SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદવાત, અર્થાત જે સિદ્ધાન્તનાં તત્ત્વને પાર પામેલા તેમજ ગયુક્ત એવા યોગીઓના મનમાં પણ મૃગાક્ષી વસે છે, તો પછી તે મૃગાક્ષીજ પ્રમાણ છે. તે રાત્રે આમ રાજાએ સુરિજીની પરીક્ષા કરવા માટે આ નર્તકીને પુરૂષના વેશમાં તેમની પાસે મોકલી. તેણે આવીને સુરિજીને કર-રપર્શ કર્યો. સૂરિજી સમજી ગયા કે આ તો કોઈ યુવતિ છે અને પિતાને માથે આમ રાજાની મૂર્ણતાને લીધે આ ઉપરાર્ગ આવી પડ્યો છે. તરતજ તેઓ તેની સામે થવાને સજજ થઈ ગયા અને તેમણે તે નર્તકીને ઉદ્દેશીને કહ્યું છે કે વરાકિ ! તું કોણ છે અને કયાંથી આવી છે ? અમારા જેવા બ્રહ્મચારી પાસે તારું શું વળવાનું છે ? શું પવન વડે મેરૂ ચલાયમાન થયો છે કે ? આ સાંભળીને તે નર્તકીએ કહ્યું કે હું આપને એવો ઉપદેશ આપવા આવી છું કે "राष्ट्रे सारं वसुधा, वसुधायामपि पुरं पुरे सौधः। છે તi તજે, નાગનર્વસ્ત્રમ્ ”—આર્યા અર્થાત રાજયમાં પૃથ્વી એ સાર છે અને પૃથ્વીમાં શહેર સાર છે; એવી રીતે શહેરમાં મહેલ અને મહેલમાં શમ્યા અને શય્યામાં કંદર્પના ધનરૂપ સુન્દર સુન્દરી સાર છે. વાસ્તે આર્મ રાજાએ ભક્તિપૂર્વક આપની સેવા કરવા માટે મોકલેલી એવી મને આપ સ્વીકારો. સૂરિજીએ એ વાત ઉપર ધ્યાન આપ્યું નહિ એટલે તેણે હાવ-ભાવ, કટાક્ષપૂર્વક અવકન, ભુજાક્ષેપ ઇત્યાદિ સર્વ ઉપાયો જ જોયાં અને સ્ત્રી-હત્યાદિક ભય પણ બતાવે પરંતુ પત્થર પીગળે તો સુરિજી પીગળે. આખરે આ નર્તકી થાકી અને સવાર પડતાં તે રાજા પાસે ગઈ અને ત્યાં તેણે તેને સર્વ હકીકત કહી સંભળાવી, સૂરિજીનું અપૂર્વ બ્રહ્મચર્ય જાણીને રાજા અત્યંત પ્રસન્ન થયે અને તેનું ધ્યાન ધરતો કહેવા લાગે કે "न्युञ्छने यामि वाक्याय, दृग्भ्यां याम्यवतारणे। વઝિવિંધી સૌહાર્ટ-દાય હૃથાય તે .”—અનુબ્રુપ અર્થાત હું તમારાં વાળે ઉપર વારી જાઉં છું, તમારી દૃષ્ટિનાં ઓવારણાં લઉં છું. સૌહાર્દથી મનહર એવા તમારા હૃદયને હું ૦ બલિ આપું. સવારના જ્યારે બપ્પભટિજી રાજસભામાં આવ્યા, ત્યારે રાજા શરમન મા એક અક્ષર પણ બોલી શક્યો નહિ. ત્યારે સુરિજીએ તેને કહ્યું કે શરમાવાની કંઈ જરૂર નથી, કેમકે મહર્ષિઓના દૂષણ અને ભૂપણની તપાસ કરવી એ રાજાઓનું કાર્ય છે. રાજાએ કહ્યું કે હે ગુરૂજી ! એ વાત સંભારશો નહિ. એમ કહીને તેણે પોતાનું મરતક તેમના ચરણમાં નમાવ્યું. આપ બ્રહ્મરૂપ છે. તેમના આગળ હાથ ઊંચા કરીને હું માન અને આશ્ચર્યપૂર્વક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy