SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ આ ઉપોદ્યતન ચતુર્વિશતિકાને લગતી ડીક માહિતી પ્રસ્તાવનામાંથી મળી શકતી હોવાથી આ ઉદ્ધાતના પ્રારમ્ભમાં પ્રથમ શેનો ઉલ્લેખ કરવો વારતવિક ગણાય એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આવી પરિસ્થિતિમાં સરસ્વતીના વરદાનથી વિભૂષિત, વાદીરૂપ કુંજરને પરાત કરવામાં કેસરીના સમાન તેમજ ખાસ કરીને આમ નૃપતિને પ્રતિબંધ પમાડનારા તથા મંગલ-મૂર્તિ એવા આ કાવ્યના કર્તા શ્રીબપ્પભદ્રિસૂરિનું જીવનવૃત્તાત રજુ કરવામાં આવે છે. આ સૂરિવરના ચરિત્ર ઉપર શ્રીપ્રભાચન્દ્રસૂરિકૃતિ પ્રભાવક–ચરિત્રમાને શ્રીબમ્પભક્ટિ–પ્રબન્ધ, આ ગ્રન્થના અતમાં આપેલું શ્રીબપ્પભદિસરિચરિત, શ્રીવિજયલક્ષ્મીસરિકત ઉપદેશ–પ્રાસાદનો પ્રથમ વિભાગ તેમજ શ્રીમુનિસુન્દરસૂરિકૃત પજ્ઞ ટીકાથી અલંકૃત એવો ઉપદેશ–રવાકર (પત્રાંક ૫૫-૬૦) એ ગ્રન્થ એ છે વત્તો પ્રકાશ પાડે છે. શ્રીબપભક્રિસૂરિજીનું જીવનવૃત્તાન્ત શ્રી બપ્પભટિના પિતાશ્રીનું નામ બમ્પ હતું, જયારે તેમની માતુશ્રીનું નામ ભક્ટિ હતું. તેઓ જાતના ક્ષત્રિય હતા અને પંચાલ દેશમાં આવેલા બાઉધી નગરમાં વસતા હતા. તેમનો જન્મ વિ. સં. ૮૦૦ માં થયેલ હતું. શ્રીપભદ્રિસૂરિ છ વર્ષની ઉમરના થયા, ત્યારે એક એવો પ્રસંગ બન્યું કે તેઓ તેમના પિતાશ્રીના શત્રુઓને મારવા જવાને તૈયાર થયા; તે વખતે આ સુરિજી કે જેમનું જન્મ-નામ સુરપાલ હતું તેમને તેમના પિતાશ્રીએ વાત્સલ્યભાવને લઈને રોક્યા. મારા પિતાશ્રી પિતે પણ શત્રુને સંહાર કરવા તૈયાર થતા નથી અને ઉલટા મને રેકે છે એમ વિચારી રીસાઇને કોઇને પણ કહ્યા કહાવ્યા વિના સરપાલ ત્યાંથી ચાલી નીકળ્યા અને મહેરક ગામમાં જૈનાલયમાં આવ્યા. ત્યાં શ્રીવીર સ્વામીને વાંદવાને પધારેલા શ્રસિદ્ધસેનસૂરિની સાથે તેમને સમાગમ થયે. આ સૂરીશ્વરે તેમને પૂછ્યું કે તું કોણ છે અને અહિં કેમ આવ્યો છે? આના પ્રત્યુત્તરમાં તેમણે સત્ય હકીકત કહી સંભળાવી. તેમનો વૃત્તાન્ત સાંભળીને સૂરિજીને વિચાર આવે કે ખરેખર મારા ‘સ્વમાનુસાર આ કઈ દિવ્ય મૂર્તિ છે અને તદનુસાર તેમણે તેને પિતાની પાસે રહેવા સૂચવ્યું. આ વાત સૂરપાલે સ્વીકારી અને તેમણે સરિજી પાસે અભ્યાસ કરે પણ શરૂ ૧ પ્રભાવક-ચરિત્ર (પૃ. ૧૨૯)માં આને બદલે “દુવાતિધી' ગામનો ઉલ્લેખ છે, જ્યારે ઉપદેશત્રાકર (પત્રાંક ૫૫)માં “દુઆઉધીનો ઉલ્લેખ છે. ૨ સૂરિજીએ રાત્રે યોગ-નિદ્રામાં એક રૂમ જોયું હતું. તેમાં તેમણે સિંહના બાળકને ચૈત્યના શિખર ઉપર ફાળ મારીને આરૂઢ થતો જોયો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy