SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાશ્ચાત, અને આમ રાજના સભાસદો હાજર થતાં તમારે એમ કહેવું કે મુખ–શૌચ કર્યા વિના સરસ્વતી પ્રસન્ન થતી નથી, વારતે વાડીએ, પ્રતિવાદીએ, સભ્યોએ તેમજ સભાપતિએ પણ મુખ–શૌચ કર જોઈએ. આ પ્રમાણે કહ્યા બાદ તેઓ મુખ–શૌચ કરશે એટલે અમારી તમે સંપૂર્ણ ભક્તિ કરી એમ અમે માનીશું. વાપતિએ આ વાત સ્વીકારી એટલે તે શિષ્ય ઉપાશ્રયે જઈને ગુરૂજીને સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યું. - સવાર પડતાં વાદ-થિલમાં સભાસદે આવવા લાગ્યા. બન્ને રાજાઓ તેમજ વાદી અને પ્રતિવાદી પણ ત્યાં આવી પહોંચ્યા. એટલે વાકપતિએ તેમને મુખ–શૌચ કરવાનું કહ્યું. તદનુસાર મુખ–શૌચ કરતાં વધેનકુંજરના મુખમાંથી ગુટિકા નીકળી પડી. તે બખ ભદ્રિજીના શિષ્યએ લઇને સૂરિજીને આપી દીધી. ત્યાર બાદ વાદ-વિવાદ ચાલતાં વર્ધનકિંજર હારી ગયે અને સૂરિજીને જાય છે. તેથી બન્ને પક્ષ તરફથી સૂરિજીને વાદિકુંજરકેસરનું બિરૂદ આપવામાં આવ્યું. આ તરફ સત્ય પ્રતિજ્ઞાવાળો ધર્મ રાજા આમ રાજાને સપ્તાંગ રાજય આપવા લાગે. તે આમે ગ્રહણ કર્યું. એટલે સૂરિજીએ આમને કહ્યું કે એ રાજય ધર્મ રાજાને પાછું આપો, કેમકે તેમ કરવું તમને શોભાસ્પદ છે. તેમના વચનાનુસાર આમે તેમ કર્યું. ત્યાર પછી સૌ સૌને સ્થાનકે જવા લાગ્યા. સૂરિજી વધેનકુંજરને ભેટયા અને તેને તેમજ આમ રાજાને પણ સાથે લઇને તેઓ ગેપગિરિમાં મહાવીર પ્રભુની પ્રતિમાનું વંદન કરવા ગયા. ત્યાં સૂરિજીએ “શાન વેઃ રામસુવર્જી” ઇત્યાદિ કાવ્યવડે તેમની સ્તુતિ કરી. ત્યાર બાદ તેણે વર્ધનકુંજરને પ્રતિબોધ પમાડી જૈન ધર્મ બનાવ્યો. એક દિવસે વર્ધનજરે બપ્પભદિને રાતના પ્રત્યેક પ્રહરે (ત્રણ ત્રણ કલાકે) લો ગોત્ર (કાશ૩), ર્વસ્ત્ર (૮૨), શ્રી કુંવા (શરાદ૬) અને વૃદ્ધો જૂના (શરાબ) એમ ચાર ચાર અક્ષરવાળી ચાર સમસ્યાઓ પૂછી. તેનો સૂરિજીએ ઝટ જવાબ આપે કે– "एको गोत्रे स भवति पुमान् यः कुटुम्बं विभर्ति सर्वस्य द्वे सुगतिकुगती पूर्वजन्मानुबद्धे । स्त्री पुंवच्च प्रभवति यदा तद्धि गेहं विनष्टं વૃદ્ધો પૂના જ પરિવયાત ચત્તે નિમિઃ – મન્દાક્રાન્તા અર્થાત ગોત્રમાં તે એક પુરૂષ છે કે જે કુટુમ્બનું પૂરું કરે છે. દરેક જીવને પૂર્વ જન્મમાં (ગતિનામ કર્મ ) બાંધ્યા મુજબની સુગતિ અને મુગતિ (સંભ) છે. જે ગૃહમાં સ્ત્રી પુરૂષની ૧ આ પુસ્તકના પરિશિષ્ટમાં આપેલા શ્રીબપભદ્રિચરિત્રમાં તેના કર્તાએ કરેલા ઉલ્લેખ મુજબ આ કાવ્યનું તેમના સમય સુધી સંઘમાં પઠન થતું હતું. અત્યારે આ કાવ્યનું અસ્તિત્વ હોવા વિષે શંકા રહે છે. કેટલેક સ્થલે મેં એ બાબત તપાસ કરાવી, પરંતુ એ કાવ્યની પ્રતિ મેળવવા હું ભાગ્યશાળી થયો નથી. ૨-૫ આ ચારે પાણિનીય વ્યાકરણનાં સૂત્રો છે. ૬ “તિરુમતી' દૃષિ પટઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy