણ પૂજા થતી. શ્રીવાસ્તુપાલ પ્રધાનની લલિતાદેવી અને સેષ નામની બે પત્નીએ ક૯૫લતા અને કામધેનુ જેવી હતી. લલિતાદેવીને પુત્ર અને સૂણવદેવીને પતિ મંત્રી જયંતસિંહ સાક્ષાત ચિતામણિ જેવો હતો. તેજપાલની પત્ની અનુપમા અનુપમ જ હતી. કવિએ કહ્યું પણ છે કે લક્ષ્મી ચપળ છે, એ પાર્વતી ચંડી છે, ઇન્દ્રાણીને સાપન્યને દોષ છે–સપત્નીનું સાલ છે, ગંગા નીચે જનારી છે અને સરસ્વતી વાણના સારવાળી છે, તેથી અનુપમા (અસાધારણ જ) છે. શ્રી શત્રુંજય” વગેરેને વિષે નંદીશ્વરેન્દ્ર મંડપ વગેરે કાર્યો તેણે શરૂ કરાવ્યાં. ત્યાં ત્યાં આરાસણ વગેરે (પાષાણ) દળે જમીનને રસ્તે તેમજ જલમાર્ગ પ્રાપ્ત થતાં. તપશ્ચર્યા અને ઉદ્યાપનને પણ પ્રકાશ થઈ રહ્યો. ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004892
Book TitleChaturvinshati Prabandh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherFarbas Gujarati Sabha
Publication Year1944
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy