SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાદ્યાત, એક દિવસ આમ રાજાએ સભામાં બેઠેલા બપ્પભદ્રિસૂરિજીને પૂછ્યું કે આપના જેવા વિદ્વાન અને તપવી તો રવર્ગમાં પણ મળવા મુશ્કેલ છે, તે પછી આ ભૂમંડળની તો વાત જ શી કરવી? પરંતુ આપની સાથે અલ્પાંશે પણ બરાબરી કરી શકે એવો કોઈ અત્યારે આ પૃથ્વી ઉપર છે? આનો પ્રત્યુત્તર આપતાં સૂરિજીએ કહ્યું કે પૂર્વે તો અનેક પ્રભાવશાળી વિદ્વાનો થઈ ગયા છે અને તેઓ તો એક પદના સો, હજાર અને લાખ અથ પણ કરી શકતા હતા. અત્યારે પણ અનેક પ્રખર પડિતો છે કે જેની ચરણની રેસમાન પણ હું નથી. નન્નસૂરિ અને ગેવિન્દરિ એ બે મારા ગુરૂભાઈ મારા કરતાં પણ ચડિયાતા છે. આ સાંભળીને રાજાએ જવાબ આપે છે કે મને આપના વચનમાં શ્રદ્ધા છે, છતાં પણ કૌતુકની ખાતર તેની તપાસ કરીશ. આ પ્રમાણે કહીને રાજા રૂપ બદલીને ગુર્જર દેશમાં તે સૂરિઓ પાસે ગયે. ત્યાં તેણે નન્નસૂરિને વાસ્યાયને રચેલા કામ-શાસ્ત્રનું વ્યાખ્યાન કરતા જોયા. આથી તેને ખેદ થે અને તે વિચારવા લાગ્યો કે હું ભોગી હોવા છતાં આવા રાગ-ભા જાણતો નથી, તો પછી આ ત્યાગી તો કેમજ જાણે? વાસ્તે જરૂરજ આ સૂરિ બ્રહ્મચર્યનું પાલન કરતા નહિ હોય. માટે આવા અબ્રહ્મચારીને પ્રણામ કરવાથી શું ? આમ વિચારી તે રાજા પાછો ગોપ-ગિરિ આવ્ય. આમના આગમનની ખબર પડતાં અહો! આજે ઘણે દિવસે દેખાયા એમ કહેતા સૂરિજી તેની પાસે આવ્યા, પરંતુ અમે તેમને સત્કાર કર્યો નહિ. આ પ્રમાણે કેટલાક સમય વ્યતીત થતાં સૂરિજીએ આમને કહ્યું કે તું પહેલાં જેવો ભક્ત હતો, તે અત્યારે નથી તેનું શું કારણ છે? આમે જવાબ આપે કે આપ જેવા પણ જયારે કુપાત્રની પ્રશંસા કરી છે, તે પછી કહેવું જ શું ? આપે પ્રશંસા કરેલા એવા નન્નસૂરિ તો કામ-શાસ્ત્ર ઉપર વ્યાખ્યાન આપે છે અને વળી તેઓ તપશ્ચર્યા પણ કરતા નથી. લેહ-પ્રસ્તર જેવા તેઓ ડૂબશે અને અન્યને ડૂબાવશે. આ સાંભળીને સૂરિજી મ્લાન વદને ઉપાશ્રયે આવ્યા અને તેમણે નન્નસૂરિ અને ગોવિન્દસૂરિની પાસે બે સાધુઓને મોકલ્યા અને કહાવ્યું કે આમ આપને પ્રણામ કર્યા વિના પાછો ફર્યો છે અને આપની નિન્દા કરે છે, તેથી આપે એવું કે કાર્ય કરવું જોઈએ કે જેથી તે આપનો કે અન્ય સાધુને પણ અનાદર કરે નહિ. આ સાધુઓ પાસેથી આ પ્રમાણેની સર્વ હકીકત જાણીને નન્નસૂરિજી અને ગેવિન્દસુરિજી એ બંને આમ રાજા પાસે આવવા તૈયાર થયા. ગુટિકા વડે રૂપ–પરાવર્તન કરીને નટનો વેષ ધારણ કરી તેઓ ગોપગિરિ આવ્યા અને તેમણે શ્રી કષભધ્વજપ્રબંધ' નામને નવીન નાટક રચ્યું. આમ રાજા પાસેથી આ નાટક ભજવી બતાવવાની રજા મળતાં તેઓએ આ નાટક આમ રાજા તેમજ અન્ય રસજ્ઞ સભાસદો સમક્ષ ભજવવાનો પ્રારંભ કર્યો. એમ કરતાં ભારત અને બાહુબલિના યુદ્ધને પ્રસંગ આવે. આ વખતે તેમણે ન્યૂહરચના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy