SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપેદ્ઘાત, આ પ્રમાણે રાજા અને સૂરિજીના દિવસે વ્યતીત થતા હતા. તેવામાં એક દિવસે ધર્મ રાજાએ મેાકલેલા દૂત આમ રાજા પાસે આવ્યો અને તેને કહેવા લાગ્યા કે હે રાજન્! તારી વિચક્ષણતાથી ધર્મ રાજા સંતુષ્ટ થયેા છે. વળી તેણે કહાળ્યું છે કે તમે અમને વા—છળથી છેતર્યા એટલે અમારે ઘેર આવેલા એવા તમારા અમે એછે વત્તો પણ સત્કાર કરી શકયા નહિ. અત્યારે અમારા રાજ્યમાં બૌદ્ધધર્મી મહાવાદી વર્ધનકુંજર આવ્યે છે. તેની સાથે વાદ કરી શકે એવા કાઇ વાદી હૈાય તે તેને અમારે દેશ મેાકલા. અમારે અને તમારે ધણા કાળથી દુશ્મનાવટ છે, તે જેને વાદી જીતે તે રાજા અન્ય રાજાના દેશને પણ સ્વામી અને એવું આપણા બે જણ વચ્ચે પણ હે; કેમકે માનવનો વધ થાય એવા યુદ્ધના તા કાણુ સ્વીકાર કરે ? २० આ સાંભળીને આમ રાજાએ તેને કહ્યું કે જે તું આ કહે છે તે ધર્મરાજે પોતે કહાળ્યું છે કે તું તારા મુખથી આ પ્રમાણે લવે છે. અમારે। વિજય થતાં જો ખરેખર તારા રાજ સપ્તાંગ રાજ્ય મને આપે તેમ હાય, તે અમે વાદી લઇને આવીએ. દૂતે કહ્યું કે કારણવશાત્ યુધિષ્ઠિરે પણ દ્રોણ–પર્વમાં અસત્ય ભાષણ કર્યું હતું, પરંતુ મારા રવામી તે કારણવશાત્ પણ અસય બેાલતા નથી. આમ રાજાએ દૂતને રજા આપી અને પાતે પેાતાના તરફથી અપ્પભટ્ટને વાદી તરીકે રવીકારી તેમની સાથે વાદને માટે અર્ધ માર્ગે ગયા. ધર્મ રાજા પણ વનકુંજરને સાથે લઇને સામે આવ્યા. ત્યાં વાદ-વિવાદનો પ્રારંભ થતાં વર્ધનકુંજરે ધર્મ રાજાને આશીર્વાદ દેતાં કહ્યું કે “શર્મળે સૌતો ધર્મ, વય વાŻયમેન ચ । આદતઃ સાપ્રયન્ વિશ્વ, ક્ષળક્ષળવિનશ્વરમ્ ॥”—અનુષ્ટુપ્ અર્થાત્ કે રાજન્ તું જો. જગતને પ્રત્યેક ક્ષણે વિનાશશીલ સિદ્ધ કરતા એવા જે ધર્મના મુનીન્દ્રે સ્વીકાર કર્યો છે તે બૌદ્ધ ધર્મ સુખને માટે થાઓ. ત્યાર બાદ બપ્પભટ્ટિજીએ આમ રાજાને આશીવૉદ દેવા પૂર્વક કહ્યું કે~ ‘“હેન રામોન્નતિ વૈયા–નિયાનન્વપસ્થિતઃ । યદાષા વિનિતા મિથ્યા-વાવો જાન્તમાનિનઃ ॥”—અનુષ્ટુપ્ અર્થાત્ જેની વાણીથી એકાન્તને માનનારા મિથ્યાવાદીએ જીતાયા છે, તે શાશ્વત આનન્દ–પદમાં રહેલા (અર્થાત્ . માક્ષે ગયેલા ) એવા તીર્થંકર સુખની ઉન્નતિ કરો. આ પ્રમાણે આશીર્વાદનું કાર્ય સમાપ્ત થતાં વાદી અને પ્રતિવાદી વચ્ચે વાદ-વિવાદ શરૂ થયા. છ મહિના સુધી એક સરખા વાદ-વિવાદ ચાલ્યા; પરંતુ એ બેમાંથી કાઇ કાઇના પરાજય કરી શકયા નહિ. આમ રાજા આથી કંટાળી ગયા અને તેણે સૂરિજીને કહ્યું કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy