SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ઉષા દ્યાત. આ પ્રમાણે કહીને સૂરિજીએ દુન્દુકને શાંત કર્યો. દુન્દુક ધીમે ધીમે ઉત્તમ શ્રાવક યેા અને ત્રિવર્ગને સાધવા લાગ્યા. ४० એ પ્રમાણે સમય વ્યતીત થતાં એક દિવસ વ્રુન્દુક ચતુથમાં ( ચૌટામાં) ક્રવા નીકળ્યા. ત્યાં તેણે ઉદાર રૂપવાળી, ચુવંકરૂપી મૃગને સપડાવવામાં જાળ જેવી અને મદન અને માયાની મૂર્તિરૂપ એવી કટિકા નામની ગણિકાને જોઇ. એથી તે માહિત થઇ ગયે અને તેણે તેને રણવાસમાં બેસાડી. આ ગણિકાએ દુન્દુકને ધીરે ધીરે એવા વશ કરી લીધે। કે તે તેને પૂછ્યા વિના પાણી પણ પીતે નહિ. કામણગારાં વચનેાથી તેણે જેમ હિમ વૃક્ષને ખાઇ જાય તેમ સમગ્ર રાજ્યને ખાવા માંડયું. ગણિકાને આધીન બનેલા રાજા પેાતાની પદ્મા રાણીને તેમજ અન્ય કુલશીલસંપન્ન રાણીઓને પણ તૃણવત્ ગણવા લાગ્યા. એક દિવસે કલાર્કલિ નામના જ્યોતિષીએ રાત્રે એકાન્તમાં રાજાને કહ્યું કે તમારા પુત્ર ભેાજ મહાભાગ્યશાળી થશે, પરંતુ તે તમને મારીને રાજય ઉપર બેસશે. આ સાંભળીને વજ્રપાતથી હણાય હાય તેમ તે રાજા મૌન રહ્યો. તેણે તે ચેતિષીને રત્ન આપી. જ્યોતિષીને વિદાય કરી રાા કટિકા પાસે ગયે. રાજાને ચિંતાતુર જોઇને તેણે કહ્યું કે હે દેવ ! આજે આપનું વદન-કમલ કેમ કરમાઇ ગયું છે ? રાજાએ પ્રત્યુત્તર આપ્યા કે શું ક૨ે દૈવજ દાપ પામ્યા છે. જ્ઞાનીએ કહ્યું કે મારા પુત્રને હાથે મારૂં મરણુ છે અને એ વાત ખોટી પડે તેમ નથી. ફટિકાએ જવાખ આપ્યા કે એમાં શી ચિન્તા કરવી ! પુત્રને મારી નાખેા. જે રાજ્ય-લુબ્ધ હૈાય તે પુત્રને પણ ગણતા નથી. વળી આવા પુત્ર તે પુત્ર નહિ પણ શત્રુ કહેવાય. આથી દુક પેાતાના પુત્રને ધાટ ઘડવા તૈયાર થઇ ગયા. ભેાજની માતા પદ્માની એક દાસી થાંભલા પછાડી સંતાઇને ઊભી હતી તેના સાંભળવામાં આ વાત આવી. તેણે જઇને પેાતાની સ્વામિનીને તે વાત નિવેદન કરી. પુત્રના વધની વાત સાંભળતાં પદ્મા ગભરાઇ ગઇ. પુત્રવધની રાજા ચેાજના કરતા હતા તેવામાં પાટલીપુરમાં જેણે સ્વયંવર-મણ્ડપ આરંભ્યો હતા અને જે રનેહ-પૂર્ણ, ધર્મિષ્ટ તેમજ શૂરવીર હતા એવા પેાતાના ભાઇ ઉપર પદ્મા રાણીએ છૂપા પત્ર માફયેા. તેમાં તેણે એમ લખ્યું હતું કે રાજા ક્રોધે ભરાયા છે અને તેથી તે તમારા ભાણેજને જાન લેવા તૈયાર થઇ ગયા છે, વાસ્તે તમે અહીં આવી . એને લઇ એ. જીવની પેઠે તમે એને જાળવજો, નહિ તે હું છતે પુત્ર પુત્ર વિનાની બની જઈશ. આ પ્રમાણેના પત્ર મળતાં ભાજના માત્રા પેાતાના બનેવી દુન્દુકના નગરમાં આવી તેને નમસ્કાર કરી પેાતાને ત્યાં સ્વયંવર–મહેાત્સવ છે એમ કહી ભાજને લઇ ગયા. પેાતાના નગરમાં રાખીને ભણાવી ગણાવીને તેણે તેને શસ્ર-વિદ્યામાં પણ કુશળ બનાવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy