SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ બપ્પભદિસૂરિજીનું જીવનવૃત્તાન્ત. એમ કરતાં ભેજ મોસાળ (ભાનુશાલ)માં રહીને લગભગ પાંચ વર્ષનો થયો. ત્યારે કણિટકાએ દુ–કને કહ્યું કે તમારે પુત્રરૂપ શત્રુ મોસાળમાં વૃદ્ધિ પામે છે. નખ–શેઘને પરશુ-છઘ ન થવા દો. એને અહીં લાવીને છાનામાના યમરાજને સ્વાધીન કરો. રાજાએ તેની વાત અંગીકાર કરી અને ભેજને તેના મામા પાસેથી બોલાવી લાવવા તો મોકલ્યા. ભેજના મામાએ તે દૂતોને કહ્યું કે હું તમારા રાજાને મનોભાવ જાણું છું, માટે મારા ભાણેજને હું મોકલનાર નથી. ક્ષત્રિયને એ ઉત્તમ ધર્મ છે કે શરણાગતનું રક્ષણ કરવું, વળી આ તે મારો ભાણેજ છે, તો પછી તેમાં શું કહેવું? તેમ છતાં બળ વાપરવાની તમારા રાજાની મરજી હોય, તો તમે તેને કહેજો કે તે સત્વર આવે. હું પણ બનેવીને મારું બળ બતાવીશ. આ પ્રમાણેની વાતચિત થયા બાદ દૂતો દુન્દ્રક પાસે પાછા આવ્યા અને રાજાને સર્વ વાત કહી. આથી તેને બહુ ગુસ્સો ચડ્યો, પરંતુ તે કંઈ કરી શકે નહિ. ભેજ પણ પિતાના પિતાના આશયથી વાકેફગાર હેવાથી તે જાતે પણ ત્યાં જવા તૈયાર થશે નહિ. આથી દન્દકે બપ્પભદ્રિજીને ભેજને બોલાવી લાવવા કહ્યું. સૂરિજીએ અનિચ્છાએ તે વાત કબૂલ કરી અને કેટલાક માણસોને સાથે લઇને તેઓ પાટલીપુર જવા નીકળ્યા. અર્ધ માર્ગે ગયા બાદ સૂરિજીએ જ્ઞાન–દૃષ્ટિપૂર્વક વિચાર કર્યો કે જો હું ભેજને સમજાવીને લાવીશ, તે તેને પિતા તેને જરૂર મારી નાખશે અને જે તેને નહિ લાવીશ તો એ રાજા મને મારી નાખશે. વારતે આ તે એક તરફ દુરતર કિનારે અને એક તરફ વાઘ એવો યોગ આવે. વળી મારું હવે આયુષ્ય પણ પૂર્ણ થવા આવ્યું છે, ફક્ત બે દિવસ બાકી છે; વાસ્તુ મારે અનશન પ્રહણ કરવું એજ કલ્યાણકારી છે. આ પ્રમાણે નિશ્ચય કરી તેમણે પિતાની સાથે રહેલા યતિઓને કહ્યું કે નન્નસૂરિ અને ગેવિન્દસૂરિ પ્રતિ હિતકારી વચન બોલજે, શ્રાવને મિથ્યા દુષ્કૃત ( મિચ્છામિ દુક્કડં) કહેજે, પરસ્પર અમસૂરતા રાખો, શુદ્ધ ક્રિયા પાળજો, બાલ-વૃદ્ધનું પાલન કરજો; અમે તમારા નથી, તમે અમારા નથી, આ સર્વ સંબંધ કૃત્રિમ છે. આ પ્રમાણે ઉપદેશ આપી ત્રિભુવનને પૂજનીય એવા તીર્થકરનું, અષ્ટકર્મના બન્ધનથી મુક્ત એવા સિદ્ધનું, ગૌતમ પ્રમુખ મુનિવરનું અને સર્વજ્ઞભાષિત જૈન ધર્મનું મન, વચન અને કાયાથી શરણ અંગીકાર કરી પાંચ મહાવ્રતને અને છઠ્ઠી રાત્રિભોજનના નિયમને અંગે જે વિરાધના થઈ હોય તેનું મિથ્યા દુષ્કૃત હશે એમ કહીને બેઠા બેઠા અદીનપણે સમાધિપૂર્વક તેઓએ કાળ કર્યો. ૧ છેદી શકાય તેવ. ૨ ધર્મવિધિના કતાં નજસૂરિ તે આ નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy