SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ અવશ્વ ] ચતુર્વિશતિપ્રબન્ધ ૧૯ શ્રીવીરની મૂર્તિ મોટી હતી. તેની અપેક્ષાએ શ્રી પાર્શ્વનાથની મૂર્તિ નાની હતી; એથી એ દેવ મહાવીરના અર્ભકરૂપ છે એમ (માની) એનું “મેદાશ્ચલણ એવું નામ (લોકેએ) પાડયું. અધિક પ્રભાવના ભંડારરૂપ શ્રીચેલણ દેવની સામે તે બે મહષિઓએ સેનાના મુગટનો આમ્નાય સાધ્યો અને ભવ્ય આગળ તેને પ્રકાશ કર્યો. તે “સિંહગુહા” પલી વખત જતાં “ઢિપુરી” એ નામથી પ્રસિદ્ધ નગરી બની. આજે પણ સકળ સંધ તે જ નગરીમાં યાત્રા–ઉત્સવોથી એ ભગવાન શ્રીમહાવીરની અને એ ચેલણ પાશ્વનાથની આરાધના કરે છે. એક વાર “ઉજજયિની માં ખાતર પાડવા માટે ચેરની વૃત્તિથી વંકચૂલ કાઈક શ્રેણી (શેઠિયા)ના ઘરમાં ગયે, (પરંતુ) કેલાહલ સાંભળી તે ચાલ્યો ૧૦ ગયો. ત્યાર બાદ તે દેવદત્તા (નામની) વેશ્યાના ઘરમાં પેઠે. તેણે તેને કાઢિયાની સાથે સૂતેલી જોઈ. ત્યાંથી નીકળી તે (અન્ય) શેઠિયાને ઘેર ગયા. ત્યાં એક વાસવાસી જેટલી નામામાં ભૂલ આવતી હતી એથી કઠોર વચને વડે પિતાના પુત્રની નિર્ભમ્ન કરી ઘરમાંથી શ્રેણીએ તેને બહાર કાઢી મૂક્યો. (એમ) રાત પૂરી થઈ. રાજકુળમાં જાઉં એવું ૧૫ તેણે વિચાર્યું. તેવામાં સૂર્ય ઉગ્યો. પલ્લી પતિ નગરમાંથી નીકળીને ઘરે લઈને અને ઝાડ તળે દિવસ પૂરો કરીને ફરીથી રાત્રે રાજભંડારની બહાર આવ્યું. ઘેને પૂછડે વળગીને તે ભંડારમાં પેઠે. ગુસ્સે થયેલીરાજાથી રીસાયેલી પટ્ટરાણીએ તેને જોયો. તેણે પૂછયું કે તું કોણ છે ? તેણે કહ્યું કે ચેર. તેણે કહ્યું કે બીતે નહિ. મારી સાથે તું સંગમ ૨૦ કર. તેણે કહ્યું કે તું કોણ છે? તેણે પણ કહ્યું કે હું પટરાણી છું. ચોરે કહ્યું કે જે એમ હોય તે તું મારી મા (બરાબર) છે; એથી હું જાઉં છું. એ પ્રમાણે તેણે નિશ્ચય કર્યો એટલે તેણે નખ વડે પોતાના શરીરને વિદારીને ઉઝરડા પાડી અને પિકાર કરી આરક્ષકાને બેલાવ્યા. તેમણે એને પક. રાણીને અનુનય કરવા-મનાવવા આવેલા રાજાએ ૨૫ તે જોયું. રાજાએ પિતાના પુરુષોને કહ્યું કે એને મજબૂત-બહુ કસીને બાંધશો નહિ. તેમણે એને સાચવી રાખ્યો. સવારે રાજાએ પૂછયું (ત્યારે) તેણે કહ્યું કે હે દેવ ! ચેરી માટે હું દાખલ થયો હતે. પછીથી દેવીએ દેવભંડારમાં મળે છે. બીજું કાંઈ તેણે કહ્યું નહિ, તેથી પ્રસન્ન થયેલા અને બન્યું હતું તે જાણનારા રાજાએ તેને પુત્ર ૩૦ તરીકે સ્વીકાર્યો અને સામંતપદે સ્થાપે. દેવીની વિડંબૂના થતી વચૂકે અટકાવી. અહ! નિયમોનું શુભ ફળ છે એવું તેણે નિરંતર ચિતવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004892
Book TitleChaturvinshati Prabandh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherFarbas Gujarati Sabha
Publication Year1944
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy