SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતયઃ ] चतुर्विंशतिका. એટલે તેણે પોતાના પુત્રોને તેના શીતલ જલનું પાન કરાવ્યું. ત્યાર બાદ ક્ષુધાતુર થયેલા એવા તે બાળકોએ ભોજન માંગ્યું, એટલે તત્કાલ સામે રહેલા સુકા આંબાના ઝાડ ઉપર ફળ આવ્યાં. અંબકાએ તે ફળો લઈને બાળકોને આપ્યાં એટલે તેઓ સ્વસ્થ થયા. ત્યાર પછી તેઓ આંબાના ઝાડની છાયા નીચે આરામ લેવા લાગ્યાં. એટલામાં ત્યાં (સાસરામાં) એવો બનાવ બન્યો કે આ સ્ત્રીએ પોતાના બાળકોને પ્રથમ જમાડી તેનું ઉચ્છિષ્ટ તેમજ પત્રાવલી જે બહાર ફેંકી દીધાં હતાં, તેના આ સ્ત્રીના શીલના પ્રભાવથી આશ્ચર્યાંકિત બનેલા શાસન-દેવતાએ સુવર્ણના કચોળા બનાવી દીધા અને જે ઉચ્છિષ્ટ સિથ કણે ભૂમિ ઉપર પડેલા હતા, તેના મુક્તાફળ બનાવી દીધાં અને અગ્રશિખા તે શિખરો જેવી દેખાય તેમ વિકુવી. આ પ્રમાણેનો અદ્દભુત બનાવ અંબિકાની સાસુએ જોયો એટલે તેણે પોતાના પુત્ર સમભટ્ટને તે વાત નિવેદન કરી અને કહ્યું કે-“હે વત્સ!આ વહ તો સુલક્ષણી અને પતિવ્રતા છે, વાસ્તે તું એને આપણે ઘેર પાછી લઈ આવ.” આ પ્રમાણે પોતાની માતાના વચનથી પ્રેરાયેલો તેમજ પશ્ચાત્તાપરૂપી અગ્નિથી સંતપ્ત મનવાળો તે સેમભટ્ટ પોતાની પત્નીને પાછી વાળવા નીકળ્યો. પોતાના વર સેમભટ્ટ બ્રાહ્મણને પાછળ આવતો જોઈને અંબિકાએ દિશા તરફ નજર ફેંકી. તેમ કરતાં અગ્રે એક માર્ગ-કૂપ તેના જેવામાં આવ્યો. જિનેશ્વરનું મનમાં ધ્યાન ધરીને સુપાત્ર-દાનનું અનુમોદન કરતી તેણે તે કૂપ (કુવા)માં પૃપાપાત કર્યો. શુભ અધ્યવસાયપૂર્વક મરણ પામીને તે સીધર્મ ક૫થી ચાર યોજન નીચે આવેલા કેહ૩ વિમાનમાં અંબિકા નામની મહર્તિકા દેવી તરીકે ઉત્પન્ન થઈ. એ વિમાનનું નામ “કોહડી હોવાથી એને કેહડ પણ કહેવામાં આવે છે. સેમભટ્ટે પોતાની પત્ની મહાસતીને કૂવામાં પડેલી જઈને પોતે પણ તેમાં પડતું મેલ્યું. તે પણ મરીને તે વિમાનમાં આભિયોગિક દેવ તરીકે ઉત્પન્ન થયો. પોતાના કર્માનુસાર સિંહરૂપ વિકુવીને તે અંબિકા દેવીનો ઈ રહ્યો ( આ સંબંધમાં મત-ભેદ છે. કેમકે કેટલાક કહે છે કે પૈવત (ગિરનાર) ગિરિ ઉપરથી અંબિકાએ ઝંપલાવ્યું હતું અને તેની પાછળ તેના પતિએ પણ તેમ કર્યું હતું). * આ ભગવતી અંબિકા દેવીને ચાર હાથ છે. તે જમણુ બે હાથમાં આંબાની લટકતી ડાળ અને પાશ ધારણ કરે છે, જ્યારે ડાબા બે હાથમાં પુત્ર અને અંકુશ રાખે છે. તેના શરીરનો વર્ણ તપાવેલા સુવર્ણના જેવો છે. વળી તે નેમિનાથની શાસન–દેવી થઈને ગિરનાર ગિરિના શિખર ઉપર વસે છે. મુકુટ, કુડળ, મોતીનો હાર, રતનાં કંકણ, ઝાંઝર ઈત્યાદિ આભૂષણથી વિભૂષિત તે દેવી સમ્યગદષ્ટિઓના મનોરથોને પૂર્ણ કરે છે, વિન્ન-સમુદાયને વિનાશ કરે છે અને વળી મંત્ર-મંડલાદિકનું આરોહણ કરીને ભવ્ય પ્રાણીઓને તે અનેક પ્રકારની ત્રાદ્ધિ તેમજ સિદ્ધિ સમર્પે છે. એના પ્રભાવથી ભૂત, પિશાચ, શાકિની તેમજ દુષ્ટ ગ્રહ ઉપદ્રવ કરી શકતા નથી એટલું જ નહિ, પણ પુત્ર, પલી, મિત્ર, ધન, ધાન્ય અને રાજ્ય-લક્ષ્મી પ્રાપ્ત થાય છે. અંબિકા દેવીના મન્ચ મૂળમાં આપ્યા મુજબ છે (શુદ્ધ પ્રત ન મળવાથી તેમજ આમ્નાય ન હોવાથી મંત્રનો ઉદ્ધાર કર્યો નથી. ) આ પ્રમાણે બીજા પણ અંબિકા દેવીના મંત્રો છે અને તે પણ આત્મ-રક્ષા તથા પર-રક્ષા કરવામાં સમર્થ છે તેમજ સ્મરણ કરવા લાયક છે તેમજ માર્ગમાં શાન્તિદાયક છે. એ મન્ટો તેમજ મડલો ગ્રન્થ-ગરવના ભયથી અત્ર આપ્યાં નથી, પરંતુ તે ગુરૂમુખથી જાણી લેવાં. આ અંબિકાદેવીક૯૫ને સ્થિર ચિત્તપૂર્વક વાંચનારાના તેમજ સાંભળનારાના મનોરથો પૂર્ણ થાય છે. અમ્બિકાદેવીકલ્પ સમાપ્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy