SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવક્ષ્ય ] ચતુર્વિશતિપ્રમન્ત્ર ૧૩૧ આવ્યા નથી ? તેણે કહ્યું: હું શ્રેષ્ટિવર્ય ! મારે ભાઇ હાલ સ્વર્ગીઓમાં વસે છે. વિષ્ણુકે કહ્યું: કેવી રીતે ? તેણે કહ્યું: કંકણના બંધનથી માંડીને ( શરૂ થતા ) વિવાહપ્રકરણને વિષે ચાર દિવસ પુરુષ પાતે સ્વર્ગીએમાં જાણે રહેતા હેાય એમ માને છે; કેમકે તેને ઉત્સવ જોવાનું કુતૂહલ છે. તે સાંભળીને રાજાએ પણ વિચાર કર્યાં ક અહે। હું કેમ સ્વર્ગીએમાં ન વસું ? ચાર ચાર દિવસે નિરંતર વિવાહના ઉત્સવમય જ હું રહીશ. એમ વિચારી ચારે વર્ણોમાં જે જે કન્યાને રૂપશાલી અને યુવાન જુએ કે સાંભળે તેને તેને તે ઉત્સવપૂર્વક પરતા, એમ ઘણા કાળ જતાં લેાકાએ વિચાર્યું કે અહા આ શું થવા ખેઠું છે? શું બધા વર્ણએ સંતાન વિનાના રહેવું ? બધી કન્યાઓને રાજા જ પરણે છે. અને (આ પ્રમાણે) અબળાના અભાવમાં સંતતિ યાંથી હોય ? એ પ્રમાણે લોકાખિન્ન થતાં ‘ વિવાહવાટિકા ’ નામના ગામમાં રહેનારા એક બ્રાહ્મણે પીજા દેવીનું આરાધન કરી તેને વિનંતિ કરી કે હે ભગવતી ! અમારાં સંતાનેાનું વિવાહ-કાર્ય કેવી રીતે થશે ? દેવીએ કહ્યું કે હે બ્રાહ્મણ ! હું તારા ઘરમાં કન્યાનું રૂપ લઇને અવતરીશ. જ્યારે રાજા મને માંગે ત્યારે (તારે) મને તેમને દેવી. બાકીનું હું કરીશ. તે જ પ્રમાણે રાજાએ તેને રૂપવાળી જોઇને બ્રાહ્મણ પાસે (તેની) માંગણી કરી. તેણે પણુ કહ્યું કે મેં ( એ તમને ) આપી, પરંતુ હે મહારાજ ! આપે અહીં જાતે આવીને મારી ફ્રન્યા પરણવી પડશે. રાજાએ ( એ વાત ) સ્વીકારી. જોષીએ આપેલા લગ્નમાં ક્રમથી વિવાહ માટે તે ઉપડ્યો. રાજા તે ગામમાં સસરાના કુલે પહેાંચ્યા. દેશાચાર મુજબ વહુ અને વરની વચ્ચે પડદા કરાયા-અંતરપટ ધરાયા. ખાળેા ‘યુગંધરી' લાજોથી ભરવામાં આવ્યા. લગ્નની વેળાએ પડદા દૂર કરાતાં બંને (જણાં) એક બીજાના માથા ઉપર લાજ નાંખવા લાગ્યા. હવે ખરેખર હસ્તમેલાપ થશે એમ માની રાજાએ તેની સામું જોયું તેા તેણે તેને ભયંકર રૂપવાળી રાક્ષસી દીઠી. વળી તે લાજ કાણુ અને કર્કર પત્થરરૂપે રાજાના માથા ઉપર પડવા લાગ્યા. રાજા પણ આ કં વિકૃત છે એમ જાણી નાઠો. તેવામાં તે પૂઠે લાગી પત્થરના કટકાએ વર્ષાવતી રહી. તે ઉપરથી રાજા પાતાના જન્મસ્થળરૂપ નાગહદમાં પેઠે અને ત્યાં જ તે મરણુ પામ્યા. આજે પણ તે પીજા દેવી શેરીની બહાર પેાતાના મંદિરમાં રહેલી છે. ક્રમે કરી કાલિકા દેવીએ બકરીરૂપ વિČને ૧ કાંકણુદેરા. Jain Education International For Private & Personal Use Only ૧૦ ૧૫ ૨૫ ૩૦ www.jainelibrary.org
SR No.004892
Book TitleChaturvinshati Prabandh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherFarbas Gujarati Sabha
Publication Year1944
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy