SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ જિનસ્તુત: ] चतुर्विंशतिका. તે પૂર્વે આત્મા સ્વપ્રદેશમાંથી પોતાના અનાદિકાળના શત્રુરૂપ જ્ઞાનાવરણીય કર્મને સદાને માટે દેશવટો દે છે અને આ પ્રમાણે આ શત્રુ દેશપાર થતાં આત્મા સર્વજ્ઞ બને છે. આ ઉપરથી તો એમ સૂચન થાય છે કે કેવલજ્ઞાન પ્રાપ્ત થયા બાદ મતિજ્ઞાનાદિક ચાર જ્ઞાનનો સદ્દભાવ સંભવતો નથી. આ વાતને વાચકવર્ય શ્રીઉમાસ્વાતિ પણ ટેકો આપે છે, કેમકે તત્ત્વાર્થધિંગામસૂત્રના પ્રથમ અધ્યાયના ૩૧માં સૂત્ર દ્વારા તેઓ કહે છે કે – “grીનિ મા ચાનિ ગુરાવામિના ચતુર્થ્ય” આ સંબંધમાં મત-ભેદ જોવામાં આવે છે અને તે એ છે કે જેમ સૂર્યનો પ્રકાશ થતાં તારા નક્ષત્રાદિકની પ્રભા તેમાં સમાઈ જાય છે, પરંતુ તેથી કંઈ તેનો નાશ થયેલો ગણાય નહિ, તેવી રીતે અથવા તે જેમ સર્વજ્ઞ થયા બાદ પાંચ દ્રવ્યેન્દ્રિયો રહેવા છતાં પણ જેમ સર્વ ભાવેન્દ્રિયથી સર્વ કાર્ય કરે છે તેમ કેવલજ્ઞાન પ્રાપ્ત થયા બાદ પણ બાકીનાં ચાર જ્ઞાન સંભવે છે; પછી ભલે તે અકિંચિકર રહે. જો કે આ પ્રમાણે વિચાર કરતાં પાંચ જ્ઞાનનો સદુભાવ સંભવી શકે છે છતાં પણ એ ભૂલી જવું જોઈએ નહિ કે ક્ષાયિકભાવમાં વિચરનારા સર્વજ્ઞને ક્ષાયોપથમિક ભાવથી ઉત્પન્ન થતાં જ્ઞાન કેમ સંભવે એ પ્રશ્ન જેવો ને તેવોજ ખડો રહે છે તેનું શું? આ સંબંધમાં અત્ર વિશેષ ઉહાપોહ ન કરતાં તેના જિજ્ઞાસુને ઉપર્યુક્ત સૂત્ર ઉપરના ભાણ અને ટીકા તેમજ વિશેષાવશ્યક વિગેરે ગ્રન્થ તરફ દષ્ટિપાત કરવા ભલામણ કરવામાં આવે છે. આ આ આ આ जिनेश्वराणां स्तुतिःयेऽमेये मेरुमूर्धन्यतुलफलविधासत्तरूपात्तरूपाः सस्नुः समुत्यजीर्यदृषदि सुरजलैः प्रास्तमोहास्तमोहाः। जातौ जातौजसस्ते द्युतिचितिजितसत्कुन्ददन्ता ददन्तामध्यामध्यानगम्याःप्रशममिह जिनाः पापदानां पदानाम्॥९४॥ -૩૦ ટીકા ये जिना जातौ-जन्मनि मेरुमूर्धनि सुरजलैः सस्नुः-स्नपितवन्तः । पापदानां पदानां-स्थानानां प्रशमं ददतु-प्रयच्छन्तु । अमेये-निष्प्रमाणे । किंभूता जिनाः ? अतुलफलानां विधानं विधा तस्यां सत्तरूणां-शोभनतरूणां संबन्धि उपात्तं-प्राप्तं रूपं यैस्ते । सस्नुत्यो-जलैः प्रस्रवणाः अजीर्यन्त्यः प्रत्यग्राः दृषदः-शिला यस्मिन् मेरौ । प्रास्तो मोहो यैस्ते । तमो जहति ये ते समोहाः । जातं ओजो-बलं येषां ते । धुतेः चितिः (द्युति०) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy