SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૧૫ શ્રી રાજશેખરસૂરિકૃત [ સામખેદ છે. પૂર્વ પ્રતિપાદન કરેલું હોવાથી આભડ માન્ય હોવા છતાં રાજાની ઉગ્રતાને લીધે (કંઈ) બોલી શકતે નહિ, પરંતુ તેણે કપટથી (તેનું) રક્ષણ કરાવ્યું. કેવી રીતે ? એક દિવસ આભડે રાજાને વહાલા અને કૌતુકી નામે સીલણને ઘણું સોનું આપીને વિનવ્યો કે તું એવું કર કે જેથી બાકીના પ્રાસાદ બચે. તેણે કહ્યું કે બેફિકર રહો. હું બચાવીશ જ. સીલણે સાંઠાનો એક મહેલ કરાવ્યું. તેણે તેને ઘળા અને ચિત્રા. રાજા પાસે આમ આમ કરવું એમ તેણે પાંચ પુત્રોને શિખામણ આપી. રાજા પાસે ગયેલે સીલણ બે કે હે દેવ! ઘડપણ મારે માથે રહેલું છે. હું પુત્ર અને પૌત્રવાળો થયો છું. જે આજ્ઞા આપે તે હવે હું તીર્થયાત્રા માટે પરદેશ જાઉં. રાજાએ કહ્યું કે જેવી મરજી હોય તેમ તું કર. ત્યાર બાદ પેલા મહેલને અને પુત્રોને લઈને મહાસભામાં રહેલા રાજા સમીપ તે આવ્યો. તેણે પુત્રને રાજાને ભળાવ્યા. અને રાજાના દેખતાં પુને કહ્યું કે આ મારા મહેલનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરજે. (કેમકે) એ મારે કીર્તિદેહ છે. વળી એ પ્રયત્નપૂર્વક બનાવાયેલો છે, તેમણે તે પ્રમાણે કરવા કબૂલ્યું. રાજા વગેરે બધાની રજા લઈ કેટલીક ભૂમિ જેટલે સીલણ આગળ ગમે તેવામાં ખરેખર તેમણે તે મહેલને લાકડીઓ મારીને તરત ભાંગી નાંખે. ખર્કરો સાંભળીને પાછા ફરી સીલણે કહ્યું કે હે અભાગીઆએ ! આ કુપ કરતાં પણ તમે કુપુત્રો છે. આને (ત) પોતાના પિતા મરી ગયા પછી તેનાં ધર્મસ્થાનો પાડી નાંખ્યાં. તમે તે હું સો પગલા પણ ગયો તેટલીએ રાહ ન જોઈ. રાજા શરમાઈ ગયો. તેણે ચિત્યો નહિ પાડવાનો હુકમ કર્યો. તે કનૃપને માતા અને પુત્રને બળાત્કારથી વિપ્લવ કરાવવાની રુચિ ઉત્પન્ન થઈ. તે વઠોને તેમ કરાવતા. એક વાર એક વડે છાનામાના (હાથમાં) ધારી રાખેલી નાની કંકોહકતિકા વડે તેને મારી નાંખ્યો. કેટલાક દિવસ સુધી કીર્તિપાલ નામના રાજપુત્ર “ગુર્જર ભૂમિનું રક્ષણ કર્યું. તેને છત્ર, ચામર વગેરે હતાં નહિ. તે “માલ” સેનામાં મરણ પામતાં “ગૂર્જર” ભૂમિમાં ભીમદેવ રાજા થો. તેનું જીવન દીધું હતું, પરંતુ તે વિકલ અને અધિક પુણ્યવાળ હતું. તેને સેદ્ર અને મેહૂ એમ બે ગરિકા હતી. તે બંનેને તે નવડાવતે. વળી તે બંનેનાં બધાં અવયવોને તે શણગાર. તે તેને સુખાસને બેસાડતે. ગામમાં તે લશ્કર લઈને ફરતે. સેનાએ ગામ ખાઈ જતી. એમ ઘણો કાળ (વીતી) ગયા. એક દિવસ દેશપાલેએ એકઠા થઈ રાજાને વિજ્ઞપ્તિ કરી કે હે ૨૦ ૨૫ ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004892
Book TitleChaturvinshati Prabandh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherFarbas Gujarati Sabha
Publication Year1944
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy