SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પ્રસ્તાવના : શ્રીમાન બપ્પભદિસૂરિકૃત આ ચતુવશતિકાના ભાષાન્તરાદિકને પ્રારમ્ભ ઇ. સ. ૧૯૨૩ ના ઉનાળાની રજા દરમ્યાન કરવામાં આવ્યો હતો, જોકે એ કાર્ય એ રજા પૂરી થયા બાદ પણ ચાલુ રાખવામાં આવ્યું હતું. વિલ્સન પાઠશાળામાં ગણિત શીખવવાને લગતું મારું કાર્ય કરવા ઉપરાંત જે સમય મને મળતો હતો, તેને ઉપયોગ ઘણે ભાગે આવા કાર્ય પરત્વે કરવામાં આવતો હતો. આ ગ્રન્થમાં સ્તુતિ–ચતશતિકાની જેમ પદદાત્મક અન્વય, શબ્દાર્થ, લેકાર્થ અને શબ્દ-કોષ આપવામાં આવ્યા છે, તેથી તે વિદ્યાર્થી–વર્ગને અભ્યાસ કરવામાં અનુકૂળ થઈ પડશે એવી આશા રાખવામાં આવે છે. વિશેષમાં આ કાવ્યની ટીકા પણ આ સાથે આપવામાં આવી છે, તેથી વિશેષ સુગમતા થવા સંભવ છે. આ ઉપરાંત જયાં જે વિષય સંબંધી સ્પષ્ટીકરણ કરવું ઉચિત લાગ્યું તેમ ત્યાં કરવામાં આવ્યું છે, પરંતુ કેટલાક વિષેનું વિવેચન સ્તુતિ-ચતુર્વિશતિકામાં કરેલું હેવાથી પુનરૂક્તિ થાય તેટલા માટે તે અત્ર આપવામાં આવ્યું નથી. પ્રસંગનુસાર શ્રીજિનપ્રભસૂરિકૃતિ પાધેજિનસ્તોત્ર, ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રીમાન યશોવિજયે રચેલ આદિજિનસ્તવન અને ઉપાધ્યાય શ્રીવિનયવિજયે રચેલ ઋષભજિનસ્તવન, પૂર્વમુનિવર્યકૃત અબિકાદેવી-કલ્પ તેમજ શ્રીમદ્દબપ્પભટ્ટિસૂરિકૃત 'સરસ્વતી સ્તોત્ર ભાષાંતર સહિત આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત આ કવીશ્વરનું ગદ્યમાં રચાયેલું ચરિત્ર (શ્રીબપ્પભદિસૂરિચરિત) પણ આપવામાં આવ્યું છે, એ અત્ર વિશેષતા છે. ૧ આની સંસ્કત છાયા આગમોદ્ધારક જૈનાચાર્ય સાગરાનંદસૂરિજીએ તૈયાર કરી આપી હતી. ૨ મેં આ સ્તોત્રની પ્રત મેળવવા બહુ પ્રયાસ કર્યો હતો. એની એક પ્રત રૉયલ એશિયાટિક સોસાયટી (બૉમ્બે બ્રાન્ચ)ના પુસ્તકાલયમાં છે એવી ખબર મળતાં મેં ત્યાં તપાસ કરી, પરંતુ તે પ્રત ત્યાં છે એમ ઉલ્લેખ હોવા છતાં મળી નહિ. અહીંઆ તપાસ કરી તે પૂર્વે પ્રત માટે એક વાર જૈનાન-પુસ્તકાલય (સુરત )ના કાર્યવાહક ઉપર શ્રીયુત જીવણચંદ સાકરચંદ ઝવેરી દ્વારા પત્ર લખાવી પૂછાવ્યું હતું, પરંતુ પ્રત જડતી નથી એવો ત્યાંથી પ્રત્યુત્તર મળ્યો. આથી કરીને મેં ઉપર્યુક્ત સોસાયટીમાં ફરીથી તપાસ કરાવી અને સાથે સાથે એ સંબંધમાં આગમોદ્ધારક જૈનાચાર્ય શ્રીસાગરાનંદસૂરિને પૂછાળ્યું. તેમની સૂચનાનુસાર મેં જૈનાનન્દપુસ્તકાલયના કાર્યવાહકને પત્ર લખ્યો એટલે તે પ્રત વિના વિલંબે મારા ઉપર તેમણે મોકલી આપી. આ પ્રત મળ્યા બાદ આ તત્ર વાંચતાં મને યાદ આવ્યું કે આ સ્તોત્ર તો મે જૈનસ્તોત્રસંગ્રહના પ્રથમ ભાગમાં વાંચ્યું છે. ત્યાં એ સ્તોત્રનું અનુભતસિદ્ધસારસ્વતસ્તવ એવું નામ આપવામાં આવ્યું છે, પરંતુ ત્યાં તેના કર્તાના નામનો નિર્દેશ કરવામાં આવ્યો નથી એ વિચારણીય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy