SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ શ્રી રાજશેખરસૂરિકૃતિ શિવસ્તુurતેના હાથનું આ બળ તું જે. એમ કહીને તે જેરથી લ. મંત્રી અને મંડલીક વચ્ચે ઠંદ્વયુદ્ધ થયું. ત્યાર બાદ એકાએક દેવતાના અને હાથના બળથી મંત્રીએ તેને ઘેડા ઉપરથી પાડી નાંખે. જીવતે બાંધીને તેણે તેને લાકડાના પાંજરામાં નાંખે. (પછી) તે (તેને) પિતાની સેનામાં લઈ આવ્યો. પુષ્કળ પરિવારવાળા તેણે પિતાની મેળે ગધ્રામાં પ્રવેશ કર્યો. ૧૮ કરેડ સેનાને ખજાનો, ૪૦૦૦ ઘોડા, શુદ્ધ મોતીને એક મૂડો, દિવ્ય અસ્ત્રો, દિવ્ય વસ્ત્રો ઈત્યાદિ બધું તેણે લઈ લીધું. ઘૂઘુલને સ્થાને તેણે પોતાના સેવકને સ્થાપે. (ત્યાંથી પાછા) વળી મંત્રી ધોળકે ગયો. તેણે ઘઘુલની લક્ષ્મી વિરધવલને બતાવી. તેની કાજળની દાબડી તેને ગળે બાંધવામાં આવી અને સાડી (તે) વંઠને પહેરાવી. તે વેળા દાંતે પિતાની જીભ કરડીને ઘૂઘુલ મુ. ધોળકામાં વધાઈ ગઈ. વીરધવલે મેટી સભામાં શ્રી તેજપાલને બોલાવી તેને પોશાક પહેરાવ્યો. તેણે કૃપા તરીકે બહુ સેનું આપ્યું. તે પ્રસંગે શ્રીવરધવલે કવીશ્વર સેમેશ્વર તરફ દૃષ્ટિ કરી. તેથી સેમેશ્વરદેવે કહ્યું કે માર્ગ કાદવ વડે દુસ્તર (બ) હેય, જળથી ભરાઈ ગયેલે રસ્તે હોય, સેકડો ખાડાઓથી માર્ગ વ્યાપ્ત હોય, ગાડાના બળદ થાકી ગયા હોય, ભાર સહન કરવો મુશ્કેલ હોય, કિનારે બહુ દૂર ગયો હોય એવા ગહન (સમય)માં (એક વીર)ધવલ વિના એ ભાર સહન કરવાને બધું સાંગોપાંગ પાર ઉતારવાને કાણુ સમર્થ છે એમ હું તર્જની ઊંચી કરી મોટા શબ્દ કહું છું. સભા વિસર્જન કરાઈ. વસ્તુપાલ અને તેજપાલ એકઠા મળ્યા. તેમણે ઘણી વખત સુધી વાત કરી. પ્રસન્ન થયેલા બંને મંત્રણું કરવા લાગ્યા કે પુણ્ય વડે મળેલું આ દ્રવ્ય ધર્મમાં જ ખરચવું જોઈએ; તેથી તેઓ સવિશેષ તેમ જ કરવા લાગ્યા. તે ઉપરથી કઈક કવિએ કહ્યું કે કદાપિ માર્ગે એકલા ન જવું એ પ્રમાણે સ્મૃતિમાં કહેલું યાદ રાખતાં તે બે ભાઈઓ સંસાર અને મોહરૂપ ચરથી આકુળ એવા ધર્મરૂપ માર્ગમાં એકઠા મળી ચાલે છે. ત્યાર બાદ એક દહાડો) શ્રીવાસ્તુપાલ શુભ મુહૂર્તમાં “સ્તંભ” તીર્થ ગમે. ત્યાં ત્યારે વર્ષે મળ્યા. તેણે બધાને દાન આપી સંતોષ પમાડયો. ત્યાં સદીક નામને વહાણવટી રહેતો હતો. સર્વ બંદરે વૈભવમાં વધારો થવાથી મહાધનિક બનેલ અને ઊંડા મૂળવાળો તે અધિકારીને પ્રણામ કરવા આવતે નહિ. ઉલટું તેની પાસે અધિકારીને જવું પડતું એ પ્રમાણે ઘણે કાળ (વીતી) ગયો. પહેલાં મંત્રીશ્વરે ૨૦ ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004892
Book TitleChaturvinshati Prabandh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherFarbas Gujarati Sabha
Publication Year1944
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy