SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાજશેખરસૂરિકૃત [છીeતુvસિંહની સેનાના ચરેએ જઈને તે (વાત) જાણી (અને પાછા આવી) ત્યાં કહ્યું કે વિરધવલ કુશળ હેઈ ગાજી રહ્યો છે. એમ હેઈ જેમ (ગ્ય) જાણે તેમ કરો. ત્યાર બાદ ભીમસીંહને તેના મંત્રીઓએ વિજ્ઞપ્તિ કરી કે હે દેવ ! આ તો મૂળ ઘાલીને (પડેલે) દેશપતિ છે. એની સાથે વિરોધનું ફળ સારું નહિ આવું. તેથી સંધિ (કરવી) ઉત્તમ છે. ભીમસિંહે તેમનું વચન માન્યું, પરંતુ યુદ્ધનો આડંબર કર્યો. બંને પરસ્પર જેવા મળ્યા તેવા ભાટોએ વચ્ચે પડી મેળ કરાવ્યો. ઊપરવટ ઘેડ રાણુને (પાછા) આપવામાં આવ્યા. ભીમસિંહે ફક્ત “ભદ્રેશ્વરની વૃતિ લેવી અને બિરદ ન બેલાવવાં એવી વ્યવસ્થા થઈ. એ પ્રમાણે (પ્રબન્ધ) કરીને શ્રીવરધવલ દાન દેતે ધોળકા આવ્યા. ધીરે ધીરે ઉત્તમ પ્રાણ પ્રાપ્ત થતાં તેણે પેલા અપરાધી ભીમસિંહને મૂળથી ઉચ્છેદ કરી પૃથ્વીને એક વીરવાળી બનાવી. એ પ્રમાણે “ધોળકા'માં કાર્ય કરતા એવા તેનાથી ક્ષેભ પામેલા પુષ્કળ પર રાષ્ટ્રના રાજાઓએ તેને ધન આપ્યું. તે ધન વડે તેણે સૈન્ય જ એકઠું કર્યું. રાજવંશી રાજપુત્રનાં ૧૪૦૦ મેટાં કુળો ભેગાં કર્યો. સમાન ભજન, વસ્ત્ર, ભાગ અને વાહનવાળાં તેઓ શ્રીતેજપાલની સહચારિણીની છાયાની પેઠે સમાન જીવન અને મરણરૂપેતેના જીવે જીવન અને મરણે મરણ કરીને રહ્યાં. તેમના બળથી, સૈન્યના પરાક્રમથી તેમજ પોતાના હાથને શૌર્યેથી સર્વ જીતાયું. આ તરફ “મહીતટ' નામના દેશમાં ગોધા' નામે નગર છે કે જ્યાં તે કાર્યોને વિષે યુદ્ધમાં મરેલા રાજપુત્રોનાં ૧૦૧ લિગે પિતાની મેળે ઉત્પન્ન થયાં હતાં. ત્યાં ઘૂઘુલ નામે મંડલીક હતું. તે “ગૂર્જર ભૂમિમાં આવતા સાર્થોને ગ્રહણ કરતે લૂટતે. તે રાણુ શ્રીવરધવલની આજ્ઞા માનત નહિ. વસ્તુપાલ અને તેજ:પાલ પ્રધાનોએ તેની તરફ ભાટને મોકલ્યા અને કહેવડાવ્યું કે અમારા પ્રભુને હુકમ માન, નહિ ૨૫ તે સરાણ, ચામુંડરાજ વગેરેના ભેગો થા. તે સાંભળીને ગુસ્સે થયેલા તેણે તે જ ભાટ સાથે પોતાને માટે મોકલ્યો. તેણે આવીને રાજા શ્રીવરધવલને કાજળની દાબડી અને સાડી એ બે આપ્યાં અને કહ્યું કે મારા અંતઃપુરમાં બધા રાજલક (જ ભરેલા) છે એમ અમારા સ્વામીએ કહાવ્યું છે. રાણાએ તે ભાટને સત્કાર કરી વિદાય કર્યો. તે પિતાને સ્થાને ગયો. રાણુએ પિતાના બધા સુભટને કહ્યું કે ઘઘુલને ૩૦. નિગ્રહ (કરવા) માટે કશું બીડું ગ્રહણ કરે છે ? કોઈએ તેનો આદર કર્યો નહિ. ત્યારે તેજ:પાલે તે લીધું. મેટા સૈન્યરૂપ પરિવાર સાથે તે ૨૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004892
Book TitleChaturvinshati Prabandh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherFarbas Gujarati Sabha
Publication Year1944
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy