SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના આ ચાવંશતિકા ઉપર કેઇએ અત્રે આપેલી કર્તાના નામ વિનાની ટીકા ઉપરાંત અન્ય કોઈ વૃત્તિ કે અવચૂરિ લખી છે કે નહિ એના ઉત્તર તરીકે નિવેદન કરવાનું કે આ કાવ્યને લગતી એક અવસૂરિને પૂર્વાધે મને અમદાવાદના ડહેલાના ભંડારમાંથી વર્ષા ઋતુ બેઠી તેવામાં મળી આવ્યો હતો. પરંતુ ચોમાસા દરમ્યાન ઉત્તરાર્ફ નહિ મળી શકવાથી હું અહિંઆ આના કર્તાના નામને ઉલ્લેખ કરી શકતો નથી. આ કાવ્યને લગતી બીજી કોઈ અવસૂરિ હોય તો તે મારા જેવામાં આવી નથી. પરંતુ આ કાવ્ય ઉપર સહદેવે ૭૩પ કલેક જેટલા પ્રમાણની એક વૃત્તિ રચી છે એમ જૈનગ્રંથાવલી (પૃ. ૨૪) ઉપરથી જોઈ શકાય છે. મેં આ પ્રત મેળવવા ઘણે રથલે તપાસ કરાવી, પરંતુ તેમાં મને સફળતા મળી નથી. આ ગ્રન્થના સંશોધનાર્થે શ્રીજેનશ્રેયસ્કર મંડળ (મહેસાણા) તરફથી પ્રસિદ્ધ થયેલા સ્તુતિ-સંગ્રહને તેમજ જૈનાનન્દપુસ્તકાલય તરફથી મળેલી હત–લિખિત પ્રતને, સરસ્વતી–તેત્રને સારૂ જૈનાનન્દ પુસ્તકાલયમાંથી મળેલી પ્રતો, અનુગાચાર્ય (૫૦) શ્રીક્ષાતિવિજયે કોઈ પ્રત ઉપરથી કરેલા ઉતારાનો અને જૈનસ્તોત્રસંગ્રહને અને શ્રીબપ્પભદિસરિચરિતને માટે અમદાવાદના ડહેલા ભંડારમાંથી મળેલી “પ્રતને ઉપયોગ કરવામાં આવ્યું છે. એ પણ નિવેદન કરવું આવશ્યક સમજાય છે કે મેં આ પુસ્તકની પ્રેસ-કૉપી તૈયાર કરીને મુનિરાજ માણિક્યસાગરજી ઉપર મોકલી આપી હતી. તેથી આ સાન્ત તપાસી ગયા હતા. આ કાર્ય માટે તેમને તેમજ પહેલી વારનું મુફ તપાસવામાં મને સહાય કરવા બદલ આનન્દસાગરસૂરિજીને હું અત્ર ઉપકાર માનું છું. વળી બીજી વારનું મુફ જોઈ આપવાની ઉદારતા પન્યાસ શ્રીક્ષાન્તિવિજયે દર્શાવી હતી, તદંશે હું તેમને પણ પ્રાણી છું. વિશેષમાં, જોકે સમરત પ્રફે હું જાતે જેતો હતો છતાં છેવટનું પ્રફ જોઇ જવાના કાર્યમાં મારા લઘુ બન્યુ પ્રોઇ મણીલાલ તરફથી પણ મને મદદ મળતી ૧ અત્રે એ ઉમેરવું આવશ્યક છે કે લગભગ આ પુસ્તક પૂરું થવા આવ્યું હતું તેવામાં આ પ્રત મને મળી હતી, તેથી શુદ્ધિપત્ર તૈયાર કરવામાં તેમજ પાડાન્તરો આપવામાં મેં એનો ઉપયોગ કર્યો છે. આ ચાર પત્રવાળી પંચપાટી પ્રત છે અને તે સં. ૧૫૨૧ માં લખાયેલી છે, એમ તેની નીચે મુજબની "संवत् १५२१ वर्षे प्रथम वैशाख शुद. शनी धीअणहलपुरपत्तनवास्तव्यमं० धनालिखितम्" –પંક્તિ ઉપરથી જોઈ શકાય છે. ૨-૪ આ ત્રણને સારૂં અનુક્રમે , ઇ અને 1 સંજ્ઞા રાખી છે. ૫ આ પ્રત એ તેવી શબ્દ નહિ હોવાથી તેની બીજી પ્રત લીંબડીના ભંડારમાંથી મેળવવવા મેં પ્રયાસ કર્યો, પરંતુ હજી સુધી તે મને મળી નથી. વિશેષમાં આ પ્રતમાં કેટલેક સ્થલે અક્ષરો પણ છેકાઈ ગયેલા હતા એટલે જે સાગરાનંદસૂરિજીએ પ્રેસ-કપીનું સંશોધન કરવામાં મને સહાય ન કરી હોત તો આ કાર્ય કરવું મુશ્કેલ થઈ પડત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy