SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ બપ્પભક્ટિસરિઝનું જીવન-વૃત્તાન્ત. ૨૩ જેમ વામી બને છે, તે ગૃહ નાશ પામે છે. યુવતિઓને યુવક સાથે પરિચય થવાથી તેઓ વૃદ્ધને ત્યજી દે છે. અભ્યદા સુરિજીએ જૈન તેમજ જૈનેતર દર્શનેમાનાં સુભાષિતો દ્વારા રાજાને પ્રતિબંધ પમાડ્યો અને તેની પાસે મદિરા, માંસ, જુગાર, વેશ્યા, શિકાર, ચોરી અને પરસ્ત્રીગમન એ સાત વ્યસનને નિયમ લેવડાવ્યું. વિશેષમાં તેની પાસે શ્રાવકના અગ્યાર વ્રતો પણ ગ્રહણ કરાવ્યાં. અતિથિસંવિભાગ નામના બારમા વ્રતને પ્રથમ અને અનિત્તમ તીર્થંકરના શાસનમાંના નૃપતિઓને નિષેધ હોવાથી આમ રાજા પાસે તે વ્રત ગ્રહણ કરાયું નહિ. એક દિવસ વર્ધનજરે ધર્મ રાજાને ગદ્ગદ્ રવરે કહ્યું કે શ્રીબપ્પભકિસૂરિએ મને હરાવ્યું તે કંઈ મને સાલતું નથી, કેમકે તેઓ તો સરસ્વતીના અવતારરૂપ છે; પરંતુ મને ખેદ તો એ થાય છે કે તમારા સેવક વાપતિ દ્વારા તેમણે મારી ગુટિકા હરાવી લીધી. આ પ્રમાણે કહી તેણે પિક મૂકી. રાજાએ તેને આશ્વાસન આપતાં કહ્યું કે વાકપતિ અમારે જૂનો સેવક છે. વળી તેણે અનેક સ્થલે યુદ્ધમાં જય પ્રાપ્ત કરી પ્રતિષ્ઠા મેળવેલી છે તેમજ તે પ્રબન્ધ-કર્તા કવિ છે. આથી તેનો પરાભવ કરવો યોગ્ય નથી. એનો આટલે અપરાધ ક્ષમા કરો. આ સાંભળીને તે બૌદ્ધ મૌન રહ્યો. તે સમય જતાં એક દિવસ લક્ષણાવતી નગરીની સમીપમાં રહેતા યશધર્મ રાજાએ ધર્મ રાજાની લક્ષણાવતી નગરી ઉપર ચડાઈ કરી અને યુદ્ધમાં તેને મારી નાખે. વળી વાપતિને પણ તેણે કેદ કર્યો. કેદખાનામાં રહીને વાક્ષતિએ “ગૌડવધ' એ નામનું પ્રાકૃત ભાષામાં એક કાવ્ય રચ્યું અને તે તેણે યશધર્મને બતાવ્યું. એ જોઈને તે પ્રસન્ન થયા અને તેને કારાગૃહમાંથી મુક્ત કર્યો, કેમકે એ તો સુપ્રસિદ્ધ વાત છે કે “ વિન સર્વત્ર પૂજ્ય (અર્થાત વિદ્વાન સર્વત્ર પૂજાય છે). કેદખાનામાંથી છૂટયા બાદ વાતિ બપ્પભદ્રિજીની પાસે ગયે. - સુરિજી અને વાકપતિ એ બંને વચ્ચે આજે કંઈ નવીન મિત્રતા થઇ હતી નહિ, પરંતુ જુની મિત્રતા આજે વિશેષ ગાઢ બની. વાપતિએ મહામહવિજય (!) નામનું એક મહાકાવ્ય પ્રાકૃત ભાષામાં રચ્યું અને તે આમ રાજાને બતાવ્યું. તેથી ખુશી થઈને રાજાએ તેને એક લાખ સોનૈયા આપ્યા. ૧ આ અગ્યાર વ્રતો નીચે મુજબ છે – () સ્થલ માણાતિપાત વિરમણ. (૨) થલ અષાવાદવિરમણ, (૩) સ્થલ અદત્તાદાનવિરમગ, (૪) સ્થલ મૈથુનવિરમણ, (૫) પરિગ્રહ-પરિમાણું, (૬) દિગ-વ્રત, (૭) ગોપગપરિમાણ, (૮) અનર્થદંડવિરમણ, (૯) સામાયિક, (૧૦) દેશાવકાશિક અને (૧૧) પોષધ. આમાં અતિથિસંવિભાગ વ્રત ઉમરતાં એ શ્રાવકોનાં બાર બતો બને છે. એનું વર્ણન ઉપાસકદશાંગ નામના આગમમાં પણ આપ્યું છે. ૨ આ વાત વિચારણીય છે, કેમકે શ્રીહેમચન્દ્રાચાર્યે કુમારપાલ રાજાને બારે તે ગ્રહણ કરાવ્યાં હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy