SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્ય-મીમાંસા, ૫૩ ચરણમાં છેવટના સાત અક્ષરો સમાન અને બાકીનાં બે ચરણમાં છેવટના છ અક્ષરો સમાન હોય એવું ફક્ત એક જ ૫૬ મું પદ્ય છે. પાદાન્તસમષડક્ષરપુનરાવૃત્તિરૂપ યમકથી શોભતાં એવાં ચાર પધો છે (પદ્ય ૩૧, ૬૨-૬૪). વળી પ્રથમ બે ચરણ પરત્વે આ વાતને મળતાં આવતાં પરંતુ બાકીનાં બે ચરણમાં તો પાંચ પાંચ અક્ષરોની સમાનતાથી શોભતાં એવાં પોની સંખ્યા પણ ચારની છે (જુઓ ૫ ૧, ૩૮, ૪૦, ૬૭). આથી વિપરીત લક્ષણવાળાં અર્થાત પ્રથમ અને દ્વિતીય ચરણમાં છેવટના પાંચ પાંચ અક્ષર સમાન હોય એવાં અને બાકીનાં બે ચરણમાં છેવટના છ છ અક્ષરો સમાન હોય એવાં ૨૦ માં અને ૨૨ મા એમ બે પડ્યો છે. પાદાંતસમપંચાક્ષરપુનરાવૃત્તિરૂપ યમકથી વિભૂષિત પદ્યોની સંખ્યા ૧૨ ની છે ( જુઓ પદ્ય ૨, ૪, ૧૭-૧૮, ૨૧,૨૩,૨૯,૩૦,૩૭,૫૪,૬૧ ). પ્રથમ અને દ્વિતીય ચરણમાં છેવટના પાંચ પાંચ અક્ષરો સમાન હોય, જયારે બાકીનાં બે ચરણમાં છેવટના ચાર ચાર અક્ષરો સમાન હોય એવાં સાત પડ્યો છે (જુઓ પઘો ૩,૫,૧૨, ૨૪,૩૨, ૪૯,૬૫). જે પદ્યનાં પ્રથમનાં બે ચરણમાં છેવટના ચાર ચાર અક્ષરોની સમાનતા હેય અને બાકીનાં બે ચરણમાં છેવટના પાંચ પાંચ અક્ષરની સમાનતા હોય એવાં ચાર પદ્યો છે (જુઓ પધો ૧૧,૧૩,૩૯,૪૩). પ્રથમનાં બે ચરણમાં છેવટના પાંચ પાંચ અક્ષરો સમાન હોય અને બાકીનાં બે ચરણમાં ત્રણ ત્રણ અક્ષરો સમાન હોય એવું ફક્ત એક જ ૪૧ મું પદ્ય છે. પાદાન્તસમચતુરક્ષરપુનરાવૃત્તિરૂપ યમકથી વિભૂષિત પદ્યોની સંખ્યા ૧૪ ની છે (જુઓ પદ્યો ૬-૮, ૧૪-૧૬, ૪૨,૪૪, ૫૦-૫૩,૬૬,૬૮). જે પધનાં પહેલાં બે ચાર માં છેવટના ચાર ચાર અક્ષરો સરખા હોય અને બાકીનાં ચરણોમાં છેવટના ત્રણ ત્રણ અક્ષરો સમાન હોય એવાં નવમા અને દશમા એમ બે પદ્યો છે. આ સિવાયના અન્ય પ્રકારના યમકથી પણ અલંકૃત બીજાં પડ્યો છે. જેમકે ૧૩ માં અને ૩૬ મા પદ્યમાં પ્રત્યેક ચરણમાં બીજા, ત્રીજા અને ચોથા અક્ષરોની, જયારે ૩૪ મા અને ૩પ મા પદ્યમાં પ્રથમ સિવાયના પ્રત્યેક ચરણમાં આ પ્રમાણેની અને પ્રથમ ચરણમાં ત્રીજા, ચેથા અને પાંચમા અક્ષરોની પુનરાવૃત્તિ અને ૯૦થી ૯૬ સુધીનાં ચાર પઘોમાં આનાથી ચડિયાતી પુનરાવૃત્તિ અર્થાત પ્રત્યેક ચરણમાં પ્રથમના બે અક્ષરની અને સાથે છેવટના ત્રણ અક્ષરોની પુનરાવૃત્તિ દૃષ્ટિ-ગોચર થાય છે. આ ઉપરાંત પાદાન્તાક્ષરપુનરાવૃત્તિરૂપ યમકથી વિભૂષિત એટલે કે પ્રથમ ચરણના અન્તના અક્ષરોથી દ્વિતીય ચરણને પ્રારંભ અને દ્વિતીય ચરણના અન્તના અક્ષરોથી તૃતીય ચરણનો પ્રારંભ અને તેના અન્તના અક્ષરથી ચોથા ચરણને પ્રારંભ થતો હોય એવાં ચાર પધો છે (જુઓ પધો ૪૫-૪૮). આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે બે ચરણેની સદૃશતારૂપી યમક પ્રધાન પદ ભગવે છે, કેમકે તેનાં પઘોની સંખ્યા ૨૮ ની છે. એવી રીતે પાદાંતામુકાક્ષરપુનરાવૃત્તિરૂ૫ યમકમાં પાદાન્તસમચતુરક્ષરપુનરાવૃત્તિરૂપ યમક વિશેષતઃ દૃષ્ટિ–ગોચર થાય છે, કેમકે તેવાં પઘો બધાં મળીને ચૌદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy