SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્ય-મીમાંસા વસ્તુ— આ ૯૬ પદ્મના કાવ્યના ચાવીસ વિભાગે પડી શકે છે, કેમકે તે મુખ્યત્વે કરીને ચાવીસ જિનેશ્વરાની સ્તુતિરૂપ છે અર્થાત્ આ કાવ્યમાં ચાવીસ 'સ્તુતિ-કદમ્બંકા છે. પ્રત્યેક કદમ્બકમાં અમુક એક જિનેશ્વરની, સમરત જિનેશ્વરાની, આગમની અને શાસનાનુરાગી દૈવ–દેવીની એમ ચારની સ્તુતિ કરવાના નિયમને અનુસરીને આ કદમ્બંકા રચાયાં છે. આવાં કદમ્બકા પ્રતિક્રમણ કરતી વખતે અને ચૈત્યવન્દન-દેવવન્તન કરતી વેળાએ પણ બેલાય છે, વાસ્તે તેમજ તેના આ પૂર્વે મેં તૈયાર કરેલી સ્તુતિ-ચતુર્વિશતિકા તેમજ ચવિશતિજિનાનન્દરસ્તુતિ સાથે પણ સંબંધ હૈાવાથી આ સંબંધમાં વિશેષ વિચાર કરવા અસ્થાને નહિ ગણાય. સ્તુતિ-વિચાર " રતુતિ ' શબ્દનો અર્થ પરમેશ્વર-તીર્થંકર આદિ સદ્ગુણસંપન્નોના સદ્ભૂત ગુણાનું કીર્તન કરવું એવા થાય છે. આને પ્રાકૃત ભાષામાં ‘શુઇ' કહેવામાં આવે છે. આ સ્તુતિના બે ભેદ પાડી શકાય તેમ છે. ચૈત્યમાં પ્રભુની મૂર્ત્તિ સન્મુખ ઊભા રહીને એછામાં ઓછે એક શ્લાક બેલીને અને વધારેમાં વધારે ૧૦૮ શ્લોકા બેલીને તેમના ગુણ ગાવા તે એક પ્રકારની સ્તુતિ છે. એક શ્લોકની પણ તુતિ કહી શકાય છે એ વાત વાદિવેતાલ શ્રીશાન્તિસૂરિએ રચેલી ઉત્તરાધ્યયનસૂત્ર ( પત્રાંક ૫૮૧ )ની ટીકામાંના નિદ્મ-લિખિત ઉલ્લેખ ઉપરથી જોઇ શકાય છે. ૧ પંચાશકમાં આને ‘ સ્તુતિયુગલ ’ તરીકે ઓળખાવેલ છે. ૨ જિન-ગૃહ રચવાના કાર્યમાં તેમજ જિનેશ્વરની પ્રતિમાની પ્રતિષ્ઠાદિકમાં અન્ય દેવોથી થતા ઉપસર્ગાને દૂર કરવામાં અને સમ્યગ્દષ્ટિ સંઘને સુખી કરવામાં તેમજ તેને શાન્તિ અર્પણ કરવામાં સાર્મિક દેવ-દેવી સમર્થ છે, તેથી તેના સન્માનાર્થે તેની સ્તુતિ કરવામાં આવે છે; કેમકે જૈન શાસનમાં તો વાસ્તવિક રીતે અપગુણી પણ પ્રશંસાને પાત્ર છે. ૩ સ્તુતિઓ ચાર છે એ વાતની શ્રીપ્રદ્યુમ્રસૂરિષ્કૃત વિચારસાર-પ્રકરણની નીચે મુજબની ૬૯૨મી ગાથા સાક્ષી પૂરે છેઃ— Jain Education International ‘ અરિતા મુય સિદ્ઘ, તિન્નેવ ચ હોતિ સંતુવિજ્ઞાન । जिण एग सव्व पवयण, वेयावच्चगर थुई चउरो ॥" [ अन्तः श्रुतं सिद्धात्रय एव च भवन्ति वन्दनीयाः । जिन एकः सर्वे प्रवचनं वैयावृत्यकरः स्तुतयश्चतस्रः ॥ ] ૪ યોગશાસ્ત્ર, પંચાશક, ધર્મસંગ્રહ વિગેરે ગ્રન્થોમાં આ નિયમ આપેલો છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy