SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્ય-મીમાંસા, ૪૯ દાઢુ-જવર થયા હતા તે ઔષધથી મટયો નહિ, પરંતુ પ્રભુ ગર્ભમાં આવ્યા પછી તેમની માતાએ તેમના શરીર ઉપર હાથ ફેરવ્યે એટલે તે શાંત થઇ ગયા. ( જે ત્રૈલાયને હિતકર હૈાય તે શ્રેયાન્—શ્રેયાંસ ' કહેવાય એ અગ્યારમા તીર્થંકરના નામના સામાન્ય અર્થ છે. પ્રભુ ગર્ભમાં આવ્યા તે પૂર્વે તેમના પિતાની કાઇક દેવ-ગૃહ ( દહેરાસર )માં રહેલી અને દેવાધિષ્ઠિત શય્યાની પૂજા થતી હતી. તે શય્યા ઉપર કાર્ટે બેસે કે સુવે, તે તેને તે દેવ ઉપદ્રવ કરતા હતા. પ્રભુ ગર્ભમાં આવ્યા બાદ તેમની માતાને એવા વિચાર થયો કે શય્યાની પૂજા તેા કાઇ સ્થળે સાંભળી નથી, તેથી શય્યા—રક્ષકે વાર્યા છતાં પણ તે તેના ઉપર બેઠા તથા સુતા. પરંતુ ગર્ભના પ્રભાવથી તેના અધિષ્ઠાયક દેવ તેમને કંઇ પણ ઉપદ્રવ કરી શક્યા નહિ અને તે શય્યા છેાડી ચાહ્યા ગયા અને ત્યાર પછી તે શય્યા રાજાદિકે વપરાશમાં લીધી. આ પ્રમાણેના ગર્ભને મહિમા જાણી અગ્યારમા તીર્થંકરનું શ્રેયાંસ નામ પાડવામાં આવ્યું. જે દૈવાદિકને પૂજ્ય હાય તે ‘વાસુપૂજ્ય’ કહેવાય, એ ઉપરથી આ નામના સામાન્ય અર્થ જોઇ શકાય છે. બારમા તીર્થંકર ગર્ભમાં આવ્યા ખાદ ઇન્દ્ર વારંવાર તેમના માતાપિતાનું પૂજન કરવા લાગ્યો તેથી તેમજ કુબેર પણ ધણીખરી વાર તેમના રાજકુલમાં રતની વૃષ્ટિ કરવા લાગ્યો તેથી આ પ્રભુનું વાસુપૂજ્ય એવું નામ ચરિતાર્થ થાય છે. તેરમા તીર્થંકરનું નામ વિમલ છે. જેનાં જ્ઞાન અને દર્શન તેમજ શરીર વિમલ (નિમૂળ ) હોય તે ‘ વિમલ ' કહેવાય એ આ નામના સામાન્ય અર્થ છે. પ્રભુ ગર્ભમાં આવ્યા પછીથી તેમની માતાના દેહ તેમજ તેમની મતિ વધારે નિર્મળ બન્યાં એ આ નામની વિશેષતા સૂચવે છે. તેમની માતાની મતિ વધારે નિર્મળ બન્યાના સંબંધમાં નીચે મુજબની કથા રજી કરવામાં આવે છે: એક વાર કાઇ દમ્પતી ( વર-વહુ ) દેવ-ગૃહમાં આવી ઉતર્યાં. યાં કાઇ યંતર નિકા ચની દેવી રહેતી હતી. તે આ પુરૂષનું સુન્દર રૂપ જોઇ કામાસક્ત બની ગઇ, તેથી તે તેની પત્નીના જેવું પેાતાનું રૂપ વિક્ર્યાં તેની સમીપ સુતી. પ્રભાતમાં તે પુરૂષ જાગ્યો, ત્યારે તેણે 1તાની સમીપ બે સમાન સ્રીને જોઇ. પરંતુ તેમાં તેની ખરી પત્ની કાણ છે તેને તે નિર્ણય કરી શકયા નહિ. આથી તે રાજ-દરબારમાં ગયો. ત્યાં પણ રાજા અને મંત્રીની મતિ કામ લાગી નહિ. પરંતુ આ પ્રભુની માતાએ તે પુરૂષથી બન્ને સ્રીઞાને દૂર ઊભી રાખીને તે બંનેને કહ્યું કે આ દૂર ઊભેલા પુરૂષને જે પેાતાના પ્રભાવથી સ્પર્શ કરી શકે તેને આ પુરૂષ પતિ ગણાય. આ સાંભળીને વ્યંતરીએ દિવ્ય શક્તિ વડે હાથ લંબાવી તે કાર્ય કર્યું. એટલે તરતજ રાણીએ તેના હાથ પકડી લીધા અને કહ્યું કે તું તે વ્યંતરી છે, વાસ્તે તું તારે સ્થાનકે જા. એવી રીતે ન્યાય આપવાથી આ રાણીને લેકા વિમલ મતિવાળી કહેવા લાગ્યા. અનન્ત કર્માશાને જે જીતે તે અથવા જે અનન્ત જ્ઞાનાદિકથી યુક્ત ઢાય તે અનન્ત કહેવાય એ ચૌદમા જિનેશ્વરના નામના સામાન્ય અર્થ છે, આ પ્રભુ ગર્ભમાં આવતાં તેમની 7 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy