SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્વિશતિકા. [ ૨૪ શ્રીવીરઆ એકવીસ અક્ષરના સમવૃત્તિમાં , , , 7, 8, ૨ અને ૪ એમ સાત ગણો છે. આથી કરીને તો એનું લક્ષણ વૃત્તરભાકરમાં એમ પણ બાંધવામાં આવ્યું છે કે "म्रनैर्यानां त्रयेण त्रिमुनियतियुता स्नग्धरा कीर्तितेयम्" આ વાત ધ્યાનમાં આવે તેટલા માટે આ પદ્યના પ્રથમ ચરણ તરફ દષ્ટિપાત કરવો ઉચિત સમજાય છે. नत् वा नत् । पाप वर । गप् र गु। ण गुर। गुणव् रा । त मुद् भू। त मुद् भू। भ न य य य પદ્ય-ચમકાર આ પદ્યમાંના પ્રથમ ચરણમાં જેમ પ્રથમના બે અક્ષરોની તેમજ અન્તના ત્રણ અક્ષરોની પુનરાવૃત્તિ દષ્ટિ–ગોચર થાય છે, તે હકીકત બાકીનાં ચરણો પૈકી પણ જોઈ શકાય છે. વિશેષમાં આ પછીનાં ત્રણ પદ્ય પણ આ પ્રકારના શબ્દાલંકારથી શોભે છે એ વાત ભૂલવા જેવી નથી. સ્પષ્ટીકરણ મલિન જ્ઞાન આ પદ્યમાં “મલિન જ્ઞાનીપણાનો નાશ” એમ જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં મલિન જ્ઞાનથી શું સમજવું એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આ પ્રશ્નનો ઉત્તર બે રીતે સંભવી શકે છે, કેમકે એક તો મલિન જ્ઞાનનો અર્થ અજ્ઞાન થાય છે અને બીજો અર્થ છદ્મસ્થનું જ્ઞાન થાય છે. તેમાં અજ્ઞાનના ત્રણ પ્રકારો છે–(૧) મત્યજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન અને (૩) વિભાગજ્ઞાન સામાન્ય રીતે એવો કોઈ સંસારી જીવ નથી કે જેને મતિ અને શ્રત ન હોય. મતિ અને શ્રુત જ્ઞાન પરત્વેની વિપરીતતા તે અત્યજ્ઞાન અને શ્રુતજ્ઞાન કહેવાય છે. અવધિજ્ઞાનનો અસત્ય પ્રકાશ તે વિભંગજ્ઞાન છે. એ ધ્યાનમાં રાખવું કે સમ્યકત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધીનું જ્ઞાન તે ખરું જ્ઞાન નથી પણ તેને શાસ્ત્રકાર અજ્ઞાન કહે છે. મલિન જ્ઞાનનો અર્થ છવાનું જ્ઞાન (અર્થાત્ વધારેમાં વધારે બારમાં ગુણસ્થાનક સુધી આરૂઢ થયેલાનું નહિ કે એ ગુણસ્થાનકથી આગળ વધેલાનું જ્ઞાન) એમ કરવાથી એ સમજી શકાય છે કે મલિન જ્ઞાનથી મતિ-જ્ઞાન, શ્રુત-જ્ઞાન, અવધિજ્ઞાન અને મન પર્યયજ્ઞાન સમજવાં, કેમકે આ જ્ઞાનનો પ્રાદુર્ભાવ જ્ઞાનાવરણીય કર્મને યોપશમથી નહિ કે આ ત્યન્તિક ક્ષયથી થતો હોવાથી તે જ્ઞાનવાળો જીવ જ્ઞાનાવરણીય કર્મરૂપી મલથી યુક્ત હોવાને લીધે તેનું જ્ઞાન મલિન છે. નિર્મલ જ્ઞાન તો કેવલજ્ઞાન જ છે, કેમકે તે જ્ઞાન પ્રાપ્ત થાય ૧ છાતીતિ છw-મપિત્ત, રુનિ તિgતીતિ ધ: ૨ નરકમાં પણ કેટલાક જીવોને શુદ્ધ અવધિજ્ઞાન હોઈ શકે છે અને આ હકીકત ઉપાત્ય ભવમાં જે તીર્થંકર પહેલી, બીજી કે ત્રીજી નરકમાં (આ સિવાયની બાકીની ચાર નરકમાં આગલેજ ભ તીર્થકર તરીકે ઉત્પન્ન થનાર જીવ હોઈ શકે નહિ) હોય, તેને તો લાગુ પડે છેજ. ૩ “ગુણસ્થાનક” એ જૈનોનો પારિભાષિક શબ્દ છે. “ગુણસ્થાન” એટલે આત્મિક “ગુણોના વિકાસનું સ્થલ.” આવો વિકાસ ક્રમશઃ થાય છે. આત્માનો સંપૂર્ણ વિકાસ ચૌદમે સ્થાનકે થાય છે. આ ચંદ સ્થાનકની માહિતી માટે જુઓ શ્રીમાન રનશેખરકત “ગુણસ્થાન-*મારોહ,' શ્રીહરિભસૂરિકત “યોગદ્રષ્ટિસમચય,' શ્રીવિનયવિજયજીકત લોકપ્રકાશ અને શ્રીનેમિચન્દ્રસૂરિકત “પ્રવચન-સારીદાર.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy