SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ બપ્પભથ્રિસૂરિજીનું જીવન-વૃત્તાન્ત, રાજય-કાર્યમાં આથી વિન્ન થાય છે, વાસ્તે આપે વર્ષનજરને સત્વર જ જોઈએ. સુરિજીએ તેના પ્રત્યુત્તરમાં કહ્યું કે કાલે સવારે એને હું જીતીશ. ત્યાર પછી તે રાત્રે સૂરિજીએ મન્ત-શક્તિ વડે સરસ્વતી દેવીને બોલાવી. હાર, કુડલ વિગેરે આભૂષણોથી અલંકૃત તેમજ દિવ્ય કુસુમના પરિમલથી સુવાસિત એવી ભગવતી સરસ્વતીનું પ્રત્યક્ષ દર્શન થતાં તેમણે તત્કાલ ચૌદ લેકે રચીને તે વડે તેની સ્તુતિ કરી. દેવીએ તેમને કહ્યું કે-હે વત્તા ! તે મને શું કરવા યાદ કરી છે? સૂરિજીએ કહ્યું કે આજે વાદ કરતાં છ મહિના પૂરા થઈ ગયા છે, તેથી કરીને હવે તું એમ કર કે જેથી કરીને મને વિજય પ્રાપ્ત થાય. આના ઉત્તરમાં સરસ્વતી બોલી કે આ વધેનજરે મારું સાત ભવ પર્યત આરાધન કર્યું છે, તેથી આ ભવમાં મેં તેને અક્ષયવચનગુટિકા આપી છે. તેના પ્રભાવથી એ દુજેય છે. આ સાંભળીને સુરિજીએ તેને કહ્યું કે શું તું જૈન શાસનની વિધિની છે કે મને જય અપાવતી નથી ? ત્યારે તે બોલી કે હું જ્યનો ઉપાય બતાવું છું તે સાંભળ. કાલે સવારે વાદવિવાદ શરૂ કરવામાં આવે તે પૂર્વે સર્વે સભાસદોને મુખ-શૌચ કરવાનું કહેવું. તદનુસાર તે કાર્ય વર્ધનજર કરવા જતાં તેના મુખમાંથી એ ગુટિકા મારી ઈચ્છાથી નીકળી જશે, એટલે પછી તારે વિજય થશે. પરંતુ મારી એક યાચના છે કે આ મારી રતુતિરૂપ ચૌદ શ્લેકે તારે કોઇના આગળ પણ પ્રકાશ કરવો નહિ, કેમકે જે તેનું પઠન કરે તેની સમીપ મારે હાજર થવું જ પડે છે આનો પ્રભાવ છે અને હું કોની કોની આગળ હાજર થાઉં? એમ કહીને તે દેવી વીજળીના ચમકારાની જેમ અંતર્ધાન થઈ ગઈ. - ત્યાર બાદ સૂરિજીએ પિતાના એક ઉત્તમ શિષ્યને વાકપતિ પાસે મોકલવા વિચાર કર્યો અને તેને સમજણ પાડી કે તારે એની પાસે જઈ એમ કહેવું કે હે રાજન! તું વિદ્યાનિધિ છે. વળી લક્ષણાવતીપુરીમાં આપણી વચ્ચે ગાઢ પરિચય થયે હતો તે સમયે તે કહ્યું હતું કે હે ભગવન્! તમે નિઃરહી છે, તો હું તમારી શી ભક્તિ કરું ? આનો અમે ઉત્તર આ હતો કે સમય આવતા અમારી ભક્તિ કરવાનો તને અવકાશ આપીશું. તો આજે તે સમય આવી લાગે છે. આ પ્રમાણેની શિક્ષા આપીને સૂરિજીએ પોતાના એક શિષ્યને વાપતિ પાસે મોકલે. વાકપતિ સાથે ઉપર મુજબની વાતચીત થઈ રહેતાં તેણે તે શિષ્યને કહ્યું કે સૂરિજીનો શો હુકમ છે? તેઓ જેમ કહે તેમ કરવા હું તૈયાર છું. ત્યારે શિષ્ય કહ્યું કે કાલે સવારે ધર્મ ૧ આ સ્તુતિરૂપ કાવ્ય તેજ આ પુસ્તકમાં પરિશિષ્ટરૂપે આપેલું શારદા સ્તોત્ર હોય એમ સંભવતું નથી, કેમકે તેમાં તો તેર લોકો છે. વળી તેને પ્રકાશમાં ન લાવવા સારૂ તો સરસ્વતીએ બપભદ્રિજીને પ્રાર્થના કરી હતી, એટલે તેની યાચનાનું ઉલ્લંઘન કરી રકૃરિજીએ તે સ્તોત્ર કોઈને મુખેથી કહી સંભળાવ્યું હોય કે તેને લખી લીધું હોય એમ માની શકાય તેમ નથી. ૨ અત્રે એ ઉમેરવું આવશ્યક સમજાય છે કે ધર્મ રાજા વાદાથે આવ્યા ત્યારે તેઓ પોતાના સેવક પરમાર વંશી વાપતિરાજને સાથે લાવ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy