SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્ય-મીમાંસા સમસ્ત લોકનાં ચય માટે છે તેનો પાડ આવવાથી સાત તીર્થકરોની સ્તુતિ કરવામાં આવે છે તે વ્યાજબી છે. તેવી રીતે “સુઅસ ”નો કાત્સર્ગ કરતી વેળાએ કરેલી પ્રતિજ્ઞાનુસાર શ્રતની યાને આગમની સ્તુતિ કરવામાં આવે છે અને “યાવચ્ચ”ના કાઉસગ્ન પછી જિનેશ્વરનું વૈયાવૃત્ય કરનાર દેવ-દેવીની સ્તુતિ કરાય છે તે પણ યોગ્ય છે. આ ઉપરથી જોઈ શકાય છે કે સ્તુતિ–કદમ્બકમાં જે ક્રમ રાખે છે તે સકારણ છે. તીર્થકરનાં નામે સંબંધી વિચાર– આપણે જોઈ ગયા તેમ આ કાવ્યના પ્રત્યેક રતુતિ–કદમ્બકના પ્રથમ પદ્યમાં આ અવસર્પિણીમાં થઈ ગયેલા ચોવીસ તીર્થંકર પૈકી એકેકની સ્તુતિ કરવામાં આવી છે. તેમનાં નામનો સામાન્ય તેમજ વિશેષ અર્થ થઈ શકે છે. સામાન્ય અર્થ તો સમસ્ત તીર્થક રોમાં ઘટી શકે છે, તેથી વિશેષ અર્થ પણ વિચારો આવશ્યક સમજાય છે. તેમાં પ્રથમ તીર્થંકરના વૃષભ નામને સામાન્ય અર્થ તો “પૃપ દ” ઉપરથી સમગ્ર સંયમના ભારને વહન કરનાર તે વૃષભ એમ થાય છે. આ વાત તો કોઈ પણ તીર્થકરને ઉદ્દેશીને ઘટી શકે છે, તેથી આનો વિશેષ અર્થે વિચારીએ. પ્રથમ તીર્થંકરની બંને જંઘામાં વૃષભ (બળદ)નું લાંછન હોવાથી તેમજ તેમની માતાએ પ્રથમ સ્વમમાં વૃષભ જોયેલે હેવાથી (અન્ય તીર્થકરોની માતાએ તો પ્રથમ સિંહ જોયેલે હોવાથી) તેમને વૃષભ કહેવામાં આવે છે. બીજા તીર્થકરના અજિત નામને સામાન્ય અર્થ પરીષહ, ઉપસર્ગ ઇત્યાદિથી નહિ જીતાયેલા એવો થાય છે. આ ભગવાન્ ગર્ભમાં આવ્યા તે પૂર્વ તેમના માતા-પિતા જયારે ધૂત રમતા, ત્યારે તેમના પિતાજ જીતતા, પરંતુ તેઓ ગર્ભમાં આવ્યા બાદ તેમના માતા કદી પણ હાર્યા નહિ. આ કારણને લઈને તેમને અજિત કહેવામાં આવે છે. ત્રીજા તીર્થકરનું નામ સંભવ છે. ચોત્રીસ અતિશયાટિક ગુણોથી યુક્ત હોય તે “સંભવ કહેવાય એ સામાન્ય અર્થ છે. પ્રભુ ગર્ભમાં આવતાં દેશમાં ધાન્યાદિકને સુકાળ છે તેથી તેઓ “સંભવ કહેવાય છે એ વિશેષ અર્થ છે. દેવેન્દ્રાદિક વડે વન્ય હોય તે અભિનન્દન' કહેવાય એ થા તીર્થંકરના અભિનન્દન નામનો સામાન્ય અર્થ છે. પ્રભુ ગર્ભમાં આવ્યા પછી શક (સૌધર્મેન્દ્ર) વારંવાર તેમની માતાની સ્તુતિ કરવા આવતા હતા તે વાત ધ્યાનમાં લેતાં આ નામને વિશેષ અર્થ જોઈ શકાય છે. શુભ છે મતિ જેની તે સુમતિ એ પાંચમા તીર્થંકરના નામને સામાન્ય અર્થ છે. આ પ્રભુ ગર્ભમાં આવ્યા બાદ તેમની માતા બે વિધવા સ્ત્રીઓના કલહને નિર્ણય કરવામાં તીવ્ર બુદ્ધિશાળી બની, વાતે તેઓને સુમતિ કહેવામાં આવે છે એ અત્ર વિશેષતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy