SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ V ૧૨૬ શ્રીરાજશેખરસૂતિ [૨૯ સાતવાણામહિષીને પત્તે કહે. તે ક્યાં છે અને તેનું હરણ કોણે કર્યું છે? શ્રીદેવીએ કહ્યું કે સર્વ યક્ષ, રાક્ષસ, ભૂત વગેરે દેવગણને ભેગા કરી તેની ખબર હું તને જણાવીશ, પરંતુ તેમને માટે બલિ ઉપહાર વગેરે તારે તૈયાર કરી રાખો. જ્યાં સુધી તેઓ ધરાઈને બલિ વગેરેને ૫ ઉપભેગ કરી સંતોષ ન પામે ત્યાં સુધી તું વિનો(થી તારી જાતને) સાચવજે. તે ઉપરથી શુદ્રકે દેવતાઓના તર્પણ માટે કુંડ ચાવી હોમ કરવો શરૂ કર્યો. બધા દેવગણે મળ્યા. તેમણે પોતપોતાનો ભગ અગ્નિમુખે ગ્રહણ કર્યો. તેવામાં તે હોમને ધૂમાડે પસરતો પસરતો જ્યાં માયાસુર હતા તે સ્થાનમાં પહોંચે. લક્ષ્મીએ આદેશ આપેલા કકના હૈમના સ્વરૂપથી ૧૦ જાણીતા બનેલા તેણે પણ હોમમાં વિદ્ધ કરવા માટે કેલ્લાસુર નામના પોતાના ભાઈને મેકલ્યો. કેલાસુર પોતાના સૈન્ય સાથે આકાશ (માર્ગે) આવ્યું. દેવગણએ તે દીઠું અને તેઓ અચંબો પામ્યા. ત્યાર બાદ (પલા) બે કૂતરાઓ દિવ્ય શક્તિથી દૈત્ય સાથે યુદ્ધ કરવા લાગ્યા, પરંતુ દૈત્યોએ ક્રમે કરીને તેમને મારી નાંખ્યા. તેથી શકિક પિતે યુદ્ધ કરવા તૈયાર થયો. દંડ સિવાય અન્ય આયુધના અભાવને લીધે દંડ વડે જ તેણે ક્રમે કરીને ઘણું અસુરેને મારી નાંખ્યા. ત્યારે દૈત્યોએ તેને જમણે હાથ કાપી નાંખે. ફરીથી તેણે ડાબે હાથે જ દંડયુદ્ધ કર્યું. તે પણ છેદતાં જમણા પગે દંડ ગ્રહી તે યુદ્ધ કરવા લાગ્યો. તે દૈત્યોએ કાપી નાંખે એટલે ડાબે પગે દંડ ગ્રહણ કરી તે યુદ્ધ કરવા લાગ્યો. દૈત્યોએ તે પણ ક્રમે છેદી નાંખે. ત્યાર બાદ દાંતથી દંડ પકડીને તેણે યુદ્ધ કરવા માંડયું. ત્યારે તેમણે (તેનું) મસ્તક છેદી નાંખ્યું. ત્યાર બાદ ગળા સુધી તૃપ્ત થયેલા દેવગણએ પેલા કકને ભૂમિ ઉપર પડેલા મસ્તકવાળા જઈને અહે, અમને ભેગ આપનારા વરાકને શું થયું એમ પરિતાપ પામી યુદ્ધ કરવા માંડયું અને કેલાસુરને મારી નાંખ્યો. ત્યાર પછી રૂપ શ્રીદેવીએ શદ્ધકને અમૃત છાંટીને ફરીથી એનાં અંગે સાંધી દીધાં અને તેને ફરીથી જીવતે કર્યો. તેણે પેલા) બે કૂતરાઓને પણ જીવતા કર્યા. દેવીએ પ્રસન્ન થઈ તેને ખગરત્ન આપ્યું અને આનાથી તું અજેય થઈશ એ વર પણ આવે. ત્યાર પછી મહાલક્ષ્મી વગેરે દેવગણ સાથે સાતવાહનની દેવીની શેધ માટે સમસ્ત ત્રિભુવનમાં ભમીને ૩૦ શ્રદ્ધક મહાસાગરે પહોંચ્યો. ત્યાં એક ઊંચા વડના ઝાડને જે જે તે આરામ લેવા માટે એના ઉપર ચઢો તે તેણે તેની ડાળીએ ઊંધા માથે લટકતો અને લાકડીની ખીલીમાં ઉપર બાંધેલા પગવાળા એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004892
Book TitleChaturvinshati Prabandh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherFarbas Gujarati Sabha
Publication Year1944
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy